SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો, દેવદત્તા ગણિકા [ ૧૮૫ કહ્યું કે, અમારા કુલનો આવો ધર્મ હોવાથી તેમ કરેલ છે. જે તેમ ન કરે તે સાસરાના કુલમાં આનંદ ન વર્તાય.” એ પ્રમાણે તેના ચિત્તની પ્રસન્નતા કરી પુત્રીને શિખામણ આપી કે, “જેમ દેવ પ્રત્યે વર્તાવ રખાય, તે વર્તાવ તેની સાથે તારે રાખવો, નહિંતર તે તારા પ્રત્યે પ્રસન્નતા નહીં રાખશે.” જમાઈના ચિત્તને જાણવા માટે પુત્રીઓને આ શિખામણે આપેલી હતી. આ પ્રકારે પરિણામિકી બુદ્ધિનું ફલ બ્રાહ્મણી વિષે જાણવું. (૧૬) દેવદત્તા ગણિકા ઉજયિની નગરીમાં ચોસઠ કળાઓ શીખેલી, દેશ-દેશાવરમાં પ્રસિદ્ધિ પામેલી દેવદત્તા નામની ગણિકા હતી. દુર્જન લોકોનાં ચિત્ત જાણવા માટે પોતાના મહેલની ભીતોના સ્થાનમાં પિતાપિતાના વ્યાપારમાં તત્પર હોય અને તેમના સ્વભાવ કેવા હોય? તે જાણવા માટે તેવા તેવા સ્વભાવવાળાઓનાં ચિત્રો ચિતરાવ્યાં. જે જે વ્યાપાર કરનાર ત્યાં આવે, ત્યારે પૂર્ણ આનંદથી તે પોતાના વ્યાપારને લાંબા કાળ સુધી જેતે સ્થિર બની જાય. તેને આશય સમજીને કઈ પ્રકારે તેની તે પ્રમાણે સેવા કરે. જેથી આવનાર ઘણો ખુશી થાય. આવનાર ગ્રાહક અતિ દુષ્કર હોય તેવું દ્રવ્ય માગે તેટલું દાન હોંશથી આપે. આ પણ પરિણામિકી બુદ્ધિ કે જે તેણે સામાનું ચિત્ત જાણવા માટે તેમની પ્રકૃતિએ ચિત્રાવી અને દ્રવ્ય-સંચય કર્યો. (૫) ૧૪૩મી ગાથાનો અક્ષરાર્થ-પરિણામિકી બુદ્ધિમાં નિદ્ધસ દ્વિજની ભાર્યાએ જમાઈનાં ચિત્ત જાણવા માટે કરેલા ઉપાય વિષયક ઉદાહરણ. તથા લોકોના અભિપ્રાય જાણવા માટે ઉજ્જયિની નગરીની દેવદત્તા ગણિકાએ એગ્ય ઉપચાર–જેવા સ્વભાવના માણસ આવે તેને અનુરૂપ ગમતાં કાર્યો કરીને ઘણું ધન એકઠું કર્યું. ૧૪૪-ચરણઘાત નામના દ્વારનો વિચાર–તેના ઉદાહરણમાં કેઈક રાજાને યુવાનોએ ભરમાવ્યો કે, “હે દેવ! આ જર્જરિત દેહવાળા વૃદ્ધ મંત્રીઓ દુર્બલ બુદ્ધિવાળા થયેલા હોવાથી તેમના સ્થાનથી તેમને ખસેડી નાખી દૂર કરે, સમર્થ બુદ્ધિવાળા તરુણોને તેના સ્થાનમાં બેસાડો.” ત્યાર પછી તેની પરીક્ષા કરવા માટે તરુણ તેમજ બીજાઓને પ્રશ્ન કર્યો કે, “જે કોઈ મને પગથી મસ્તકમાં પાટુ મારે, તે તેના પગને કર્યો દંડ કરવો ?” ત્યાર પછી ચપળબુદ્ધિવાળા હોવાથી તરુણેએ કહ્યું કે, “તેના ચરણનો છેદ કરવો એ જ દંડ.” બીજા જે વૃદ્ધો હતા, તેમણે ઉતાવળ કર્યા વગર પરસ્પર વિચારણા કરીને કહ્યું કે, “તેની પૂજા કરવી. ગાઢ પ્રેમપાત્ર પત્ની જ્યારે લગ્ન પછીના રતિક્રીડાના સમયમાં રતિ-કલહ કરે છે, તે સિવાય બીજું કોઈ પણ આપના મસ્તકને પાટુ મારવા સમર્થ નથી.” ૧૪પ-આમળું નામના દ્વારમાં– કેઈક ચતુર બુદ્ધિવાળાએ કેઈક રાજસભામાં બના વટી (નકલી) આમળું લાવી સ્થાપન કર્યું. સભાલોકે વિચારવા લાગ્યા કે, “વગર ઋતુએ આ આમળું ક્યાંથી ઉત્પન્ન થયું ?” એમ લેક તર્ક-વિતર્ક કરવા લાગ્યા. ત્યાર પછી એક ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy