SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] ઉપદેશપદ-અનુવાદ ક્રિયા માટે અનુચિત વયવાળા હોવાથી તેને સારવી પાસે સ્થાપન કર્યો. ભણતી સાધવીઓ પાસે અગિયાર અંગે સાંભળીને તેણે પણ મુખપાઠ કર્યા અને અર્થ પણ જાણી લીધા. એવી પદાનુસારી મતિવાળા છે કે, એક પદના અનુસારે સો પદેનું તેને હંમેશાં સ્મરણ થતું હતું. જ્યારે તે આઠ વરસના થયા, ત્યારે ગુરુએ વજીને પિતાની પાસે રાખ્યા. (૧૭૫) વિહાર કરતા કરતા ઉજજયિની નગરીએ ગયા અને ત્યાં બહાર ઉદ્યાનમાં રોકાયા. કોઈક વખતે સખત ધારાવાળો અને સતત ન રોકાય તેવો મુશળધાર વરસાદ પડવા લાગ્યો. સાધુઓ ભિક્ષાચર્યા તેમજ બીજા પ્રયજન માટે બહાર જવા સમર્થ બની શકતા નથી. તે સમયે પૂર્વના પરિચિત તિર્થંભક દેવતાઓ તે માર્ગેથી જતા હતા. તેમને દેખીને એકદમ ઓળખ્યા–એટલે તેમના પ્રત્યે અનુકંપા-ભક્તિ ઉત્પન્ન થઈ. તે વાસ્વામીના પરિણામની પરીક્ષા કરવા માટે વણિકનો વેષ વિકુવને સાર્થવાહનાં બળદગાડાં વગેરે વિકુર્તીને ત્યાં પડાવ નાખ્યો. નાના સાધુ વજી મુનિને વંદન કરીને વિનંતિ કરી કે, “ભેજન-પાણી તૈયાર થઈ ગયાં છે, લાભ દેવા પધારો-” એમ આમંત્રણ કર્યું. ગુરુએ તેને આજ્ઞા આપી, ત્યારે મંદ મંદ વરસાદ પડતું હતું, તેથી પાછા ફર્યા. ત્યાર પછી વરસાદ બંધ થયે, એટલે ઘણું આદરપૂર્વક તેમને શબ્દ કરીને બોલાવ્યા. વાસ્વામી પણ તે સ્થળે ગયા અને તીવ્ર ઉપયોગ મૂક્યો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારે વિચારતા દ્રવ્યથી આ પુષ્ય-ફલ છે. ક્ષેત્રથી આ ઉજજેણી નગરી છે, કાળથી ઘણું વરસાદવાળે ચોમાસાનો કાળ છે, ભાવથી ધરણી પર પગને સ્પર્શ થવો અને નેત્ર મિચાવા બંનેથી રહિત હોવાથી આ મનુષ્યો નથી. અત્યંત હર્ષિત મનવાળા તેમને દેખ્યા. એટલે જાણ્યું કે, “આ દેવતાઓ છે.” પછી તેઓએ સ્પષ્ટ હકીક્ત કહી કે, “તમને કૌતુકથી જોવા માટે અહીં આવ્યા છીએ.” તે દેવોએ ક્રિયવિદ્યા આપી કે, જેના પ્રભાવથી દિવ્ય અને મનુષ્ય સંબંધી અનેક વિવિધ પ્રકારનાં રૂપ વિકુવી શકાય. ફરી પણ તેઓ જેઠ માસમાં સ્પંડિત જવા માટે ગયા હતા. ત્યાં આગળની જેમ ઘેબરનું નિમંત્રણ કર્યું. વળી દ્રવ્યાદિક ઉપગ મૂક્યો અને સાચે પરમાર્થ જાયે, એટલે “ભિક્ષા ન ક૯પે–એમ કહી નિષેધ કર્યો–વહોણું નહિં. એટલે આકાશમાં કોઈને બાધા ન થાય તેવી રીતે ગમન થઈ શકે તેવી આકાશગામિની વિદ્યા આપી. એ વિદ્યાના પ્રભાવથી આકાશમાં છેક માનુષત્તર પર્વત સુધી જાય, તો વચ્ચે ચાહે તેવા બળવાન દેવો કે દાનને સમૂહ આવે, તો પણ ગમન ખલના ન પામે. આવી રીતે બાલ્યકાળમાં પણ વા મુનિ અનેક આશ્ચર્ય—સ્થાન ઉત્પન્ન કરતા ગુરુની સાથે ગામે, નગરો અને ખાણોથી શોભાયમાન પૃથ્વીમાં વિચરતા હતા. સાથ્વીના ઉપાશ્રયમાં રહીને તેણે જે એક પદના અનુસારે સો પદનું સમરણ કરી અગિયાર અંગો ગ્રહણ કર્યા હતાં, તે સાધુ પાસે એકદમ વિશેષ સ્પષ્ટ થયાં. ઉપાશ્રયમાં જે કંઈ સાધુ પૂર્વગત શ્રુત ભણતા હતા, તેને પણ કાનથી સાંભળીને જલ્દી વગર ફલેશે-સહેલાઈથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy