SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] | ઉપદેશપદ-અનુવાદ શકે. એવી રીતે સુનંદાના હેરાનગતિના છ મહિના પસાર થયા, ત્યારે અનુક્રમે વિહાર કરતા કરતા સિંહગિરિ ગુરુ ત્યાં આવ્યા અને નગરના ઉદ્યાનમાં સ્વાધ્યાય-ચોગ્ય નિવાસભૂમિમાં વિધિથી ઉતર્યા. ભિક્ષાને સમય થયો, ત્યારે ધનગિરિ અને સમિતિમુનિ સિંહગિરિ ગુરુ ભગવંતને વિનંતિ કરવા લાગ્યા કે, “પૂર્વકાળ સંબંધી પરિવારના લોકને દેખવા માટે જઈએ છીએ ગુરુની આજ્ઞા પામેલા તેઓ જ્યારે ત્રિકરણ યંગથી ઉપયોગ કરતા હતા, ત્યારે કંઈક ઉત્તમ ફલ આપનાર કંઈક નિમિત્ત ઉત્પન્ન થયું. ગુરુ મહારાજે તે સમયે જણાવ્યું કે, ત્યાં જવાથી કઈક સચેતન કે અચેતન જે કંઈ પણ મળી જાય, તે સર્વે તમારે ગ્રહણ કરવું. કારણ કે, આજે મોટું શકુન થયેલું છે. તે બંને મુનિઓ સુનંદાને ઘરે ગયા; એટલે સુનંદા પણ બે હાથમાં ધરી રાખેલા પુત્રને બતાવતી બીજી પણ અનેક પાડોશણ કુલવંતી સ્ત્રીઓ એકઠી થઈ. તેમને પગે પડી કહેવા લાગી કે, “મેં તો આ બાળકને ઘણુ લાંબા સમય સુધી પાળ્યો, હવે તો તમે જ આને ગ્રહણ કરે, હવે વધારે પાલન-પોષણ કરવા હું સમર્થ નથી.” આમ કહ્યું, એટલે સાધુઓએ કહ્યું કે, “પાછળથી પશ્ચાત્તાપ કરીશ, તે પછી તે વખતે શું કરવું?” ત્યારે સુનંદાએ કહ્યું કે, “આ અહીં રહેલાની સાક્ષીએ તમને આપું છું કે, મારે પાછો ન માગવો–એમ મજબૂત વચન-બંધન તેની સાથે કર્યું. ધનગિરિએ તે બાળકને ઝોળીમાં સ્વીકાર્યો. ત્યાર પછી તે રુદન કરતો નથી અને સમજી ગયે કે, “હવે હું શ્રમણ થયે.” ગુરુના ચરણ પાસે લઈ ગયા. લક્ષણવંત હોવાથી શરીરે વજનદાર છે, તેથી ધનગિરિ બાહુથી ઊંચકીને લઈ જાય છે, પણ બાહુ ઘણુ નમી ગયા છે. એમ કરતાં ગુરુના સ્થાને પહોંચતાં સુધી ગયા, એટલે ગુરુ સમજ્યા કે, ગોચરીના પાત્રમાં વજન વધી ગયું છે. તે તે લેવા માટે ગુરુએ હાથ લાંબો કર્યા. (૧૫) છેક ભૂમિ સુધી ઝોળી પહોંચી અને ગુરુએ ઉંચકી લીધી એટલે તેઓ બોલ્યા કે, “શું આમાં વજનદાર વા છે કે, આટલો ભાર જણાય છે?” જ્યાં દેખે છે, તે દેવકુમાર સમાન રૂપવાળા બાલકને દેખી વિરમય પૂર્વક કહ્યું કે, “આ પુત્રનું જતન સારી રીતે કરવું. કારણ કે, આ પ્રવચન પાલન કરનાર પ્રભાવક પુરુષ થશે.” “વજ એવું તેનું નામ સ્થાપન કર્યું અને તેને સાધ્વીઓની સ્વાધીનતામાં સેં. ત્યાં તેને શય્યાતર-વસતિસ્વામીના ઘરે થાપણ તરીકે રાખે. જ્યારે તે શ્રાવિકાઓ પોતાના બાળકનાં નાન, સ્તનપાન, શણગાર વગેરે કરતી હતી, ત્યારે પ્રાસુક નિર્દોષ વિધાનથી આ વજા બાળકનાં કાર્યો પણ સાથે કરતી હતી. સને અતિ ચિત્ત-સંતોષ આપતે એવો તે બાળક માટે થવા લાગ્યો. આચાર્ય મહારાજ જ્યારે બીજે સ્થળે બહારગામ વિહાર કરી ગયા, એટલે સુનંદા માતા પુત્રને પાછો માગવા લાગી. આ તો ગુરુમહારાજની થાપણ છે, તેથી અમે નહિં આપીએ છતાં સુનંદા દરરોજ તેને સ્તનપાન કરાવતી હતી. એમ કરતાં તે ત્રણ વરસનો થયો. કેઈ વખત આચાર્ય સિંહસૂરિ સપરિવાર તે નગરમાં પાછા આવ્યા, ત્યારે સુનંદા પુત્ર માટે વિવાદ કરી પાછો માગવા લાગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy