SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ધનગિરિ, વાસ્વામી [ ૧૬૯ હવે ધનગિરિએ તે કન્યાને કહ્યું કે, “હે ભદ્ર ! હું સાધુ થવાને છે, તે વાત જૂઠી ન માનીશ, તે કાર્ય માં હવે હું ઢીલ નહિં કરીશ; માટે તને જે રુચે તે કર.” ઘણું ધન ખરચીને મોટા આડંબરથી વિવાહ માંડ્યો. માતા-પિતાના આગ્રહને વશ બની તેણે પાણિ-ગ્રહણ કર્યું. “જે મહાનુભાવે વિષય-સંગથી દૂર થયા હોય અને વૈરાગી બન્યા હોય, છતાં પણ અનુરક્તની માફક ઉપરોધને આધીન બની કાર્ય કરનારા થાય છે. તે વખતે વિવાહ વિતી ગયે, એટલે આનંદમાં આવી ગયેલી સુનંદાને ધનગિરિએ કહ્યું કેહે ભદ્ર! હવે મને છોડ, આગળ મેં તને કહેલ વચન યાદ કર.” સુનંદા પતિમાં અતિ પ્રેમાસક્ત છે, જ્યારે પતિ તેટલો જ વિરક્ત છે, રાગી અને વેરાગી તે બંને વચ્ચે ઘણા રાગ અને વૈરાગ્યના આલાપ-સંતાપ વિવાદ થયા. પત્નીએ તેને કહ્યું કે, “પિતાના ઘરથી પરાહમુખ થયેલી મને તમે અગર તમારો પુત્ર આશરાનું સ્થાનક ગણાય. તે સિવાય બીજું કઈ સ્થાન ન ગણાય, તેને તો તમે વિચાર કરે. જે કારણ માટે કહેલું છે કે, “પુત્રી કુંવારી હોય ત્યં સુધી પિતા, યૌવનવય પામેલીને ભર્તાર, વૃદ્ધાવસ્થામાં વળી પુત્ર સ્ત્રીનું રક્ષણ કરનાર જણાવેલા છે.” પત્નીનું આ વચન સાંભળીને તેમ જ બંધુવર્ગ–સગા-સ્નેહી-સ્વજનાદિકના આગ્રહને વશ બની તે પુત્રના લાભ સન્મુખ થયો. કેટલાક દિવસો પસાર થયા પછી ઉત્તમ સ્વમથી સૂચિત, દેવનો જીવ તે સુનંદાના ગર્ભમાં ઉત્પન્ન થયે. સ્વમાનુસાર પ્રશસ્ત પુત્ર-લાભરૂપ મંગલનો નિશ્ચય થયે છે-એવી સુનદાને ધનગિરિએ કહ્યું કે, “હવે તને સહાયક લક્ષણવંત પુત્ર પ્રાપ્ત થશે.” મહામુશીબતે સુનં. દાએ તેને રજા આપી મુક્ત કર્યો–એટલે સર્વ જીવોને અભયદાન મળે તેવા પ્રકારની વિરતિ લેવાની જાહેરાત કરી. ત્યાર પછી ઘણું ધન ખરચી જિનાલયોની અંદર મહોત્સવ કરાવ્યા. દીન, અનાથ વગેરેને દાન આપ્યાં. બંધુવને યથાયોગ્ય સન્માની, તથા સમાધિસંતોષમાં સ્થાપીને ઉચિત પ્રતિપત્તિ-પૂજાવાળી તીર્થકર ભગવંતની સ્તવના કરીને તથા વિનય-પૂર્વક વસ્ત્રાદિકના દાનથી ચતુર્વિધ શ્રીસંઘનું સન્માન કરી શ્રીસિંહગિરિ પાસે ઉત્તમ નક્ષત્ર, મુહૂર્ત, લગ્નની શુદ્ધિ પ્રાપ્ત થઈ તે સમયે મહાનિધિ પ્રાપ્તિની ઉપમાથી મહાવ્રત અંગીકાર કર્યા. કંઈક અધિક નવ મહિના વીત્યા પછી પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ સુનંદાએ સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યો. તે સમયે નજીકના પાડોશની સ્ત્રીઓ અને બહેનપણીને સમુદાય એકઠો થઈ પરસ્પર કહેવા લાગી કે, “જે આના પિતાએ દીક્ષા અંગીકાર કરી ન હોત, તે આ પુત્રને માટો જન્મોત્સવ ઉજવતે, તરત જનમેલો હોવા છતાં તીવ્ર વિચાર શક્તિવાળા આ બાળકે સ્ત્રીઓના વાર્તાલાપ સાંભળી વચ્ચે દીક્ષાશબ્દ સાંભળે. જેથી બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું અને વિચારવા લાગ્યા કે, “નેહવાળી માતા મને સીધી રીતે તે દીક્ષા લેવા નહીં દે, માટે તેને ઉદ્વેગ મનવાળી કરુ”-એમ વિચારી ખૂબ પહેલું મુખ કરીને એવી રીતે રુદન કરવા લાગે છે, જેથી માતા બેસી ન શકે, ભેજન ન કરી શકે, ઉંઘી ન શકે, કે સુખથી ઘરનાં કોઈ કાર્યો ન સંભાળી ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy