SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પુંડરીક- કંડરીક-કથા [ ૧૬૭ - રાજભુવનમાં આહાર ગ્રહણ કરવાના કારણે સુખશીલપણું આવી ગયું, તેમ જ ભોજન-વિધાનથી સાધુધર્મમાં પણ શિથિલતા-પ્રમાદ આવી ગયા. સહવાસી સર્વ સાધુઓ વિહાર કરી ગયા, તો પણ હવે નિરોગી થયા છતાં બહાર વિહાર કરવાની ઈચ્છા કરતા નથી. રાજાએ પણ જાણ્યું કે, “આ અહિ રહે તે સારું ન કહેવાય.’– એમ વિચારીને રાજાએ કંડરીકમુનિને કહ્યું કે, “તમે તો ખરેખર ધન્ય અને દુષ્કરકારી છે કે, રાજલક્ષ્મી મળવા છતાં પણ તેને ત્યાગ કર્યો. તથા કુટુંબાદિકના પરિવારથી હળવા બની દેશ-દેશાવરમાં વિહાર કરો છો.” રાજાનું ચિત્ત સમજીને લજજાવાળો બની બહાર વિહાર કરવા માટે નીકળ્યો, તે પણ ભગ્ન-પરિણામવાળે હવે ક્ષુધા, તૃષા વગેરે પરિષહ સહન કરવા માટે સમર્થ થઈ શકતો ન હોવાથી ફરી પણ કેટલાક દિવસ પછી તેની નગરી નજીક આવી પહોંચ્યો. અનુક્રમે રાજાના ગૃહ-ઉદ્યાનમાં આવ્યો. ધાવમાતાએ જે, એટલે રાજાને સમાચાર આપ્યા. રાજા વિચાર કરે છે કે, “આ પ્રવ્રયા છોડવાની ઈચ્છા કરે છે, તે અકાય છે. કોઈ પ્રકારે તે છોડવા જ તૈયાર થયે છે. જે કઈ પ્રકારે હજુ પણ સ્થિર બની જાય”—એમ ધારી પોતે જ વિભૂતિ-સહિત આવી ત્રણ પ્રદક્ષિણા આપીને વંદના કરી, તથા તેમના સાધુપણાની પ્રશંસા કરી ખરેખર તમે ધન્ય છે, કૃતકૃત્ય છે કે, જે આપે પ્રત્રજ્યા અંગીકાર કરી છે. હું કે પાપી છું? કે, નરકના દ્વાર સમાન આ રાજય છોડવાના મનવાળે થતું નથી.” આ પ્રમાણે પ્રત્રજ્યા ટકાવવા માટે ઘણા ઉત્સાહિત કર્યો, પરંતુ તેણે સજજડ શ્યામ મુખ કરતાં રાજાએ તેને કહ્યું કે, “શું તારે રાજ્ય જોઈએ છે?” ત્યારે જવાબ ન આપતાં મૌન રાખ્યું-એટલે મોટાભાઈ પુંડરીક રાજાએ રાજ્ય તેને ભળાવી દીધું અને કેદીના હાથપગમાં બેડીનું બંધન હોય અને જેમ તેનાથી મુક્ત થાય અને જે આનંદ તે મુક્ત થયેલાને થાય, તેવા આનંદથી રાજાએ પણ રાજબંધનનો ત્યાગ કરી કલ્યાણના ક૯૫વૃક્ષ-સમાન તેનું શ્રમણ-ચિ–રજોહરણ અને લિંગ (મુનિષ) પોતે ગ્રહણ કર્યો. (૧૦૦) - હવે પુંડરીક રાજાએ મુનિવેષ સ્વીકારી અભિગ્રહ કર્યો કે, “ગુરુનાં દર્શન કર્યા સિવાય મારે ભોજન ન કરવું.” આવો અભિગ્રહ ગ્રહણ કરીને પ્રયાણ કર્યું, તે ત્રીજા દિવસે ગુરુ પાસે પહોંચી, તે દિવસે દીક્ષા ગ્રહણ કરી. રાજશરીર હોવાથી અનુચિત ભજનના કારણે તે રાત્રે અસાધ્ય વિસૂચિકા (ઝાડાનો રોગ) ઉત્પન્ન થયા અને અત્યંત વિશુદ્ધ પરિણામવાળા તે મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં અત્યંત રૂપવાળા તેત્રીશ સાગર આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. - હવે રાજ્યગાદી પર આવેલ કંડરીક મસાણુના કંઈક બળેલા લાકડા સમાન, જેની આજ્ઞા કઈ માનતા નથી, દરેક તેની આજ્ઞાનો કેર માફક ત્યાગ કરે છે. હવે તીવ્ર સુધાથી પરાભવિત થયેલો તે રસોયાને આજ્ઞા કરે છે કે, “અહિં જેટલા પ્રકારની ભોજનની વાનગીઓ તૈયાર કરી શકાતી હોય, તે એકે એક વાનગીઓની ભજનવિધિ મારા માટે તૈયાર કરે. હવે ભેજન–સમયે ભોજન-વિધિમાં સર્વ વાનગીઓ હાજર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy