SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ રાજર્ષિ શાલ, મહાશાલ અને ગાગલિ [ ૧૬૩ એ પ્રમાણે ભગવંતના મુખથી ધર્મ સાંભળીને ભાલતલ પર હસ્ત-કમળથી અંજલિ કરી પ્રણામ કરવા પૂર્વક શાલરાજાએ ભગવંતને વિનંતિ કરી કે, “હે ભગવંત ! યુવરાજ મહાશાલ કુમારને રાજ્યાભિષેક કરીને હું આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ.” ત્યાર પછી પોતાના ભવને જઈને મહાશાલ કુમારને આજ્ઞા કરી કે, તું આ રાજ્ય ગ્રહણ કર, હું તે આજે દીક્ષા અંગીકાર કરીશ.” ત્યારે નાનાભાઈએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, જેમ આ૫ રાજ્યને અસાર ગણી તેનો ત્યાગ કરો છો, તેમ હું પણ તેનો ત્યાગ કરવા ઈચ્છા રાખું છું. બંને વૈરાગ્ય પામેલા હોવાથી કાંપત્યનગરથી ગાગલિ ભાણેજને બોલાવી રાજ્ય અર્પણ કર્યું. તે રાજાએ પણ પોતાના મામાઓને માટે અતિવાત્સલ્યતાથી બે હજાર મનુ વહન કરી શકે, જેમાં ઉપરના ભાગમાં સિંહાસન પણ બનાવેલું છે, તેવી શ્રેષ્ઠ શિબિકાઓ તૈયાર કરાવી. તેઓ તેમાં સિંહાસન પર વિરાજમાન થયા અને નિષ્ક્રમણ-સમયે તેઓએ વિવિધ પ્રકારનાં ઉજજવલ વસ્ત્રો પહેર્યા હતાં. બાવનાચંદનથી તેમના શરીરે વિલેપન કર્યું હતું. સિંહાસન પર બેઠા હતા, ત્યારે એમ જણાતું હતું કે, જાણે ઉદયાચલ પર્વત ઉપર સૂર્ય અને ચંદ્ર શોભતા હોય-તેવી શોભા પામતા હતા. પોતાની શરીર-કાંતિથી સમગ્ર દિશા–વલયોને પ્રકાશિત કરતા હતા. અતિજોરથી વગાડાતા ઢેલ તથા વાજિંત્રોના શબ્દોથી આકાશ પૂરાય તેમ વરઘોડો ચાલતો હતો. તેવી રીતે ભગવંતના ચરણકમળ પાસે પહોંચીને ત્રણ પ્રદક્ષિણા આપી, નમસ્કાર કરીને તેઓએ વિધિ પૂર્વક પ્રવજ્યા અંગીકાર કરી. યશામતિ પણ ઉત્તમ શ્રાવિકા બની. શાલ, મહાશાલ બંનેએ અગિયાર અંગોને અભ્યાસ કર્યો. હવે કઈક સમયે વીર ભગવંત રાજગૃહથી વિચરતા વિચરતા ચંપ નગરીએ પધાર્યા, ત્યારે તે સમયે આ બંનેએ વિનંતિ કરી કે, “અમે આપની અનુજ્ઞાથી પૃષચંપાએ જઈએ. અમારા સંસારપક્ષના કેઈક કદાચ પ્રત્રજ્યા અંગીકાર ન કરે, તે પણ સમ્યક્ત્વ તો પામશે.” સ્વામી તે જાણે છે કે નક્કી તેઓ પ્રતિબંધ પામશે, એટલે સહાયક તરીકે શ્રીગૌતમસ્વામીને આપ્યા. ભગવંત ચંપાનગરીએ અને ગૌતમસ્વામી પૃષ્ઠચંપામાં ગયા. ત્યાં જિન-પ્રણીત ધર્મનું તેઓએ શ્રવણ કર્યું. ગાગલિએ પુત્રનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી શાલ, મહાશાલ અને નવદીક્ષિત ગાગલિ એમ ત્રણેય અતિસંવેગ પામ્યા અને સર્વવિરતિના પરિણામની ધારા પણ વૃદ્ધિ પામવા લાગી. ગૌતમસ્વામી તે ત્રણેને સાથે લઈને જ્યારે માર્ગમાં જતા હતા, ત્યારે શાલ-મહાશાલને ઉત્કૃષ્ટ હર્ષ થયે કે-(૪૦) આવા પ્રકારના શુદ્ધ ભાવથી અમને સંસારથી ઉદ્વર્યા–એમ વિચારતાં તેમને કેવલજ્ઞાન થયું. ત્રીજાને એવા પ્રકારનો ભાવ થયો કે, તેઓએ દીક્ષા લેતી વખતે મને રાજ્યગાદી આપી અને વળી દીક્ષા પણ આપી, આના સરખા બીજા કોણ ઉપકારી હોઈ શકે? આવા શુદ્ધ ધ્યાનની શ્રેણી પર ચડ્યા. એટલે તેમનાં ઘાતકર્મો નાશ પામ્યાં અને મનોહર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્ણ કેવલજ્ઞાન પામ્યા પછી તેઓ ભગવંતની પાસે જવા માટે ચંપાપુરી તરફ ચાલ્યા. ગૌતમસ્વામીની પાછળ પાછળ ચાલતા તેઓ કાલક્રમે સમવસરણમાં ત્રણ પ્રદક્ષિણા આપી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy