SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] ઉપદેશપદ-અનુવાદ સિંહ સમાન તે ભગવંત વૈક્રિયલબ્ધિવાળા હોવાથી વિચાર્યું કે, “બીજા કેઈ ઉપાયથી આને પ્રતિબોધ કરી શકાય તેમ નથી, તો તેને અધિકતર લોભ-સ્થાન બતાવું.” એમ વિચારી કહ્યું કે, “પિતાના કિરણ-સમૂહથી આકાશના છેડા સુધી વિવિધ આશ્ચર્યકારી રંગવાળો મેરુપર્વત તને બતાવું. સુંદરીના વિરહને ન સહી શકતે તે સ્વીકારતો નથી. મુહૂર્ત પછી તેણે કહ્યું કે, “હું અહીં આવતો રહીશ” એમ કહે છેએટલામાં હિમવાન પર્વત વિદુર્વી એક વાનર–યુગલ વિકુવ્યું. બીજા આચાર્યો કહે છે કે, “સર્વ બાજુ ભય વિતુર્થી.” ત્યાર પછી મુનિએ કહ્યું કે, “સુંદરી અને વાનરી બેમાં વધારે સુંદર કોણ?” પેલાએ કહ્યું કે, “આ બેમાં ઘણું જ અઘટતું દેખાય છે. ક્યાં મેરુ અને ક્યાં સરસવ? એમ કહ્યું, એટલે તેણે વિદ્યાધર–યુગલ બતાવ્યું. તેમાં પૂછયું કે, બેમાં કેનું રૂપ ચડે? જાતિવિશેષથી બંને લગભગ સમાન દેખાય છે. ત્યાર પછી દેવયુગલ વિકવ્યું, એને સાધુએ બતાવીને પૂછ્યું, એટલે નંદે કહ્યું કે, “હે ભગવંત આ વાનરી નથી, પરંતુ બે સમાન છે. મુનિએ કહ્યું કે, “આ થોડા ધર્મના પ્રભાવથી દેવ થયા. એટલે તે શ્રાવક થયે. ત્યાર પછી સુંદરી ઉપર મમત્વભાવ છેદાઈ ગયો અને દીક્ષા લીધી. શ્રમણ્યમાં અનુરાગવાળો બની મોક્ષમાર્ગની આરાધનામાં તત્પર બન્યો અને તેના પરિણામથી ભગ્ન ન બન્યો. મુનિની આ પરિણામિકી બુદ્ધિથી તેવા પ્રકારના જીવોને વૈરાગ્યમાર્ગ પમાડી નિરવદ્ય ગુણવાળી દીક્ષા સુધી પહોંચાડ્યો. (૨૧) ગાથા અક્ષરાર્થ–નાસિક નગરના સુન્દરીનન્દ નામના દ્વારમાં તેના ભાઈ મુનિ થયા હતા. તેને પ્રતિબંધ પમાડવા માટે ભેજન–સમયે ભિક્ષા–પાત્ર તેના હાથમાં સમર્પણ કર્યું. બંને ભાઈઓ નગર બહાર પાત્રા સાથે આવ્યા. પછી તેને મેરુપર્વત પર લઈ જવા પ્રયત્ન કર્યો. વાનર-વાનરી બતાવ્યા, પછી વિદ્યાધરી, અપ્સરા બતાવ્યાં. ત્યાર પછી શ્રુત-ચારિત્ર લક્ષણ ધર્મને વિષે તેની પ્રતીતિ થઈ. (૧૪૧) ૧૪૨–લોકોને આશ્ચય કરાવનાર દેવસમૂહવાળા સૌધર્મ દેવલેકમાં અતિઉત્તમ ચરિત્ર વાળા શક્રેન્દ્ર હતા. પૂર્વાદિક ચારે દિશામાં પિતાનાં સ્થાન કરેલાં છે, એવા સેમ, યમ, વરુણ, તથા કુબેર નામના અનુક્રમે ઈન્દ્રના ચાર લોકપાલે છે. તેમાં કુબેર નામના ચોથા વૈશ્રમણ લોકના પરિચયવાળા, તેમજ વૈભવમાં સમાન જેણે અસાધારણ મનને નેહ સમર્પણ કર્યો હતો, તેવો દેવતા હતો. આ બાજુ સિદ્ધાર્થ રાજાના પુત્ર જ્ઞાનકુલમાં પૂર્ણિમાના ચંદ્ર સરખા ઉજજવલ મહાયશને ફેલાવનાર શ્રી વર્ધમાન જિનેશ્વર ભગવંત હિમાલય પર્વતની ઉત્તરદિશામાં રહેલા, પૃષ્ઠચંપાપુરી નગરીમાં ખૂણામાં રહેલા, સારા ભૂમીના ભાગવાળા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. દુઃખથી તપી રહેલા જીવને શરણ સમાન જગતની લક્ષ્મીના વિશ્રામધામ સમાન એવું દેવો અને અસુરોએ સમવસરણ બનાવ્યું. ત્યાં આગળ રાજાઓની વિશાળ નીતિઓનું પાલન કરનાર પ્રસન્નચંદ્ર રાજાને પ્રથમ પુત્ર શાલ નામનો હતો, તેનો મહાશાલ નામનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy