SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ] ઉપદેશપદ-અનુવાદ ચાણક્ય હિમવાન પર્યંતની તળેટી પાસે ગયા. ત્યાં પર્વતક નામના રાજા સાથે ગાઢ મૈત્રી બાંધી. તેને કહ્યું કે, • સમય આવશે, ત્યારે પાટલિપુત્રમાં નોંદરાજાને સ્વાધીન કરીશું, જિતીશું એટલે સરખા ભાગે અને વહે'ચી લઈશું.' ત્યાર પછી તરત જ પ્રયાણુ આરલ્યુ. અને નગર, ગામ વગેરે સ્થળમાં નિયમ પ્રમાણે શકાતા રોકાતા અને સ્વાધીન કરતા કરતા આગળ વધ્યા. એક જગેા પર એક નગર સ્વાધીન થતું નથી. સજ્જડ પુરુષાર્થ કરવા છતાં પણ કેમ પડતું નથી ? તેથી એ પરિવ્રાજક સન્યાસીએ અંદર જઈને તપાસ કરી, તે કેટલીક વસ્તુએ તપાસતાં ત્યાં પાર્વતીના રૂપ સરખી ઈન્દ્રકુમારીની મૂર્તિએ દેખી. તેના પ્રભાવના કારણે તે નગર કઈ પ્રકારે સ્વાધીન થતું કે પડતું નથી. કપટથી તે મૂર્તિઓ ખસેડાવી અને મગાવી લીધી-એટલે તે નગર તરત જ સ્વાધીન થયું. ત્યાર પછી પાટલિપુત્રને ઘેરો ઘાલ્યા અને મેાટુ યુદ્ધ જામ્યું. તે આ પ્રમાણે— કોઈક સ્થાને તીક્ષ્ણ ભાલાએ ફૂંકાતાં હતાં, કાઇક સ્થાનમાં ઘણા લેાકને સહાર કરનારાં યંત્રાના સમૂહો ફેકાતા હતા, કયાંક નગરના લેાકેાએ બનાવરાવેલા વિશાળ દરવાજાનાં કમાડા કઠિન કુહાડાના પ્રહારથી સખ્ત તાડેલા ભાંગી ગયાં હતાં. યમરાજાની જીભ સરખી શક્તિ (નામનાં હથિયારા) જ્યારે શક્તિવાળા પરાક્રમી પુરુષોના હાથથી છેડવામાં આવતી હતી, ત્યારે અનેક શત્રુજના ઉપર પડતી હતી અને તેએ તરત જ યમરાજાના પુરાણાએ મનતા હતા. મોટા પર્વતના શિખર સરખાં ઊંચાં એવા કાટનાં શિખરે વીજળી પડવાથી જેમ તેમ ધરણી ઉપર-નીચે પડતાં હતાં. કાન સુધી ખે’ચેલા ધનુષદ ડથી છેડેલી ખાણશ્રેણિએ ખંનેના સૈન્યાના મનુષ્યેાના પ્રાણાને પ્રલય પમાડનારા થાય છે. વિવિધ પ્રકારના આકારને ધારણ કરનારા કિલ્લાએ ખંડિત થઈ પડી જાય છે. સેકડા સુરગા ખાદાય છે, પત્થર સરખાં શસ્ત્રો અને પાષાણાના ઢગલાએ પડે છે. આવા પ્રકારનાં યુદ્ધ ચાલતાં હતાં-એમ કેટલાક દિવસા પસાર થયા, પછી નંદરાજાનું સન્ય ભગ્ન થયું અને નંદરાજાએ 'ધ દ્વાર માગ્યું. ત્યારે કહ્યુ કે, 'એક રથથી તમારાથી જેટલુ' લઈ જઈ શકાય, તેટલું ગ્રહણ કરો. ’ એટલે ન`દરાજા એ ભાર્યાઓ, એક કન્યા અને કેટલુંક ધન ગ્રહણ કરીને જ્યાં નગર-દરવાજે પહેાંચ્યા; એટલામાં કન્યાની ઘણા વિલાસવાની દૃષ્ટિ ચંદ્રગુપ્ત ઉપર પડી. પિતાએ તેની સાથે જવા અનુમતિ આપી. જેટલામાં કન્યા રથ ઉપર ચડવા લાગી, એટલામાં ચંદ્રગુપ્ત સંબધી જે રથ હતા, તેના નવ આરા ક્ષણવારમાં ભાંગી ગયા-એટલે ચંદ્રમુખ સરખા ચંદ્રગુપ્ત પ્લાન મુખવાળા થયા. ચાણકયે તેને કહ્યું કે, • તેને રથમાં ચડતી રાક નહિં. કારણ કે, નવ પાટ-પરંપરા સુધી તારા વશમાં સ્ફુરા ૧ ધ દ્વાર સ્થાનિક રાજા માગે, ત્યારે પાતે એક રથમાં જેટલું સમાય તેટલું ધન વગેરે સામગ્રી અને પેાતાના સ્વજને લઈને જાય તા, તેને નિયપણે બહાર લઇ જવા દેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy