SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્ય, ચંદ્રગુપ્તની કથા. [ ૧૫૧ વગર કેળવાયેલા લેકએ એકઠા મળીને કુસુમપુર નગરને ઘેરી લીધું, પરંતુ નંદરાજાએ થોડા સિન્ય– પરિવારવાળા તેને એકદમ પલાયન કરાવ્યો. સમય સમજનાર ચાણક્ય ચંદ્રગુપ્તને એક કમલપત્ર મસ્તક–પ્રદેશ ઢાંકવા માટે આપ્યું અને પદ્મસરોવરમાં તેને મક. એવી રીતે સવારમાં સંતાડ્યો છે, જેથી તેને અંદર કોઈ જાણે કે દેખી ન શકે. પોતે જંગલ જઈ સરોવરના કિનારે શાચ કરવા લાગ્યું. જ્યારે કોઈએ પૂછ્યું કે, “અરે! અહીંથી ચાણક્ય ક્યાં ગયે ? તેનું સ્વરૂપ જાણે ન જાણતો હોય, તેમ અજાણ્યો બની કહ્યું કે, તે કયારને ય આગળ ચાલ્યો ગયે.” બીજા આચાર્યો એમ કહે છે કેસરેવરને કિનારે તે ચાણક્ય જાતે બેબી બનીને વસ્ત્રો ધાવા લાગ્યા. પ્રધાન અશ્વના ઉપર આરૂઢ થયેલા એક અશ્વસ્વારે માર્ગમાંથી નજીક આવીને ધોબીને પૂછ્યું કેચંદ્રગુપ્ત કયાં છે?” ત્યારે સમયબલને વિચાર કરીને કહ્યું કે, “ચંદ્રગુપ્ત આ તળાવના મધ્યભાગમાં રહે છે અને ચાણક્ય તે કક્ષારને ય પલાયન થઈ ગયા છે. પિલા અધસ્વારે પણ ઘેડો તેના હાથમાં સંખ્યા અને તરવાર ભેાંય પર મૂકીને જેટલામાં પાણીમાં પ્રવેશ કરવા માટે તે કપડાં ઉતારે છે અને કંચુક નીચે મૂક્યા, એટલામાં તેની જ તરવાર લઈને ચાણક્ય તે અશ્વસ્વારને મર્મ પ્રદેશમાં હો, જેથી તે મૃત્યુ પાયે અને એ જ અશ્વ ઉપર ચંદ્રગુપ્તને સરોવરમાંથી બોલાવી બેસાર્યો અને પોતે પણ તે જ ઘોડા ઉપર બેસી આગળ ચાલ્યો જાય છે, ત્યારે કેટલેક માર્ગ કપાયા પછી ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછયું કે-“જે વખતે વેરી પુરુષને મેં તને બતાવ્યો, તે સમયે મારા વિષયક તને મનમાં શે અભિપ્રાય આ ?” (૫૦) પ્રત્યુત્તર આપતાં ચંદ્રગુપ્ત જણાવ્યું કે, “આર્ય વડિલ પુરુષે સર્વ ભદ્ર જ કાર્ય કરે અને તે જ હિત જાણે અને કરે.” ચાણક્યને હવે ખાત્રી થઈ કે, “આને મારામાં પૂર્ણ વિશ્વાસ છે.” હવે કઈક સમયે સુધાવેદના અનુભવતા ચન્દ્રગુપ્તને ગામની બહાર સ્થાપન કરીને કઈક ગામમાં તેના ભોજન માટે ગયો. ગામમાં જતાં બીક લાગે છે કે, કદાચ નંદ નરેન્દ્રને કોઈ માણસ મને જાણી જશે, તો પકડી લેશે.” ગામમાં જતાં એક તરતના જમેલા અને બહાર જતા એક બ્રાહ્મણને દેખે. તેનું પેટ ફાડીને અંદર તરતની ખાધેલી દહીંની ઘેંશ જે હજી તાજી જ હતી, પણ વિણસી ન હતી, તેને કાઢી જમાડ્યો અને પછી બીજા ગામે પહોંચ્યા. રાત્રે ભિક્ષા માગવા માટે ચાણક્ય એક ડોશીને ત્યાં ગયે. તેના ઘરમાં મોટા થાળની અંદર ઘણા છોકરાને એક સાથે બેસીને ખાવા માટે રાબ પીરસી. તેમાં એક ચપળ છોકરાએ વચમાં હાથ નાખે, જેથી દાઝળ્યો અને રુદન કરવા લાગ્યા. ડોસીએ તેને ઠપકો આપતાં કહ્યું કે, “તું ચાણક્ય જે મૂર્ખ જણાય છે. ચાણયે ઘરડી ડોસીને કારણ પૂછયું, તે તેણે કહ્યું કે, “પહેલાં પડખે ઠંડી પડી હોય, તે ખવાય, ત્યાર પછી વચલી ઠંડી થાય, ત્યારે રાબ ખવાય.” ત્યારે ચાણક્ય સમજે કે, પ્રથમ પડખાનાં-છેડાનાં ગામે સ્વાધીન કર્યા પહેલાં વચલા ગામે સ્વાધીન કરી શકાતા નથી. વચલું કુસુમપુર ત્યારે જ સ્વાધીન કરી શકાય કે, જે પડખાના-છેડાના આસપાસનાં ગામો પ્રથમ સ્વાધીન કરાય તો. ત્યાર પછી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy