SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્ય, ચંદ્રગુપ્તની કથા [ ૧૫૩ યમાન સત્ત્વવાળા રાજપુરુષે રાજ્ય કરશે. નગરના મધ્યભાગમાં ગયા પછી રાજ્યના બે ભાગો સ્થાપન કર્યા. અહીં નંદના મહેલમાં નંદરાજાની એક વિષભાવિત દેહવાળી, સ્પર્શવિષવાળી (ઝેરવાળી) કન્યા હતી. (૭૫) તે પર્વતરાજા પાસે ગઈ, તેને પણ પરણવાની ઈચ્છા થઈ, તે તેને અર્પણ કરી. વિવાહવિધિ શરૂ કર્યો, ત્યારે અગ્નિ પ્રગટાવ્યો અને જ્યારે પર્વતરાજાને કન્યા સાથે હસ્તમેળાપ (વખતે) સ્પર્શ કરાવ્યો, તેથી રાજાના શરીરમાં ઉગ્ર વિષ વ્યાપી ગયું. “હે મિત્ર! હું મરી જાઉં છું, માટે તેનો પ્રતિ. કાર કર” ચંદ્રગુપ્ત જ્યાં તેને આદર કરવા તૈયાર થયો, એટલે ચાણયે ભયંકર ભકુટી ચડાવી અટકાવ્યું. તરત જ ચંદ્રગુપ્ત પાછો વળે અને પેલે પર્વતરાજ વિષકન્યાના સ્પર્શના ઝેરથી મૃત્યુ પામ્યો. એટલે હવે બંને રાજ્ય સુખેથી તેની માલિકીનાં થયાં. હવે નંદરાજાના પરિવારના પુરુષો ચંદ્રગુપ્ત પાસેથી આજીવિકા ન મેળવવાથી તે જ નગરમાં વારંવાર ચોરી કરવા લાગ્યા. (૮૦) હવે ચાણક્ય એક સખત ચોર પકડનાર આકરા પુરુષને શોધતો હતો, ત્યારે નગર બહાર પરિભ્રમણ કરતાં કરતાં તેણે એક નલદામ નામના કલિકને દેખે. તે જ્યારે પિતાનું ઘર બનાવતો હતો, ત્યારે તેના પુત્રને ઘીમેલ સરખા તીર્ણ મુખવાળી કીડીઓએ ડંખ આપ્યા. એટલે તેના ઉપર નલદામ અત્યંત ક્રોધે ભરાયો અને તે કીડીઓનું મૂળ-ઉત્પત્તિસ્થાન ક્યાં છે? તેનું દર કિશથી ખોદીને અગ્નિદાનથી સર્વથા બાળી નાખ્યું કે, “હવે ફરીથી નવી કીડીઓ ઉત્પન્ન ન થાય.” ચાણક્ય વિચાર્યું કે, “આના કરતાં બીજો કોઈ મારા ચિતવેલા કાર્ય માટે સમર્થ નથી.” એ પ્રમાણે ત્રિદંડી ચાણયે તે નલદામને રાજા પાસે બોલાવ્યો અને કુસુમપુર નગરનું રક્ષણ કરનાર પદ અર્પણ કર્યું. તેણે વિશ્વાસ પમાડેલા ચોરી કરનારા કુટુંબને ઝેર ભેળવેલાં ભેજન આપીને સમગ્ર કુટુંબ સહિત તેમને મારી નાખ્યા. આખું નગર ચેરી વગરનું કર્યું. ભિક્ષુકપણમાં જે ગામમાં ભિક્ષા મેળવી ન હતી, તે ગામમાં ચાણક્ય પિતાની આજ્ઞા તીવણપણે પ્રવર્તાવવા ઈચ્છતો હતે. ત્યાં આવા પ્રકારની આજ્ઞા આપતું કે, “વાંસના ઝુંડને ફરતી આંબાના વૃક્ષની વાડ કરવી.” આવી આજ્ઞાથી ગામડિયાઓ વિચારવા લાગ્યા કે, “આ કેમ ચગ્ય ગણાય? રાજકુલને આ હુકમ હોય નહિં, માટે વાંસ કાપીને આંબાના વૃક્ષની વાડ બનાવીએ.” એમ વાડ બનાવી. વિપરીત આજ્ઞા કરનારનો દોષ ઉભો કરીને દરવાજા બંધ કરીને બાળક–વૃદ્ધ સહિત આખું ગામ ચતુર બુદ્ધિવાળા પાપી ચાણયે બાળી મૂક્યું. રાજ્યને ભંડાર ભરવા માટે જુગાર રમવાના એગિક પાસાઓથી દરેકને જિતને ઘણું ધન એકઠું કર્યું, તે હકીકત આગળ કહેલી છે. હવે તે વાત જુની થયેલી હોવાથી કેષની વૃદ્ધિ કરવા માટે બીજો ઉપાય ચાણક્ય વિચારવા લાગ્યો, ત્યાર પછી નગરના પ્રધાન પુરુષોને ભજન-સમારંભમાં બોલાવી ભોજન અને મદિરાપાન કરાવ્યાં. તેઓ જ્યારે મદિરાપાન કરી મત્ત બની ભાન ગુમાવ્યું, ત્યારે એકદમ નાચ કરવા લાગ્યા, તથા ગીત ગાવા લાગ્યા. તે આ કામે ધ્રુવક કહેવા લાગ્યા. પ્રથમ ચાણયે આ પ્રમાણે કહ્યું કે, “મારી પાસે બે ભગવા રંગનાં વસ્ત્રો છે, સુવર્ણમય કુંડિકા ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy