SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્યની કથા. [ ૧૪૯ સમાન જ થશે. એ પ્રમાણે આચાર્ય ભગવંતે કહ્યું. ચણિપુત્ર હોવાથી તેનું “ચાણક્ય” એવું નામ સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યું. સારાં લક્ષણો ધારણ કરનાર એ તે અનુક્રમે માટે થવા લાગ્યા. બાલભાવ પૂર્ણ થયા પછી તેણે વિદ્યાનાં સ્થાને અભ્યાસ કર્યો. શ્રાવકપણું પામ્ય, ભવથી નિર્વેદ-વૈરાગ્ય પામ્યો, તેને અનુરૂપ અતિભદ્રક બ્રાહ્મણવંશમાં જન્મેલી એક કન્યાની સાથે તેણે લગ્ન કર્યું. સંતોષથી આનંદિત મનવાળે તે રહેતો હતો. નિષ્ફર પાપકા છોડવા હંમેશાં ઉઘુક્ત રહેતો હતો. હવે કઈક સમયે તેની ભાર્યા પિયરમાં લગ્નોત્સવ–પ્રસંગે ગઈ હતી. ઘણું લાંબા સમયે બીજી પણ સ્નેહ રાખનારી બહેને આ વેલી હતી, પરંતુ તેઓ સમૃદ્ધિશાળી કુળમાં પરણાવેલી હોવાથી સુંદર કિંમતી સારા અલંકારોથી અલંકૃત થયેલી શોભા પામતી હતી. “ખરેખર વૈભવ જેને ચાલ્યો ગયે હેય, તેવાને પિતાની પત્ની પણ છોડી દે છે.” સર્વાગે અપૂર્ણ એવી અમાવાસ્યાની રાત્રિ ચંદ્ર સાથે સંબંધ કરે ખરી?’ એ વચનને અનુસરીને તેના સર્વ પરિવારે ચાણક્યની પત્નીને નિર્ધન પતિવાળી હવાથી ખૂબ અપમાનિત કરી. સમૃદ્ધિશાળી બહેને ગૃહદેવતાની જેમ પુષ્પ, તબલ, વસ્ત્ર, શણગાર આદિથી પોતાના શરીરને સુંદર બનાવીને પ્રસંગે પ્રસંગે આનંદથી ભ્રમણ કરતી હતી. “એક માતા તથા એક પિતા હોવા છતાં પણ હું તેમનાથી પરાભવ પામી “જગતમાં એક વૈભવને છેડીને બીજે કોઈ પદાર્થ વલ્લભ હેતો નથી. આ પ્રમાણે હૃદયમાં મરવાનું દુઃખ ધારણ કરીને ચાણક્યને ઘરે પાછી આવી, ત્યારે રુદન કરવા લાગી. અતિ આગ્રહથી પૂછયું, ત્યારે તેણે બનેલે વૃત્તાન્ત કહ્યો. દુનિયામાં સ્ત્રીને પરાભવ અસહ્યા છે. તેથી તરત જ તે ધન શેધવા માટે તૈયાર થયે. તે વખતે પાટલિપુત્રમાં નંદરાજ બ્રાહ્મણોને દક્ષિણ આપતો હતો. તે ત્યાં ગયો, ત્યારે પહેલાં થયેલા કમ સર નંદ રાજાઓનાં સર્વ આસનો કાર્તિક અમાવાસ્યાના દિવસે નિયત કરી સ્થાપન કર્યા હતાં. તેમાં જે પ્રથમ આસન હતું, ત્યાં તેવા પ્રકારની લગ્નશુદ્ધિ હતી, તે ધારીને તે એકદમ તે ઉપર બેસી ગયો. તો એક સિદ્ધપુત્રે કહ્યું કે-“આવેલા આ બ્રાહ્મણે નંદના વંશની સર્વ છાયાને પગથી ચાંપીને આકમી છે.” એટલે દાસીએ તેને કહ્યું કે, “હે ભગવંત ! તમે બીજા આસન ઉપર બેસે.” “ભલે તેમ થાઓ—એમ કહી ત્યાં પિતાની કુંડિકા(કમંડળ)ની સ્થાપના કરી. ત્રીજા આસન ઉપર દંડ સ્થાપ્યા, ચોથા ઉપર ગણેરિયા, પાંચમા ઉપર બ્રહ્મસૂત્ર, એ પ્રમાણે ઘણાં આસનોને રેકતા તે બ્રાહ્મણને ધીઠે જાણી અપમાનિત કરી વિદાય કર્યો. હજુ દેશાન્તરમાં જવા માટે પ્રથમ પગનું મંડાણ કરું છું, ત્યાં આમ થયું. તે સમયે નિર્ભય થઈ નિઃશંકપણે ઘણા લોકો સમક્ષ તે એમ કહેવા લાગ્યું કે-“કેશ અને સેવકોથી જેનું મૂળ મજબૂત છે, પુત્ર અને પત્નીઓથી જેની શાખાઓ વૃદ્ધિ પામેલી છે–એવા નંદરાજાને, જેમ ઉગ્રવાયુ મોટા વૃક્ષને ઉખેડી નાખે, તેમ હું તેના રાજ્યનું પરિવર્તન કરીશ.” ત્યાર પછી નગરમાંથી નીકળીને રાજપદ-ગ્ય પુરુષની શોધ કરવા લાગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy