SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] ઉપદેશપદ-અનુવાદ ગુણથી તેઓ રાત્રે બહાર ફરે છે, પરંતુ દિવસે સૂર્યની સામે નજર કરે તો, વનમાં રહેલા પશુ-પક્ષીઓ, વૃક્ષે સર્વે તેની દૃષ્ટિથી બળીને ભસ્મ બની જાય. તેઓ સર્પ ભાવમાં પણ હવે સમજ્યા પછી રખેને અમારાથી કઈ જીવ અજાણપણે મરી જાય-એમ ધારી રાત્રે જ પ્રાસુક અચિત્ત આહાર શેધી લાવે અને દરમાં વાપરે. હવે એવું બન્યું કે, તે દેશના રાજાના એક પુત્રને સાપે ડંખ માર્યો અને રાજપુત્ર મૃત્યુ પામ્યા, સર્પની જાતિ પર રેષ પામેલા રાજાએ હુકમ કર્યો કે, “જે કોઈ એક સર્પ મારે, તેને હું એક સેનામહોર આપીશ.” હવે સર્પ પકડનાર એક પુરુષે જંગલમાં તેને લિસોટો જોઈને તેના બિલ પાસે ઔષધિ મૂકી. એટલે સર્ષ ખૂબ જેર કરવા લાગ્યા કે, “મારું મુખ રખે બહાર કાઢું, કારણ કે, તેમ કરવાથી અનેકનાં મૃત્યુ થાય. દુષ્કર કાર્યવાળે હવે તે બિલમાં વાસ કરવા અસમર્થ બન્યો. છિદ્રમાં આગળ પૂછડી છે, ગારુડિક પૂંછડી ખેંચે છે. મારી દષ્ટિ કેઈના ઉપર ન પડે જેટલી બહાર પડે છે, તેટલા જ મૃત્યુ પામે છે. મૃત્યુ પામેલા સર્પ–કલેવરને રાજા પાસે લાવ્યા. મૃત્યુ પામી તે સર્ષ તપસ્વીનો જીવ રાજાની પ્રધાન પત્નીની કુક્ષીએ પુત્રપણે ઉત્પન્ન થયે. કારણ કે, દષ્ટિવિષ સરખા ક્રેધી ભવમાં તેણે ધનું ઝેર એકદમ દૂરથી અત્યંત રોકી રાખેલું હતું. ત્યાર પછી નાગદેવતાએ રાજાને પ્રતિબંધ પમાડ્યો કે, “ જે હવેથી સર્પો ન મારશે, તો તમને પુત્ર થશે” કાલક્રમે પુત્રને જન્મ થયો, મેટો મહત્સવ કર્યો. નાગદેવતાએ આપેલ હોવાથી તેનું નાગદત્ત એવું નામ પાડયું. બાલભાવ પૂર્ણ થયા પછી સાધુને દેખીને જાતિમરણ જ્ઞાન થયું. વિરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી. અતિશય સમતાધારી સાધુ થયો. આગલા તિયચભવના અનુભાવથી દરરોજ ખૂબ ભૂખ્યો થાય. સર્વ મુનિઓની હાજરીમાં એવો ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો કે, મરણતે પણ મારે ક્રોધ ન કર. પ્રભાત–સમયે અતિતીવ્ર સુધાથી લેવાઈ ગયેલા શરીરવાળે દેષિત આહાર ગ્રહણ કરવા ભિક્ષા ફરતો હતો. જેના ગચ્છમાં દીક્ષા લીધી છે, તે ગુરુના ગચ્છમાં તેવા આકરા તપ કરનારા સાધુઓ છે કે, જેમણે શરીરનું બળ તપસ્યામાં પૂર્ણ કર્યું છે. એવા એક, બે, ત્રણ અને ચાર માસના અનુક્રમે ચાર સાધુઓ હતા. હવે ત્યાં પ્રવચન ગુણના અનુરાગી એક શાસનદેવતા તે ચારે તપસ્વીઓને ઉલ્લુઘીને પેલા તપસ્વી નાના સાધુને વંદન કરતી હતી. આનંદિત હદયવાળી શરીરના કુશળ સુખ-શાતા પૂછતી હતી. કમસર તપસ્વીએ બેઠેલા હતા, તેમાંથી એક તપસ્વીએ કેધ અને ઈર્ષ્યાથી પેલી દેવતાને ઠપકો આપતાં કહ્યું કે, “અરે કટપૂતની! આ તપસ્વી સાધુઓના ચરણ પૂજવા લાયક છે. આ તપસ્વીઓને છોડીને ત્રણે કાળ ભજન કરનાર આ નાના સાધુને વંદન કરે છે !” (૨૫) દેવીએ કહ્યું કે, “હું આ ભાવતપસ્વીને વંદના કરું છું, આ સર્વે દ્રવ્યતપસ્વી છે. વિશેષ વૃત્તાન્ત પ્રભાત-સમયે પ્રગટ થશે.” હવે પ્રભાત-સમયે દેષિત આહાર માટે શ્રાવકોના ઘરે ઘરે ફરીને ઉપાશ્રય આવી ઈરિયાવહિયા પ્રતિક્રમીને, ભાત-પાણી આવીને તપસ્વીઓને જ્યારે નિમંત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy