SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] ઉપદેશપદ-અનુવાદ કહ્યું કે, “જ્ઞાનથી.” ક્યા જ્ઞાનથી ?” તો કે “ન પડે તેવા જ્ઞાનથી ? “અરે રે! મને ધિક્કાર થાઓ. અનાર્ય એવા મેં મહાસત્ત્વ એવા કેવલીની અશાતના કરી.” એમ કરીને આચાર્ય શેક કરવા લાગ્યા. ત્યારે સાલવીજીએ તેમને કહ્યું કે, “હે મુનિવર ! તમે શોક ન કરો. જે કેવળીને સામાએ ન જાણ્યા હોય, તે કેવલી પણ પહેલાની મર્યાદાવિનય–વેયાવચ્ચ વગેરે છોડતા નથી” એમ કહીને શેક બંધ કરાવ્યા. (૨૫) આટલા લાંબાકાળથી સુંદર ચારિત્ર પાલન કરવા છતાં પણ હું નિવૃતિ–મોક્ષ પામીશ કે નહિ ?” એવા સંશયવાળા આચાર્યને તે કેવળી સાધ્વીજીએ ફરી કહ્યું કે, “હે મુનીંદ્ર ! તમે મુક્તિ મળવાનો સંદેહ કેમ કરો છો ? તમે ગંગા નદી ઉતરતાં ઉતરતાં તરત નિવૃતિના કારણભૂત કર્મનો ક્ષય નક્કી કરશો જ.” એ સાંભળીને સૂરિ નાવડીમાં બેસીને ગંગાને પાર પામવા માટે નદી ઉલ્લંઘન કરવા લાગ્યા, પરંતુ આચાર્ય જ્યાં જ્યાં બેસે, ત્યાં ત્યાં કમ દેષથી નાવડીના ભાગે ગંગા નદીના ઉંડા જળમાં ડૂબવા લાગે છે, સર્વ વિનાશની શંકાથી નિર્યામકેએ નાવડીમાંથી અગ્નિકાપુત્ર આચાર્યને પાણીની અંદર ફેંકયા. (૩૦) હવે શ્રેષ્ઠ પ્રશમરસના પરિણામવાળા અતિ પ્રસન્ન ચિત્તવૃત્તિવાળા, પિતે સમગ્ર આસૂવદ્વારને બંધ કર્યા છે તેવા, દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે પરમ નિઃસંગતાને પામેલા અત્યંત વિશુદ્ધ ગુફલધ્યાનથી ક્ષય કરેલા કર્મવાળા, જળ-સંથારામાં રહેલા સર્વથા વેગને નિરોધ કરેલા-એવા તે આચાર્ય ભગવંતને નિર્વાણની પ્રાપ્તિ સાથે મનોવાંછિત પદાર્થની પણ પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે પિતાની પુત્રી પુષ્પચૂલાને સ્વમાં નરક અને સ્વર્ગ દેખાડતી દેવભાવ પામેલી દેવીની પરિણમિકી બુદ્ધિ સમજવી. (૩૪) અક્ષરાર્થ–પુષ્પવતી દેવીએ પુષ્પશૂલ અને પુષ્પચૂલા નામના પુત્ર-પુત્રીના યુગલને જન્મ આપે. ભાઈ-બહેનને ગાઢરાગ દેખવાથી માતા વિરુદ્ધ પિતાએ તેમનો વિયોગ ન થાય માટે બંનેને પરણાવી દીધા. તેના વૈરાગ્યથી માતાએ દીક્ષા લીધી અને દેવક પામી. પુત્રીને નરકનાં દુઃખો અને સ્વર્ગનાં સુખે સ્વપ્નમાં દેખાડ્યાં. તે નિમિત્તે પ્રતિબંધ પામી. સ્વમની હકીકત અગ્નિકાપુત્ર આચાર્યને પૂછી. તેથી પ્રતિબધ સમ્યફવપ્રાપ્તિ, પુછપચૂલાએ દીક્ષા લીધી. તેને કેવલજ્ઞાન થયું. ઈચ્છા મુજબ આચાર્યની ગોચરી કેવલજ્ઞાન-બળથી લાવી આપતી હતી. કેવલજ્ઞાન જાણ્યું–એટલે બંધ કરી. ગંગા નદી ઉતરતાં ઉતરતાં આચાર્યને કેવલજ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. ( ૧૩૧ ) ૧૩૨–શ્રી ઋષભસ્વામીને કેવલલક્ષ્મીની પ્રાપ્તિથી પ્રસિદ્ધિ પામેલી સમગ્ર નગરમાં સહુથી ચડિયાતી શ્રી પુરિમતાલ નામની નગરી હતી. ત્યાં હંમેશાં જેની રાજલક્ષ્મીને ઉત્તરોત્તર ઉદય થાય છે–એવા ઉદિતાદય નામને રાજા હતો અને તે નિરંતર જિનેશ્વર ભગવંતના ચરણકમળમાં પ્રણામ કરવામાં તત્પર રહેતો. તેને શ્રીકાન્તા નામની રાણી હતી કે, જે મિથ્યાત્વ–મેહના ઝેરને ઉપશાન્ત કરી જિનશાસને કહેલા આચાર સેવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy