________________
(૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણે, પુષ્પવતીની કથા
[ ૧૩૭
દુઃખ ભોગવતા નારકી જીવોની ભયંકરતા દેખાડી. દેખીને એકદમ સફાળી જાગી ઉઠી. રાજાને નારકીનો વૃત્તાન્ત જણાવ્યું. એટલે સમગ્ર પાખંડીઓને બેલાવીને પૂછયું કે, જેથી દેવીને પ્રતીતિ થાય. અરે! નરકે કેવી હોય? અને તેમાં કેવા પ્રકારનું દુઃખ હોય, તે તમે કહો. પોતાના મતાનુસારે તેઓએ નરકનો વૃત્તાન્ત જણાવ્યો. પરંતુ દેવીએ તેને સ્વીકાર ન કર્યો. ત્યાર પછી બહુશ્રત એવા અગ્નિકાપુત્ર આચાર્યને બાલાવ્યા કે, જેઓ તે જ નગરમાં રહેલા હતા. તેમને નરક-વૃત્તાન્ત પૂછતાં જે પ્રમાણે હતા, તે પ્રમાણે જણાવ્યું. ત્યાર પછી ભક્તિપૂર્ણ હૃદયવાળી પુષ્પચૂલાએ કહ્યું કે, “હે ભગવંત! શું આપે પણ સ્વપ્નમાં આ વૃત્તાન્ત જે ?” ગુરુએ કહ્યું કે, જિનેન્દ્ર-શાસનરૂપી દીવાના સામર્થ્યથી એવી કોઈ વસ્તુ નથી કે, જે ન જાણી શકાય, તે પછી નરકનો વૃત્તાન્ત જાણ, તે કયા હિસાબમાં ?” વળી બીજા કેઈ સમયે રાત્રિના અંત્ય સમયે તેની માતાએ સ્વપ્નમાં આશ્ચર્ય પમાડનાર વિભૂતિથી શોભાયમાન દેવ-સમુદાય સ્વર્ગમાં કેવાં સુખ ભોગવે છે? તે બતાવ્યું. પહેલાની જેમ ફરી પણ રાજાએ તે આચાર્યને હકીકત પૂછી. તેમણે પણ યથાર્થ સ્વર્ગનાં સુખ જણાવ્યાં, તેથી દેવી પુષ્પચૂલા અતિ હર્ષ પામી. તેમના ચરણમાં નમસ્કાર કરીને ભક્તિથી કહેવા લાગી કે, “નરકનાં દુઃખો અને સ્વર્ગનાં સુખોની સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થાય?” ગુરુએ કહ્યું કે, “હે ભદ્ર! વિષયભેગમાં આસક્તિ કરવી ઈત્યાદિક પાપથી નરકનાં દુઃખો અને તેવા પાપના ત્યાગથી સ્વર્ગસુખ મેળવી શકાય છે.” ત્યારે પ્રતિબંધ પામેલી ઝેર સરખા વિષયોના સંગને ત્યાગ કરીને પ્રવ્રયા અંગીકાર કરવા માટે રાજાની આજ્ઞા માગે છે. “તારે બીજા સ્થળમાં વિહાર ન કરવો, કદાપિ બીજે ન વિચરવું.” એવી પ્રતિજ્ઞાથી કોઈ પણ પ્રકારે વિરહથી દુઃખ પામેલા રાજાએ તેને રજા આપી. દીક્ષા ગ્રહણ કરીને વિચિત્ર આકરૂં તપ-કર્મ કરી પાપનો નાશ કર્યું. દુષ્કાળ સમયમાં આચાર્યનું જંઘાબલ ક્ષીણ થવાના કારણે પોતે વિહાર કરી શકતા નથી. એટલે સર્વે શિષ્ય-પરિવારને દૂરના સુકાળ પ્રદેશમાં મોકલી આપ્યા હતા. પોતે એકલા જ અહીં નગરમાં રહેલા હતા. તેમને રાજાના ભવનમાંથી અશન–પાન વહોરી લાવી આપે છે. એ પ્રમાણે સમય પસાર થઈ રહેલો છે. તે સમયે શુદ્ધતમ પરિણામની ધારા વધવાના ગે પુષ્પચૂલા સાવી કેવલજ્ઞાન પામી. (૨૦) “પૂર્વે જેના વિનયમાં પ્રવર્તતા હોય, જ્યાં સુધી તે સામાના જાણવામાં ન આવે, ત્યાં સુધી વિનયનું લંઘન કરતા નથી.” અર્થાત કેવલી છતાં પણ છદ્મસ્થને વિનય જાળવે છે. તેથી પૂર્વના કમ પ્રમાણે ગુરુના માટે અશનાદિક વહોરી લાવી આપે છે.
કઈક સમયે ગુરુને કફના વ્યાધિથી અમુક પ્રકારના ભેજનની વાંછા થઈ. ઉચિત સમયે તેના મનોગત ઈચ્છાનુસાર તે ભેજન હાજર કરવાથી વિસ્મય પામેલા મનવાળા સૂરિએ પૂછયું કે, “હે આચેન ! આ મારા મનને અભિપ્રાય તે કેવી રીતે જા ? કે જેથી આવું અતિ દુર્લભ ભોજન પણ વગર વિલંબે લાવી આપ્યું ?” સાવીએ
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org