SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા, ક્ષુલ્લકકુમારની કથા. [ ૧૩૫ પ્રવર્તિની સમીપે વંદન કરવા માટે ગઈ અને પેાતાના સર્વ વૃત્તાન્ત તેમને નિવેદન કર્યા. પ્રતિોષ પામીને દીક્ષા અગીકાર કરી, પરંતુ પેાતાને પેટમાં ગભ છે.' તે વાત ગુરુણીને ન જણાવી, તે એટલા માટે કે, કહીશ તે મને દીક્ષા નહિં આપશે.’ કાલક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યા, એટલે એકાંતમાં મેટાં સાધ્વીજીએ પૂછ્યું, ત્યારે તેણે કારણુ પણ જણાવ્યું. ત્યાં સુધી તેને ખૂબ ગુપ્તપણે છૂપાવીને સાચવી કે જ્યાં સુધી તેણે બાળકને જન્મ આપ્યા. ત્યાર પછી તે બાળકને શ્રાવકકુળમાં પાલન-પાષણ કરી મેાટો કર્યા. અને અનુક્રમે તેને પ્રત્રજ્યા લેવરાવી. (૧૦) આચાર્યની પાસે દીક્ષા પ્રસંગે ક્ષુલ્લકકુમાર નામ સ્થાપન કર્યું. સાધુજનયેાગ્ય સમગ્ર સામાચારી શીખવી. યૌવનવય પામ્યા, એટલે સયમ પાલન કરવાને અસમર્થ અનેલેા, ભાંગેલા પરિણામ થવાથી દીક્ષા છે।ડવા માટે માતાને પૂછવા ગયા. માતાએ અનેક પ્રકારે રોકયા, તે પણ રહેતા નથી. પાછળથી માતાએ કહ્યું કે, ‘હે પુત્ર! મારા આગ્રહથી બાર વરસ હજી દીક્ષા પાળ’-એમ તે વાત સ્વીકારી. તેટલાં વરસેા વીતી ગયાં, પછી તેણે ફરી કહ્યું કે, ‘મારાં ગુરુણીને પૂછ’ તેા તેણે પણ તેટલાં વરસા રોકયા, પછી પાછાં બાર વરસ આચાર્ય નાં, એવી રીતે ખાર વરસ ઉપાધ્યાયજીનાં-એમ અડતાળીશ વરસ ગયાં, તે પણ ન રાકાયા. પછી માતાએ તેની ઉપેક્ષા કરી. માતાએ દીક્ષા લેતાં પહેલાં તેના પિતાના નામથી અંકિત એક મુદ્રા અને ક'ખલરત્ન પૂર્વે સ`ઘરી રાખેલ હતાં, તે તેને આપીને શીખામણ આપી કે, ‘ હે પુત્ર ! તું ગમે ત્યાં જતા-આવતા થાય, પરંતુ પુંડરીક રાજા તે તારા મોટા કાકા છે, તારા પિતાના નામની આ મુદ્રિકા તું તેમને બતાવજે. તેએ તને એળખીને તારુ રાજય તને અવશ્ય આપશે જ, એ પ્રમાણે માતાનું વચન સ્વીકારીને તે ક્ષુલુકકુમાર નીકળ્યા. કાલક્રમે સાકેતપુર પહોંચ્યા, રાજાને ઘરે ગયા, ત્યારે ત્યાં આશ્ચય કારી નાટક ચાલતું હતું. (૨૦) ‘આવતી કાલે રાજાનાં દર્શન કરીશ'-એમ ચિંતવીને ત્યાં જ બેઠો. અને એકાગ્રતાથી નાટકવિધિ જોવા લાગ્યા. તેમાં આખી રાત્રિ નૃત્ય કરીને નટી થાકી ગઈ હતી, કઈક આંખમાં નિદ્રા ભરાવાને કારણે. તેની માતાએ પ્રભાત નજીકના સમયે વિવિધ પ્રકારના હાવભાવ-કરણ પ્રયાગથી ઉત્પન્ન થયેલ મને હર આનંદરગના ભંગભયથી ગીત-ગાનના ખાનાથી એકદમ આ પ્રમાણે ગીતિકા સંભળાવી તેને સાવધાન કરી–“ હું શ્યામસુંદરી ! સુંદર ગાયું, સુંદર વાજિંત્રો વગાડ્યાં, સુંદર નૃત્ય કર્યું, આખી લાંબી રાત્રિ આ પ્રમાણે પસાર કરી, તે સ્વગ્નના અંતસમી અથવા રાત્રિના છેલ્લા અલ્પ સમય માટે પ્રમાદ ન કરીશ. આ સાંભળીને પેલા ક્ષુલ્લકે તે નટીને કખલરત્ન આપ્યુ. રાજપુત્રે કુંડલરન, શ્રીકાન્તા સાથે વાહીએ હાર, જયસંધિ અમાત્યે કડાં, મહાવતે સેાનાના અકુશ, એમ દરેકે લાખ લાખ મૂલ્યનાં કિંમતી ભેટણાં આપ્યાં. હવે રાજાએ તેમના ભાવ જાણવા માટે પ્રથમ વ્રુકને પૂછ્યું કે, તે કેમ કંબલરત્ન આપ્યું ?' તે તેણે શરુથી માંડી યાવત્ પાતે રાજ્ય લેવા આવેલ, તે સ વૃત્તાન્ત કહ્યો. અને છેલ્લું ગીત સાંભળીને હું પ્રતિષેધ પામ્યા અને વિષયતૃષ્ણાથી મુક્ત બન્યા. હું એના વચનથી પ્રયા પાળવામાં સ્થિર ચિત્તવાળા થયા "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy