SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] ઉપદેશપદ-અનુવાદ રાજા તેની પાછળ પાછળ જાય છે, ત્યારે અતિ ઈર્ષ્યા કરનારા બ્રાહ્મણોએ એક ગર્ભવાળી દાસીને લોભાવીને કહ્યું કે, “પરિત્રાજિકાનો વેષ ધારણ કરીને રાજમાર્ગમાં જતા સાધુને હાથ પકડી તારે કહેવું કે, “હવે મારી ગતિ કેવી થશે? માટે કંઈક મને આપો.” એમ કર્યું. એટલે મુનિ સમજી ગયા. પરંતુ પ્રવચનની મલિનતા હવે કેવી રીતે દૂર કરવી ? હવે સત્ય વચન બેલનાર, દે, ખેચરે અને મનુના પ્રભાવને ઝાંખા કરનાર એવા તે મુનિએ ત્યાં કહ્યું કે, “જે આ ગર્ભ મારે જ હોય તે યોનિ દ્વારા તેને જન્મ થાઓ અને મારે ન હોય અને બીજાથી ગર્ભ રહ્યા હોય તો, તેનું પેટ ફાડીને ગર્ભ બહાર નીકળે. એમ કહેતાં જ તે દાસીનું પેટ ફાડીને ગર્ભ બહાર પડ્યો. “મત્તના અને મરતાના જે સભાવ હોય, તે આપોઆપ પ્રગટ થાય છે.” “બ્રાહ્મણ જાતિવાળા દ્રષિલાઓએ આ કાર્ય કરાવ્યું છે? –એમ જલદી જણાયું. તે સમયે શરદઋતુના ચંદ્રનાં કિરણો સરખે ઉજજવલ જૈનશાસનનો માટે પ્રભાવ ફેલાયે. તે શાસન ખરેખર ધન્ય અને મહાપ્રભાવક છે કે, “જ્યાં આવા સાધુઓ હોય છે.” જેમણે આ રીતે તીર્થને પ્રભાવિત કર્યું, તેમની આ પરિણામિકી બુદ્ધિ સમજવી. અથવા પિતાના ઘરના ચરિત્રને વિચાર કરીને જે બુદ્ધિથી પોતે દીક્ષિત થયે. (૩૫) ગાથાને અક્ષરાથ–શેઠ નામના દ્વારને વિચાર, વેપાર માટે શેઠનું દેશાન્તરગમન થયું. પાછળ બ્રાહ્મણ પુત્ર સાથે સંગ કરવાથી તેની વજાભાર્યા બગડી. ઘરે આવેલા સાધુએ “કૂકડાના મસ્તકનું ભક્ષણ કરનાર રાજા થશે.” તેમ કથન કર્યું. કહેલા વૃત્તાન્તથી પુત્રને ધાવમાતા બીજા નગરમાં ઉપાડી ગઈ અને ત્યાં તે પુત્ર રાજા થયો. શેઠ સાધુ થયા અને તે જ નગરે ગયા. બ્રાહ્મણની પ્રેરાયેલી દાસીથી જૈનશાસનની અપકીર્તિ દૂર કરવા સાધુએ કહ્યું કે, મેં ગભ ઉત્પન્ન કર્યો હોય, તે નિથી અને બીજાથી થયો હોય તો નિથી ન નીકળે, પણ પેટ ફાડીને બાળક નીકળે.” (૧૨૯). શુદ્ધકકુમાર-કથા – ૧૩૦–સાકેત નગરમાં પુંડરીક નામના રાજાને કંડરીક નાનો ભાઈ હતો, જસભદ્રા નામની નાના ભાઈની ભાર્યા હતી. અતિશય મનહર અંગવાળીને જ્યારે ઘરના આંગણામાં હરતી-ફરતી દેખે, એટલે પુંડરીક રાજા તેમાં અતિ અનુરાગવાળો બન્યું. રાજાએ દૂતી, મોકલી, લજ્જા પામેલી તેણે આ વાત કરવાની હિંમત ન કરી, પરંતુ રાજાના સજજડ આગ્રહથી કહ્યું, ત્યારે સામેથી કહ્યું કે, “શું નાના ભાઈથી પણ શરમ પામતા નથી, કે આવું બોલો છો ?” ત્યારપછી ગુપ્તપણે નાના ભાઈને મરાવી નાખ્યો, ફરી પણ પ્રાર્થના કરી, ત્યારે તે શીલ-ખંડનના ભયથી પિતાનાં આભૂષણો લઈને એકદમ ઘરમાંથી નીકળી ગઈ. એકાકી તે કઈ સાથે સાથે ભળી ગઈ અને પિતાભાવ માનીને વૃદ્ધ વેપારીની નિશ્રામાં અનુક્રમે શ્રાવસ્તી નગરીમાં પહોંચી. જિતસેનસૂરિનાં શિષ્યા કીર્તિમતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy