SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો, શ્રેષ્ઠી કોઇની કથા. [ ૧૩૩ માટે આવી પહોંચ્યું, ત્યારે છાનાં લક્ષણો જાણનાર એક સાધુએ બીજા સાધુને આશ્રીને સર્વ દિશામાં અવલોકન કરીને કૂકડાને દેખી એમ જણાવ્યું કે, “આનું મસ્તક જે ખાય, તે નકકી રાજા થાય.” ભીંતના આંતરામાં રહેલા પેલા બ્રાહ્મણપુત્રે આ વાત સાંભળી વજાને કહ્યું કે, “તું કૂકડાને મારી નાખ, જેથી હું તેનું ભક્ષણ કરું.” તેણે કહ્યું કે, “તે તે મને પુત્ર સમાન હોવાથી મારી શકાય નહિં.” “અરે! હું બીજે તે લાવી આપીશ.” તેમ કરવા ઈચ્છતી નથી, પણ તીવ્ર આગ્રહ કર્યો, એટલે કૂકડાને મારીને પછી રાજ્યની ઉત્કંઠાવાળે તે તેને રંધાવે છે. દરમ્યાન તે સ્નાન કરવા ગયે. એટલામાં લેખશાળાએથી પુત્રને ભૂખ લાગી, તે જમવા ઘરે આવ્યો, અને રોવા લાગ્યો. તે વખતે માંસ પાકેલું ન હોવાથી હાંડલીમાંથી મસ્તક કાઢીને પીરસ્યું. હવે પેલે આવીને ભોજન કરવા માટે થાળી લઈને બેઠો અને પીરસવા માંડ્યું, ત્યારે હાંડલીમાં કૂકડાનું મસ્તક ન દેખ્યું, એટલે પૂછયું કે, “તે ક્યાં ગયું?” તે વજાએ કહ્યું કે, “છોકરાને આપ્યું. તો રોષમાં આવેલા તેણે કહ્યું કે, “શું તેને માટે બિચારા કૂકડાને માર્યો હતો ? તો હવે હું પુત્રનું મસ્તક ખાઈને કૃતાર્થ બનીશ.” અતિ આગ્રહને લીધે એ વાત પણ કબૂલ કરી. આ વાત દાસીએ સાંભળી એટલે લેખશાળામાંથી તેને લઈને એકદમ પલાયન થઈ ગઈ અને પિતાના નગરે પહોંચી, તે ત્યાં આગળ અપુત્રિ રાજા મૃત્યુ પામ્યો. મંત્રથી અધિવાસિત કરેલ અવે આવીને પ્રદક્ષિણા આપી વગેરે વિધિ કરી, તેમાં સફળતા મળવાથી તે -રાજા થયો. ઘણા તીવ્ર પ્રતાપવાળા તેણે ધાવમાતાને માતાના પદમાં સ્થાપન કરી. કેટલાક સમય પછી શેઠ ઘરે આવ્યા. જ્યાં ઘર તરફ નજર કરી, તો સડી-પડી ગયેલું અને કૂકડો, મદનશલાકા અને પુત્ર ત્રણે વગરનું ખાલી જોયું. વજાને ગળામાંથી પકડીને પૂછ્યું, એ જવાબ આપતી નથી, ત્યારે પાંજરામાંથી મુક્ત કરેલા પિપટે સર્વ હકીકત જણાવી. ઘરને સર્વ વૃત્તાન્ત સાંભળીને વૈરાગ્ય પામેલો તે વિચારવા લાગ્યો કે, “આ સ્ત્રી ખાતર અનેક સેંકડો ફલેશે સહન કર્યા, માટે ઝેર કરતાં અધિક ખરાબ એવા વિષયોથી હવે મને સયું.” એમ વિચારીને પાપવાળાં કાર્યોનો ત્યાગ કરવા તૈયાર થયેલા તેણે દીક્ષા અંગીકાર કરી. વજા બ્રાહ્મણ સાથે તે જ નગરમાં ગઈ કે, જ્યાં પુત્ર રાજા થયો હતો. વિહાર કરતાં કરતાં પિતા સાધુ પણ તે જ ગામમાં ગયા, વજાએ સાધુને ઓળખ્યા અને તેની લઘુતા કરવા માટે ભિક્ષાની અંદર સુવર્ણ છૂપાવીને આપ્યું. અને પછી મેટો કેલાહલ મચાવ્યો કે, “આણે મારા ઘરમાં ચોરી કરી છે.” રાજપુરુએ પકડ્યા અને તેને રાજા પાસે લઈ ગયા. (૨૫) ધાવમાતાએ બરાબર ઓળખ્યા અને રાજાને નિવેદન કર્યું કે, “આ તો તમારા પિતાજી છે.” તે બ્રાહ્મણબટુક અને વજાને દેશપાર કર્યા અને પિતાજીને ભેગો માટે પ્રાર્થના કરી. નિમંત્રણ કરવા છતાં તેમણે ભેગો ન ઈચ્છવા. રાજાને શ્રાવક બનાવ્યા. શાસનની પ્રભાવના થઈ અને અન્યતીર્થની અપ-બ્રાજના થઈ. ત્યાં ચોમાસું કર્યું અને પૂર્ણ થયા પછી વિહાર કરવા લાગ્યા, ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy