SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) કાર્મિકી (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, અભયકુમાર [ ૧૨૫ પણ તરે છે. તેમ જ ફાટેલા વસ્ત્રને તૃણનારા બીજે કઈ પણ માણસ સાંધે ન દેખી શકે તેમ, જલદી અભ્યાસથી સાંધી આપે છે. જેમ કે, મહાવીર ભગવંતના ખભા ઉપરના વસ્ત્રને લૂણું આપ્યું હતું તેમ. તે આ પ્રમાણે-સાંવત્સરિક દાનપૂર્વક મહાવ્રત અંગીકાર કર્યા, તે વખતે ઈન્ડે મહાવીરના ખભા ઉપર સ્થાપન કરેલા દેવદૂષ્ય વસ્ત્રને કુંડનામના ગામેથી બહારના દેશમાં વિચરતા હતા ત્યારે, દાનકાળના નજીકના સમયે ગૃહસ્થપર્યાયવાળા બ્રાહ્મણ મિત્રે આવીને પ્રાર્થના પૂર્વક ઉપરોધ કરતાં તેને અર્ધ દેવદૂષ્ય આપ્યું. કંઈક અધિક એવા એક વરસ પછી સુવર્ણ વાલુકા નદીના કિનારા પર ઉગેલા કાંટાળા વૃક્ષમાં ખેંચાવાથી ભૂમિ ઉપર બાકીનું વસ્ત્રાર્ધ પડી ગયું. એટલે પાછળ પાછળ ચાલતા એવા તે જ બ્રાહ્મણે ગ્રહણ કર્યું. આ બીજે ટૂકડો પણ તે તૃણનારને આપ્યો. તેણે પણ બંને ટૂકડાઓને એવી સફિતથી જોડી દીધા છે, ત્યાં સાંધે કઈ દેખી શક્તા નથી. તેનું મૂલ્ય જે અસલનું હતું, તેવું જ તૃણાયા પછી પણ મૂલ્ય પ્રાપ્ત થયું. (૧૨૫) ૧૨૬–સુથારને રથ, શિબિકા, વગેરે વાહન, ગાડા, ધુંસરું આદિ બનાવવામાં લાકડાનાં કેટલાં પાટિયાં, તેનું પ્રમાણ કેટલું જોઈએ? જાડા-પાતળા, લાંબા-ટૂંકા કેટલા જોઈએ? તેનું જ્ઞાન અભ્યાસથી થઈ જાય છે. ઘડીને બનાવવા લાયક એવાં વપરાશનાં સાધનો અભ્યાસથી જલ્દી તૈયાર કરી શકે છે. આગળ કહેલા સોનીના ઉદાહરણ માફક. એ જ પ્રમાણે કોઈને પણ મીઠાઈ અગર ખાવાની વાનગીઓમાં કેટલા અડદ, મગ, ઘઉં વગેરેના લેટ-પડસુંદી અને તેમાં જરૂરી ઘી, ખાંડ, તેલ, મશાલા કેટલા પ્રમાણ વજનવાળા જોઈએ? તેનું પ્રમાણજ્ઞાન પણ કાર્મિકી બુદ્ધિના પ્રભાવથી થાય છે. (૧૨૬) ૧૨૭–કુંભારને ઘડા વગેરે માટીનાં સાધન બનાવનારને બનાવવાની વસ્તુમાં કેટલો માટીને પિંડ જોઈશે? તેનું જ્ઞાન દરરોજના મહાવરાથી થાય છે. તેમ જ ચક્ર ઉપરથી ઘડાઈને તૈયાર થયેલ ઘડા, નળિયાં, કેરાં, કુંડાં લગાર સૂકાઈ જાય એટલે તેને તરત દેરીથી છૂટાં પાડે છે. એ પ્રમાણે ચિત્રકાર પણ વિવિધ લાલ, લીલા, પીળા, વાદળી રંગેનું પ્રમાણ ચિતરવામાં કેટલું જરૂરી છે ? તે પણ કાર્મિકી બુદ્ધિથી જાણી શકે છે. જાણે જીવતા હોય તેવા હાથી, ઘેડા વગેરેનું ચિત્રામણ આબેહુબ ચિત્ર છે. તે પણ કાર્મિકી બુદ્ધિના અનુસાર જાણવું. (૧૨૭) કાર્ય કરવાના મહાવરાથી-અભ્યાસથી થતી કાર્મિકી મતિનાં ઉદાહરણ પૂર્ણ થયાં. નમઃ પ્રતરેવતા હવે પારિમિકી બુદ્ધિનાં ઉદાહરણ કહે છે – ૧૨૮–પારિણામિકી બુદ્ધિ ઉપર અભયકુમારનું ઉદાહરણ– રાજગૃહ નામના નગરમાં શત્રુરાજાના મદને ઉતારી નાખનાર ક્ષાયિક સમ્યક્ત્વી જગતમાં પ્રસિદ્ધ શ્રેણિક નામના રાજા હતા. તેમને ચારે પ્રકારની બુદ્ધિવાળે, પહેલાં પણ વિસ્તરેલા નિર્મલ ગુણગણવાળે અને અત્યારે પણ જેમને યશ લોકોમાં વિસ્તરેલો છે–એ અભય નામને પુત્ર અને મંત્રી હતા. હવે ઉજજયિની નગરીના ઘણું સૈન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy