SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] ઉપદેશપદ- અનુવાદ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પરિવારયુક્ત પ્રદ્યોત રાજા રાજગૃહને ઘેરી લેવા આવતું હતું. આથી ચિત્તમાં ભય વહન કરતા શ્રેણિક રાજાને અભય મંત્રીએ કહ્યું કે, “તમે થોડી પણ બીક ન રાખશો, હું તેઓને હમણાં જ હાંકી કાઢું છું. તેમને લડવા આવતા જાણીને તેમની સાથે આવનારા બીજા ખંડિયા રાજાનાં પડાવ–સ્થાનોની ભૂમિમાં લોઢાના ઘડાઓની અંદર સેનામહોર ભરીને એવી રીતે દટાવી કે, જે કોઈ બીજે મેળવી ન શકે. ત્યાર પછી તેઓ સર્વે આવ્યા અને પિતા પોતાના યોગ્ય સાથે પડાવ નાખે. પ્રદ્યોત રાજા સાથે શ્રેણિકને મોટો સંગ્રામ થયો. કેટલાક દિવસો પછી અભયે અંતર જાણીને તેની બુદ્ધિનો ભેદ કરવા માટે પ્રઘાત ઉપર એક લેખ મોકલ્યા કે-“તમારા સર્વે રાજાઓને શ્રેણિક રાજાએ ઉપકારથી દબાવીને ફાડી નાખ્યા છે તે સર્વે મળીને તરતમાં જ તેમને શ્રેણિક રાજાને સ્વાધીન કરશે, આ બાબતની જે મનમાં શંકા હોય તે અમુક રાજાના અમુક પ્રદેશમાં તમે ખદાવીને ખાત્રી કરો.” તેણે ખેદાવીને ખાત્રી કરી તો સોનામહોર ભરેલા ઘડા દેખ્યા, એટલે એકદમ પ્રદ્યાત રાજા ત્યાંથી નાઠે. શ્રેણિક રાજા તેની પાછળ પડ્યા અને તેનું સૈન્ય વેરવિખેર કરાવી નાખ્યું. કઈ પ્રકારે સવે રાજાઓ ઉજજેણી નગરીએ પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! અમે એવી લાંચ લેનારા અને તમને સોંપી દેનારા અધમ કાર્ય કરનારા નથી, પરંતુ આ સર્વ અભયકુમારનું કાવત્રુ છે.” પિતાને પાકી ખાત્રી થઈ, એટલે કેઈક સમયે સભામાં કહેવા લાગ્યું કે એ કઈ નથી કે, જે અભયને મારી પાસે આણે.” તેમાં એક ચતુર ગણિકાએ આ બીડું ઝડપ્યું અને સાથે માગણી કરી કે, “મને સાથે આટલી સામગ્રી આપો, મધ્યમ વયની સાત ગણિકા-પુત્રીઓ, સહાય કરનારા કેટલાક વૃદ્ધ પુરુષો, તેમ જ માર્ગમાં ખાવા માટે ઘણું ભાથું આપ્યું. પહેલાં આ ગણિકાઓએ સાધ્વીઓ પાસે બનાવટી શ્રાવિકાપણું શીખી લીધું. એમ કર્યા પછી બીજા ગામે અને નગરોમાં કે જ્યાં સાધુઓ તથા શ્રાવકવર્ગ હોય ત્યાં જાય. એમ ગામે ગામની યાત્રાઓ કરતા ઘણા પ્રખ્યાતિ પામ્યા. ક્રમે કરી રાજગૃહની બહાર ઉદ્યાનના મંદિરોમાં વંદન-દર્શન કરવા ગયા. ચૈત્યપરિપાટી કરતાં કરતાં અનુક્રમે અભયકુમારના ઘર-દેરાસરમાં આવ્યા અને “નિસહી” પૂર્વક પ્રવેશ કર્યો. ત્યારે ઘરેણું ન પહેરેલા તેમને દેખીને અભયે પણ ઉભા થઈ ખુશી થઈને કહ્યું કે, “નિસહિયા કહેનારનું સ્વાગત કરૂં છું. ગૃહ બતાવ્યાં, ચૈત્યવંદનાદિ–વિધિ કર્યો. ત્યાર પછી અભયને પણ પ્રણામ કરી ક્રમે કરી આસન ઉપર સવૅ બેઠા. તીર્થકર ભગવંતની જન્માદિ કલ્યાણકભૂમિને વિષે વિનય પૂર્વક નમ્ર શરીરવાળી અત્યંત ભાવપૂર્વક તે સર્વે ને વંદન કરાવે છે. અભયકુમારે પૂછ્યું કે, “ક્યાંથી આવવાનું થયું છે ?” તે કે “અવંતીનગરીમાં અમુક શેઠ મૃત્યુ પામ્યા અને તેમના પુત્રે પણ મૃત્યુ પામ્યા. હું અને આ મારી પુત્રવધૂઓ છે. પતિ મૃત્યુ પામ્યા પછી અમે વૈરાગ્ય પામ્યા છીએ. દીક્ષા લેવાની અભિલાષા થયેલી હોવાથી અને દીક્ષા લીધા પછી અધ્યયન કરવું, વિહારાદિ કરવા, તેમાં રોકાયેલા રહેવું પડે, જેથી કલ્યાણક ભૂમીઓતીર્થભૂમીઓનાં દર્શન-વંદન ન કરી શકાયઆથી અમો ચેત્યાદિકનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy