SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) નચિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૧૨૧ વંદન કરીને સાદવીઓ ગઈ, બીજા દિવસે નવાં સૂત્રનો ઉદ્દેશ લેવા ગુરુ પાસે હાજર થયા, ત્યારે આચાર્ય પાઠ આપતા નથી. શું કારણ? તો કે, “તું સૂત્રને યોગ્ય નથી.” તેથી જાણ્યું કે, “ગઈ કાલે સિંહના રૂપને દેખાડવા રૂપ પ્રમાદ કર્યો” તેથી આ પ્રમાણે કહે છે. “ફરી હું આમ નહિં કરીશ” સૂરિએ કહ્યું, “જે કે તું કદાચ નહિં કરે, પરંતુ તારા પછી બીજા તો કરશે. ઘણું આગ્રહપૂર્વક વિનંતિ કરી, ત્યારે ઉપરનાં ચાર પૂર્વે એ સરતે ભણાવ્યાં કે, “હવે તારે બીજાને ન ભણાવવાં. તથા દશમા પૂર્વની છેલ્લી બે વસ્તુ સ્થૂલભદ્રની સાથે વિચછેદ પામી. તે સિવાય બાકીનું સર્વ શ્રુત બીજાને ભણાવવાની અનુજ્ઞા આપી. અહિં ગણિકા અને રથિકની વિનયિકી બુદ્ધિ પ્રસ્તુત-ચાલુ વિષયમાં ઉપયોગી સમજવી. (૧૬) ૧૧–ગાથા અક્ષરાર્થ–ગણિકા અને રથિક બંને મળી એક દષ્ટાંત ગણવું. આગળ સુકોશા કહી છે, તે જ જ્યારે શ્રદ્ધાવાળી અને શ્રાવિકા બની. સ્થૂલભદ્રના ગુણોની પ્રશંસા કરતી, તેથી સુકોશા. સ્થૂલભદ્રના ગુણો તરફ પ્રભાવિત થયેલ સુકશાને દેખી તેને આકર્ષવા માટે આંબાની લુંબી છેદી. તેણે સરસવના ઢગલા ઉપર સોયના અગ્રભાગ ઉપર નૃત્ય કરી બતાવ્યું. કહ્યું કે, “અભ્યાસ કર્યો હોય, ટેવ પાડી હોય, તેને આ કાર્યો દુષ્કર નથી.” (૧૧૭) ૧૧૮-ઠંડી સાડી, લાંબું ઘાસ બતાવી સૂચવ્યું કે, “અહિંથી જલદી ચાલ્યા જવું, કૌચપક્ષીની અવળી પ્રદક્ષિણા કરાવી જણાવ્યું કે, “અત્યારે રાજકુલ તમારા પ્રત્યે પ્રતિ કૂળ છે.”-એમ લેખાચાર્યને મારવા પહેલાં આ ચીજે બતાવીને જણાવ્યું, તેમ સારા શિષ્યની આવી વૈયિકી બુદ્ધિ હોય છે. હવે સ્થા દ્વારા આ દ્વાર વિસ્તારથી કહે છે—કઈક નગરમાં કોઈક કલાચાયે* કેઈક રાજાના પુત્રને અતિ દાન-સન્માન–પુરસ્કાર ગ્રહણ કરીને લેખન, સંગીત આદિ કળાએ ભણાવી. લાંબા કાળે કલાચાર્ય પાસે ઘણું જ દ્રવ્ય-સંગ્રહ થયો. લેભાંધ રાજાએ તે કલાચાર્યને મારી નાખવાની ઈચ્છા કરી. આ વાત રાજપુત્રોના જાણવામાં આવી. ત્યારે તે વિદ્યા ગ્રહણ કરનાર પુત્રોએ વિચાર્યું કે, “જન્મ આપનાર, જનોઈ આપનાર, વિદ્યા આપનાર, અન્ન આપનાર અને ભયથી રક્ષણ કરનાર-એ પાંચ પિતા તુલ્ય કહેલા છે.”—એમ કૃતજ્ઞપણાથી નીતિવાક્ય યાદ કરીને વિચાર્યું (ગ્રંથાગ્ર ૩૦૦૦) કે, કોઈ પ્રકારે અક્ષત દેહવાળા અને આ સ્થાનથી વિદાય કરાવવા. તેથી જ્યારે તે જમવા માટે આવ્યા, ત્યારે સ્નાન કરવાની પોતડી માગી, ત્યારે સૂકાયેલ હોવા છતાં તેમણે કહ્યું કે, “પોતડી તે ઠંડી છે–અર્થાત્ કહેવાની મતલબ એ છે કે-“તમારું કાર્ય હવે ઠંડું કરવું.” તથા લાંબું તૃણ દ્વાર-સન્મુખ આપીને સૂચવ્યું કે, “હવે લાંબા માર્ગે ચાલ્યા જાવ.” તથા પૂર્વે સ્નાન કરાયેલાને જમણી બાજુ કોંચપક્ષીને ઉતાર્યો. કૌંચના આકારવાળા કળશને અવળે ઉતાર્યો. આમ કરીને લેખાચાર્યને સૂચન કર્યું કે, “રાજાની તમારા પર ઈસરાજ-નારાજી થઈ છે.” આ પ્રમાણે કલાચાર્યને હજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy