SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] ઉપદેશપદ-અનુવાદ માર્યા ન હતા, તે પહેલાં સાડી વગેરે આપનાર સુશિષ્ય કૃતજ્ઞપણથી સારા શિષ્ય થયા અને તેમની બુદ્ધિ વૈનાયિકી થઈ. પેલા કલાચાર્ય અખંડિત જીવતા નીકળી ગયા. (૧૧૮) ૧૧૯–નીત્રોદક દ્વારના ઉદાહરણમાં કોઈક વખત જેનો પતિ પરદેશ ગયેલ છે-એવી કઈક સ્ત્રીએ કઈ પરપુરુષ જારને ઘરમાં દાખલ કર્યો. હજામ પાસે તેનું શૌર કર્મ–નખ કપાવવા વગેરે કરાવ્યું. રાત્રે તેને તૃષા લાગી. નજીકમાં બીજું જળ ન મળતાં નેવાથી નીતરેલ એવું જળ પીવા આપ્યું, તેથી તે તત્કાલ મૃત્યુ પામ્યા. મૃત્યુની ખાત્રી થતાં દેવકુલિકાની બહાર તેને ત્યાગ કર્યો, લોકોએ દે, કેવી રીતે મૃત્યુ પામ્યએની તપાસ કરી. ખરી હકીકત ન મળતાં કેઈક બુદ્ધિશાળી પુરુષે કહ્યું કે, હજામે આની હજામત તાજી કરી છે. ત્યાર પછી લોકેએ હજામને બોલાવ્યા અને પૃચ્છા કરી કે, આનું ક્ષૌરકમં–હજામત કેણે કરી ? એકે જણાવ્યું કે, મેં અમુકના ઘરમાં કર્યું. જાણ્યા પછી તેને પૂછ્યું કે, શું તે આને મારી નાખ્યો છે? પેલીએ કહ્યું કે, તેને ઘણી તરશ લાગી, એટલે નેવાથી નીતરેલું જળ પીવા આપ્યું હતું, તેથી લોકોએ છાપરા પર તપાસ્યું, તે ત્યાં ઝેરી ચામડીવાળો ગેસ સર્પ મળી આવ્યું. એવી રીતે વનયિકી બુદ્ધિના પ્રભાવથી સર્વ વૃત્તાન્તની ખબર પડી. (૧૧) ૧૨૦–ગેણુ-બળદ-ઘેડા અને વૃક્ષ ઉપરથી પડવું નામના દ્વારમાં કોઈક ગામમાં કેઈક નિર્ભાગીને નિર્વાહનું બીજું સાધન ન મળતાં મિત્ર પાસેથી બળદો મેળવીને હળ ખેડવાનું કામ શરુ કર્યું. સાંઝ—સમયે મિત્રના બળદે વાડામાં પૂરી ગયો. તે વખતે મિત્ર ભોજન કરતા હોવાથી શરમથી તેની પાસે ન ગયે, પરંતુ વાડામાં લઈ જવાતા અને બંધાતા બળદને તેણે જોયા હતા. તેને પાણી ન પાયેલું અને ચારે ન નીરેલો, તેથી બળદે બહાર નીકળી ગયા અને ચારે તે બળદને ઉઠાવી ગયા. મિત્રે નિર્ભાગીને પકડ્યો અને કહ્યું કે, મારા બળદે મને પાછા સમર્પણ કરી દે. સમર્પણ ન કરી શકવાથી જેટલામાં રાજદરબારે લઈ જાય છે, તેટલામાં સામે માર્ગેથી ઘોડા પર બેસીને એક પુરુષ આવી રહેલો હતો. ઘોડાએ સ્વારને કોઈ પ્રકારે જમીન પર ફેંકી દીધે, એટલે પલાયમાન થતા ઘડાને “મારો મારો”—એમ કહેવાયું, ત્યારે નિર્માગીએ ચાબુક આદિથી એવી રીતે મર્મ પ્રદેશમાં માર્યો, જેથી તે ઘડો મૃત્યુ પામ્યો અને ઘેડાના માલિકે તેને પકડ્યો. જતાં જતાં સંધ્યા-સમય થઈ ગયો. એટલે નગર બહાર જ તેઓએ રાત્રિવાસ કર્યો. ત્યાં આગળ કેટલાક નટો પડાવ નાખીને રહેલા હતા. તેઓ સર્વે સૂઈ ગયા હતા. નિર્ભાગીએ વિચાર્યું કે, “હવે જીવતાં મારો છૂટકારો થવાને નથી, તો ફાંસો ખાવો–એ જ મારા માટે સારું છે”—એમ વિચારીને દોરડીના ટૂકડાથી વડલાની ડાળી સાથે પોતાને લટકાવ્યો. દોરી જુની અને મજબૂત ન હોવાથી તરત જ તૂટી ગઈ એટલે ઝાડ પરથી નટના મુખ્ય માણસ ઉપર પડ્યો, જેથી તે મરી ગયો. નટએ પણ ન્યાય કરાવવા માટે તેને પકડ્યો. દરેકે બનેલા વૃત્તાન્ત રાજદરબારમાં નિવેદન કર્યા. પ્રધાને નિર્ભાગીને પૂછયું, તેણે દરેક અપરાધે કબૂલ્યા. મંત્રીને થયું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy