SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] ઉપદેશપદ–અનુવાદ આપે કે, “હાલ તો હું મહાપ્રાણ નામનું ધ્યાન સાધવા પ્રવતે લે છું. પહેલાં તે દુષ્કાળ હતો. હવે આ ધ્યાનની શરૂઆત કરી છે, આ પૂર્ણ થયા પહેલાં આ કાર્યની વચ્ચે વાચના દઈ શકાય નહિં.” તેમણે આવીને સંઘને જણાવ્યું. ફરી બે સાધુને તેમની પાસે મોકલ્યા કે, “જે સંઘની આજ્ઞા ન માને, તેને શે દંડ હોઈ શકે ?” તે પ્રમાણે ભણાવીને મોકલેલા સાધુઓએ તેમ કહ્યું, એટલે “તેમને ઉઘાટન નામનું પ્રાયશ્ચિત્ત લાગે. ત્યારે તેઓએ કહ્યું કે, “તે પ્રાયશ્ચિત્ત તમોને જ લાગે.” ભદ્રબાહુએ કહ્યું કે, “મને સંઘ બાહર ન કરો, પરંતુ જે સારી બુદ્ધિવાળા સાધુઓ હોય, તેમને અહિં મોકલાવો, તો હું મારા ધ્યાનપર્યત દરરોજ સાત વખત તેમને પૂછેલાને જવાબ આપીશ.” એક ભિક્ષાથી પાછા આવવાના સમય પછી, બીજી મધ્યાહ્નકાળસમયે, ત્રીજી સંજ્ઞાએ જતાં, (૧૦૦) ચોથી દિવસના કાળ સમયે અને બાકીની ત્રણ સૂતી વખતે વાચના આપીશ.” તે પછી સ્થૂલભદ્ર વગેરે પાંચસો બુદ્ધિશાળી સાધુઓને ત્યાં ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા, અનુક્રમે ત્યાં પહોંચ્યા અને તેમની પાસેથી પ્રતિપૃચ્છા વડે વાચના લેવા લાગ્યા. તેમાંથી કેટલાક એક વાર, બે વાર, ત્રણ વાર વાચના સાંભળતાં પણ અવધારણ કરી શક્યા નહિં. ત્યારે સ્થૂલભદ્ર મુનિને ત્યાં રાખીને બાકીના સવે ત્યાંથી વિહાર કરી ગયા. ધ્યાન ડું બાકી રહ્યું, ત્યારે ગુરુએ પૂછ્યું કે, “તું ફલેશ પામતો નથી ને ?” સ્થૂલભદ્રે કહ્યું કે-“હે ભગવંત! મને લગાર પણ દુઃખ થતું નથી.” “તો થોડો સમય રાહ જે, પછી આખો દિવસ વાચના આપીશ.” પછી આચાર્યને પૂછયું કે, “મેં અત્યાર સુધીમાં કેટલું સૂત્ર ગ્રહણ કર્યું ?” તું અઠયાસી સૂત્ર ભર્યો છે, તો મેરુ અને સરસવની ઉપમાએ હજુ સરસવ જેટલું ભણે છે અને મેરુ જેટલું ભણવાનું બાકી છે; છતાં આટલું ભણતાં તને જેટલો સમય લાગે છે, તેનાથી ઓછા કાળે તું સર્વ દષ્ટિવાદ ભણી શકીશ.” અનુક્રમે બે વસ્તુ ન્યૂન દશ પૂર્વે ભણી લીધાં. એવામાં વિચરતા સ્થૂલભદ્રમુનિ સહિત ભદ્રબાહુસ્વામી પાટલિપુત્ર આવી પહોંચ્યા અને બહાર ઉદ્યાનમાં રોકાયા. તે વખતે યક્ષા વગેરે સ્થૂલભદ્રની સાતે બહેને ગુરુમહારાજને તથા મોટા ભાઈને વંદન કરવા આવી. ગુરુ મહારાજને વંદન કરીને પૂછયું કે, “મેટા ભાઈ ક્યાં છે?” ગુરુએ કહ્યું કે, “દેવકુલિકા(દેવડી)માં સૂત્રનું પરાવર્તન કરતા આનંદથી રહેલા છે. સાધ્વીઓને આવતી દેખીને પિતાની જ્ઞાનઋદ્ધિ બતાવવા માટે પોતે સિંહાકારરૂપે બની ગયા. તે સિંહને દેખી સાવીઓ ત્યાંથી પાછી ફરીને ગુરુની પાસે જઈને કહેવા લાગી કે, “હે ભગવંત ! ભાઈને સિંહ ખાઈ ગયો !” ગુરુએ સાધ્વીઓને કહ્યું કે, “તે સ્થૂલભદ્ર જે છે, પણ સિંહ નથી.” પાછી આવી, વંદના કરી, ઉભા રહ્યા, ત્યાર પછી કુશલવાર્તા પૂછી. પછી શ્રીયકે જેવી રીતે દીક્ષા લીધી, મહાપર્વના દિવસે અમોએ ખેંચાવી-ખેંચાવી ઉપવાસ કરાવ્યું, રાત્રે કાળ કરી ગયા અને દેવલોક પામ્યા. મુનિ-બંધુ-હત્યાથી ભય પામેલી મેં તપ કરીને દેવતાનું સાંનિધ્ય કર્યું. તેની સહાયથી મહાવિદેહમાં પહોંચી અને તીર્થકર ભગવંતને પૂછયું, ત્યાંથી બે અધ્યયન આણ્યાં, એક ભાવના અને બીજું વિમુક્તિ નામનું અધ્યયન-એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy