SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વનયિકી બુદ્ધિનાં ઉદાહરણ, સ્થૂલભદ્રની કથા [ ૧૧૯ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વગરની ગણિકાને સારી રીતે પ્રતિબોધ પમાડી અને પિતાના વ્રતમાં અડોલ ટકી રહ્યા. તે તો દેષ જોયા વગર વ્રત પાલન કરતી ઉપકશાની માગણી કરી-એમ ગુરુએ ઠપકો આપ્યો; એટલે તેણે અંતઃકરણથી પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું. એક સમયે નંદ રાજાએ પોતાના રથિકને કશા આપી, પરંતુ કોશા હંમેશાં સ્થૂલભદ્રમુનિની વારંવાર ખૂબ પ્રશંસા કરતી હતી. જે મારા સરખી ચતુર ગાઢ અનુરાગવાળી સ્ત્રીથી તલના તરાના ત્રીજા ભાગ જેટલા પણ બીલકુલ ક્ષેભ પામ્યા નહિ. તે બીજે કયો તેની જેમ કામના સામર્થ્યને દબાવીને સ્ત્રીપરિષહ જિતી શકે ? (૮૦) આ જગતમાં આશ્ચર્ય ઉપજાવનારા અનેક લોકો હશે, પરંતુ સ્થૂલભદ્ર જેવા કામને વશ કરનારા કઈ કદાપિ પ્રગટ થશે નહિં. સ્થૂલભદ્રના ગુણોનું ગૌરવ કરતી તેના તરફ આકર્ષાયેલા મનવાળી તે ગણિકા રથિક પ્રત્યે તેટલો સભાવવાળે સ્નેહ બતાવતી નથી. હવે તે રથિક પોતાનું સૌભાગ્ય ઉત્પન્ન કરવા અને કળા બતાવવા માટે કોઈ દિવસ કોશાને અશોકવનમાં લઈ ગયો. ધનુષદંડ ઉપર બાણ ચડાવીને કેરીઓની લંબને બાણ પાછળ બાણ એમ પિતા સુધી બાણ પાછળ બાણ પરોવતે પરોવતો લાવ્યા. પિતાના હાથ સુધી બાણની શ્રેણી આણી. પછી અર્ધચંદ્ર બાણથી લંબી તોડી નાખી. અને એક–એક બાણ ખેંચતાં–ખેંચતાં બેઠાં-બેઠાં લૂંબી હસ્તગત કરી. આ કળા દેખીને કેશાને લગીર પણ નવાઈ ન લાગી. પરંતુ કહ્યું કે, “શીખેલાને અહીં કંઈ પણ દુષ્કર નથી.” મારી નૃત્યકળા તમે જુઓ. સરસવના ઢગલા ઉપર સ્થાપન કરેલ સેયના અગ્રભાગ પર ફેરફુદડી ફરતી, હાવ-ભાવ-સહિત નૃત્ય કરતી, હર્ષિત મુખવાળી કહેવા લાગી કે, “અરે મહાનુભાવ! ગુણ પુરુ ઉપર કોને મત્સર-ઈર્ષા હોય ? તેને જ મનમાં વહન કરતી તેમ જ આ એક સુભાષિત સંભળાવ્યું–આવી રીતે આંબાની લંબીઓ તડવી કે શીખેલી કળાને અનુસરે નૃત્ય કરવું, તે બંને તેટલાં દુષ્કર કાર્ય નથી, પરંતુ તે મહામુનિ મદનજનક મહિલારૂપ વનમાં વાસ કરીને કામદેવને જિત્યા, તે મહાનુભાવ દુષ્કર છે.” તેણે પહેલાં પણ તેને તેમનો વૃત્તાન્ત કહેલ હતો. તેના ચરિત્રથી પ્રભાવિત થયેલ તે રથકાર પણ મોટો શ્રાવક બન્યા. તે સમયે લગભગ બાર વરસને મહાદુષ્કાળ પડ્યો, તેથી સર્વ સાધુસમુદાય સમુદ્ર-કિનારે ગયે. બાદ સુકાળ થતાં ફરીથી પાટલિપુત્ર નગરમાં આવ્યા. એટલે સર્વે સાધુઓએ મળી તપાસ કરી કે, “કોની પાસે કેટલું શ્રુત ટકી રહેલું છે ? જેટલું શ્રત જેની પાસે યાદ હતું, તેના ઉદ્દેશા, અધ્યયન વગેરે એકઠાં કરીને અગિયાર અંગે સ્થાપિત કર્યા, પરંતુ પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, ચૂલિકા, અનુગરૂપ પાંચ પ્રકારનો દષ્ટિવાદ કઈ પાસે મળે નહિં. ત્યારે સંઘે વિચાર્યું કે, “નેપાળદેશમાં ભદ્રબાહુસ્વામી વિચરે છે, તેઓ દષ્ટિવાદ ધારણ કરે છે –એમ સંઘે વિચારીને ત્યાં બે સાધુ મોકલી કહેવરાવ્યું કે, “તમારી પાસે દષ્ટિવાદ છે. અને અહિં તેને ગ્રહણ કરનાર સાધુઓ છે. તેમને તે - વાચા આપવી જોઈએ. આ સંધનું કાર્ય છે.” ત્યારે ભદ્રબાહુસ્વામીએ પ્રત્યુત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy