SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ]. આ ઉપદેશપદ- અનુવાદ આવ્યું, એટલે તેણે સૂરિને કહ્યું કે, “કેશા વેશ્યાની નાની બહેન ઉપકશાના ઘરે ચોમાસું કરવા જઈશ અને તેને પ્રતિબોધ પમાડીશ. હું કાંઈ થૂલભદ્રથી ઉતરું એમ નથી. ઉપગ મૂકીને ગુરુએ જાણ્યું કે, “આ સાધુ કઈ રીતે પ્રતિજ્ઞાને પાર પાડી શકે તેમ નથી. તેથી ગુરુ એ ના પાડી નિષેધ કર્યો, છતાં ઉપરવટ થઈ ત્યાં ગયે અને વસતિ માગીને વર્ષાકાળ માટે શેકાય. ઉપકશા પણ સરળ સ્વભાવથી ધર્મ શ્રવણ કરતી હતી. વસ્ત્ર આભૂષણ ન પહેરેલાં છતાં પણ ગણિકાનું અતિસુંદર રૂપ દેખીને મીણનો ગોળો જેમ અગ્નિ પાસે પીગળી જાય, તેમ તેની સમીપમાં તેની સામે અવલોકન કરતાં જ અતીવ દઢપણે તેને ચારિત્રને ભાવ ચાલ્યા ગયે અને કામબાણ ફ્રાયમાન થયું. ત્યાર પછી લજજાને ત્યાગ કરી દુષ્ટ પરિણામવાળો તે ગણિકાને પ્રાર્થના કરવા લાગ્યો. ચતુર બુદ્ધિવાળી તેણે કહ્યું કે, “અમને શું આપશો ?” મુનિએ કહ્યું કે, મારી પાસે કંઈ નથી. કારણ કે, હે ભદ્રે ! અમે તો નિગ્રંથ-પરિગ્રહ વગરના છીએ. તે પણ કહે કે, “તું શાની ઈચ્છા રાખે છે?” તેણે સાંભળ્યું હતું કે-નેપાલ દેશને રાજા કેઈ નવીન સાધુ કે જે ત્યાં જાય તેને લાખમૂલ્યવાળી રત્નકંબલ આપે છે.” ત્યાં ગયો, તે મેળવી અને મોટા પ્રમાણવાળા વાંસના પિલાણમાં છૂપાવીને તેનું છિદ્ર પણ પૂરી દીધું કે, જેથી કઈ પણ તેને ન જાણી શકે નગ્નપ્રાય બનેલો એકલો. અવિશ્રાન્તપણે ચાલ્યા કરતો જતો હતો, ત્યારે કેઈક પ્રદેશમાં પક્ષી શwદ કરવા લાગ્યું કે, “લાખના મૂલ્યવાળે આ આવે છે.” એ સાંભળીને પક્ષીના શબ્દને પારખનારે એક ચિરસ્વામી નજર કરે છે, તે આવતા એ સાધુને દેખ્યા. પક્ષીના શબ્દની અવગણના કરીને જેટલામાં ચાર ઉભે રહેલો છે, એટલે ફરી પશુ પક્ષી તેમજ બોલવા લાગ્યું કે, “તારા હાથમાં આવેલા લાખ તે ગૂમાવ્યા. કૌતુક પામેલા ચારસ્વામીએ ત્યાં જઈને મુનિને પૂછયું કે, “તારી પાસે જે કંઈ હોય, તે નિર્ભયપણે તું કહે ત્યારે તેણે કહ્યું કે, “વાંસની અંદર કંબલરત્ન છે. તેને છોડી દીધો. આવીને લાખમૂલ્યવાળું કંબલરત્ન ગણિકાને સમર્પણ કર્યું. અર્પણ કરતાંની સાથે જ તે જ ક્ષણે તેના જ દેખતાં ગૃહની ખાળમાં ફેંકી દીધું. ત્યાર પછી તેણે ગણિકાને પૂછયું કે, આવું કંબલરત્ન કેમ મલિન કર્યું ?” ત્યારે ગણિકાએ કહ્યું કે, “હે શ્રમણ ! તું આ કંબલનો શેક કરે છે, પરંતુ હે ભોળા ! તારો આત્મા મલિન થાય છે, તેની તને ચિંતા નથી ? કંબલરત્ન કરતાં પણ અધિક કિંમતી આત્મરત્ન મલિન થાય છે. કારણ કે, “તને મારા તરફ રાગ થયો છે.” તું મારી પાછળ એવું લાગે છે કે, “ચોમાસા જેવા કાળમાં પણ, છકાયની પરવા કર્યા વગર, દૂર દેશાંતર ગયો અને મને પ્રસન્ન કરવા માટે રત્નકંબલ લાવ્યું. મેં તે તને પ્રતિબોધ કરવા માટે આ કાર્ય કરાવેલ. (૭૫) આ પ્રમાણે કંઈ પણ સાધુ પાસેથી આશા રાખ્યા વગર તેને ગણિકાએ હિતબુદ્ધિથી ઠપકે આપ્યો, એટલે તે પાછો માગે આવી ગયા અને કહ્યું કે, “તારી હિતશિક્ષા હું સ્વીકારું છું એમ કહીને ગુરુની પાસે ગયે. ત્યારે ગુરુએ કહ્યું કે, “સ્થૂલભદ્રમુનિ અતિદુષ્કરકારક જ છે કે, જેણે લાંબા કાળની પરિચિત અને અતિનેહાળ ધર્મશ્રદ્ધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy