SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા, સ્થૂલભદ્રની કથા [ ૧૧૭ ' આ ચિંતવ્યું.' રાજાએ તેને અભિનંદન આપ્યાં, એટલે તે મહાત્મા મહેલમાંથી નીકળી ‘ગણિકાને ત્યાં જશે’-એમ શકાવાળા રાજાએ તેને જતા દેખીને તપાસ કરાવી, તેા જેમ કેાઈ મડદાના કલેવરની દુર્ગંધવાળા માર્ગે જાય, તે સ્થિતિએ વેશ્યાના ઘર પાસેથી તેની સામુ જોયા વગર ચાલ્યા ગયા. એટલે રાજાએ જાણ્યું કે, ‘નક્કી તે કામભાગેથી વૈરાગ્ય પામેલા છે.’ એટલે શ્રીયકને મ`ત્રીપદે સ્થાપન કર્યા. આ તરફ સ્થૂલભદ્ર તે સંભૂતવિજય ગુરુના ચરણ-કમલમાં પ્રત્રજ્યા અંગીકાર કરીને વિવિધ પ્રકારના અત્યુગ્ર તપ અને ચારિત્રની આરાધના કરવા લાગ્યા. હવે કેાઈક વખતે વિહાર કરતા કરતા સુંદર ધર્માંમાં તલ્લીન મનવાળા સ્થૂલભદ્ર મુનિ ગુરુ સાથે પાટલિપુત્રનગરે આવ્યા. ચામાસાના કાળમાં ભવના ભયથી તીવ્ર ઉદ્વેગ પામેલા એવા તેમની સાથેના ત્રણ મુનિઓએ અનુક્રમે દુષ્કર અભિગ્રહો આ પ્રમાણે ગ્રહણ કર્યા. એક સિંહગુફામાં, બીજા ભયંકર ઝેરવાળા સપના રાફડા પાસે, અને ત્રીજા કૂવાના ઉપર રહેલા કાષ્ઠ ઉપર રહી ચાર માસના ઉપવાસ કરનાર હતા. સ્થૂલભદ્ર મુનિએ ગુરુને વિનંતિ કરી કે- હે ભગવંત ! હું તપ કર્યા વગર કાશાના ઘરે ચામાસામાં રહીશ. જેનું સત્ત્વ જાણેલુ છે, એવા ગુરુએ તેને ત્યાં રહેવાની અનુમતિ આપી. ત્યાર પછી સ્થૂલભદ્ર કાશાના ઘરદ્વાર પાસે આવ્યા. ખુશ થયેલી કેાશાએ ઉભા થઈ વિચાર્યું કે, ‘ આ ચારિત્રના પરિષહાથી ભગ્નપરિણામી થયા જાય છે.’ કેાશાએ હાથ જોડી વિનંતિ કરી કે− આજ્ઞા કરી કે, અત્યારે મારે શું કરવું ?’ (૫૦) ‘પૂર્વે આ ઉદ્યાનના મધ્યભાગમાં જે મકાનમાં ભાગેા ભાગવતા હતા, તેમાં ચાર માસ માટે નિવાસ આપ.' તેણે વસતિ આપી. દરેક પ્રકારના રસવાળાં ભેાજન આરેાગ્યાં. હવે કૈાશા સ્નાન કરવાથી અને ગુણેા ધારણ કરવાથી પવિત્ર દેહવાળી, સર્વાલ કારથી વિભૂષિત બની રાત્રે હાથમાં દીવા લઇને પેાતાને કૃતા માનતી, મેહક મધુર શબ્દો મેલતી કાઈ પ્રકારે તેની સાથે ક્રીડા કરવા સમથ ન બની. ઉલટુ તેમના ઉપદેશથી મેહને પ્રશાંત કરી શ્રાવિકા ખની. રાજાના અભિચાગની માત્ર છૂટ રાખી, તે સિવાય કાઇ પુરુષની સાથે મારે ક્રીડા ન કરવી-એવા પ્રકારની વિકારરહિત અની મૈથુન-સેવનની વિરતિ અંગીકાર કરી. સિંહ અને સર્પને ઉપશાંત કરી ચાર માસના ઉપવાસ કરનારા, તથા કૂવાના કાષ્ઠ ઉપર ચાર માસના ઉપવાસ કરી રહેનાર એમ ત્રણે મુનિવરે ગુરુ પાસે પાછા આવી ગયા. એટલે ગુરુમહારાજે લગાર ઉભા થઈ એમ કહ્યું કે, ‘દુષ્કર કરનાર એવા તમારુ સ્વાગત કરુ છું.' જેટલામાં આ કહ્યું, તેટલામાં ગણિકાને ઘરે દરરાજ મનેાહર આહાર કરનાર હાવાથી મનેાહર શરીરવાળા હોવા છતાં સમાધિ ટકાવી રાખનાર એવા સ્થૂલભદ્ર મુનિવર પણ આવી પહેાંચ્યા. એટલે ગુરુ મહારાજે ‘ અતિદુષ્કરકારક ! અતિદુષ્કરકારકનું સ્વાગત' એમ ઘણા આદર-સ્નેહ સાથે કહ્યું, એટલે આગળ આવેલા ત્રણ તપસ્વી મુનિએ ઇર્ષ્યા પામીને કહેવા લાગ્યા ' કે, ‘દેખા ! આચાર્ય મહારાજે તપ ન કરનાર, ચિત્રશાળામાં મનગમતાં ભાજન કરનાર એવા અમાત્યના પુત્રની પ્રશંસા કરી.' તે રોષ મનમાં છૂપાવીને ‘હવેના ચામાસામાં મારે પણ તેને ત્યાં જવું.' એમ સિંહગુફાવાસી સાધુએ નક્કી કર્યુ અને તે સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy