SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા, સામક ચિત્રકારપુત્ર [ ૧૦૧ તે ચિત્રકારાને તરત જ માની વચ્ચેથી જ પકડીને એક સાંકળમાં બધાને જકડ્યા અને તે સર્વેનાં નામેા લખીને તે નામવાળાં પત્રકા (ચીડ્ડીએ) ઘડામાં નાખી અને તે ઘડા ઉપર મુદ્રા-સીલ માર્યુ. જે વરસે જેના નામની ચીઠ્ઠી નીકળે, તે વરસે તે ચિતારા યક્ષનું ચિત્રામણ કરે. એમ કરતાં ઘણા કાળ પસાર થયા. ત્યાર પછી કાઈક સમયે કૌશાંબી નામની શ્રેષ્ઠ નગરીથી ચિત્રકારને એક પુત્ર પેાતાના પિતાને ઘેરથી નાસીને સાકેત નગરીમાં પેાતાની માતાની માતા પાસે આવ્યે. આ ડેાશી પેાતાના પુત્ર અને તેના પુત્ર વચ્ચે તફાવત જાણતી નથી. પોતપેાતાના કાર્ય માં તત્પર રહેલા એવા તેઓના દિવસે। આનમાં પસાર થતા હતા. હવે તે વરસે તે ડાશીના પુત્રના ચિત્રામણ કરવાના વારા આવ્યેા. જેની મુખકાંતિ ઉડી ગઈ છે, એવી તે વારંવાર રુદન કરવા લાગી. આવનાર ચિતારાએ કહ્યું કે, હે માતાજી! તમે રુદન ન કરો. આ વર્ષે તે કાય હું સાચવી લઈશ, ત્યારે તે ખેલી કે, શું તું મારા પુત્ર નથી ? કે, તને આવા કષ્ટમાં હું નાખું.’ આમ ખેલતી વૃદ્ધાને કેટલાંક સાન્જીન વચનેા કહીને શાન્ત કરી. હે માતાજી! શાકના ત્યાગ કરીને સુખેથી રહેા. તેણે જાણ્યુ કે, ‘દેવતાએ વિનય કરવાના ઉપાયથી પ્રસન્ન થાય છે. તે આ વિષયમાં મારે ઉત્તમ પ્રકારના વિનયવાળા થવું. તેણે છઠ્ઠું તપ કર્યાં, તથા બ્રહ્મચર્ય પાલન આદિ વિનય કર્યા. ત્યાર પછી રંગ, પિંછી, શરાવલુ વગેરે ચિત્રનાં સાધના તદ્ન નવાં લાગ્યેા, વિધિપૂર્વક સ્નાન કર્યું. દશીવાળાં વસ્ત્ર પહેર્યા, આઠ પડવાળા વસ્ત્રથી મુખખધ કર્યા, નવા કળશે!માં જળ ભરી યક્ષ-પ્રતિમાના અભિષેક કર્યો. આદરપૂર્ણાંક તેનું ચિંતન કરી, તેના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે, ‘ અહિં પૂજા-વિધિ કરવામાં જે કઈ મારાથી અવિધિ-આશાતના રૂપ અપરાધ થયા હોય, તેની ક્ષમા આપો' ખુશ થયેલા યક્ષે પ્રસન્ન થઇ તેને કહ્યું કે, તને ગમે તે વરદાન માગ,’ ત્યારે તેણે કહ્યું કે-‘હવે લેાકમાં મારી(મરકી) રોગ ન કરવા ’–આ જ મારું વરદાન છે. યક્ષે કહ્યું કે, જે તને ન હણ્યા, એટલે હવે બીજાને પણ નહિં હણીશ. હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયેલા છું, માટે આ સિવાય બીજું કંઇક વરદાન માગ’ (૨૦) ત્યારે તેણે એવી માગણી કરી કે, ‘ જે કાઇ એ પગવાળા કે ચાર પગવાળા, કે કાઇ પણ પદાર્થના એક અમુક જ ભાગ દેખું, તા તે દેખેલાને અનુસારે વગર જોયેલ આકીના સમગ્ર ભાગ પણ ચિતરી શકું, ' આ પ્રમાણે કહ્યા પછી યક્ષે-‘ભલે, એમ તારી ઈચ્છાનુસાર થાએ. '–એમ કહી તેની વાતનેા સ્વીકાર કર્યાં. ત્યાર પછી રાજાએ પણ તેનેા સત્કાર કર્યા અને લેાકેાએ તથા રાજાએ સાબાશી આપી. હવે તે ચિત્રકાર અનુક્રમે કૌશાંબી નગરીએ પહેલુંચ્યા. કે, જ્યાં શતાનીક રાજા રાજ્ય કરતા હતા. સુખાસન પર બેઠેલા તેણે દૂતને પૂછ્યું કે, ‘ બીજા રાજાઓને ત્યાં જે છે, તેમાંનું મારા રાજ્યમાં શુ' નથી ? ’ તેણે કહ્યું કે, ‘હે દેવ ! આપના રાજ્યમાં ચિત્રસભા નથી. ' મનથી દેવતાનાં અને વચનથી રાજાઓનાં દુઃસાધ્ય કાર્યા પણ નક્કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy