SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] ઉપદેશપદ-અનુવાદ ભરેલા આવા ક૯૫કના શબ્દો સાંભળીને અને ચેષ્ટાઓ જોઈને પ્રતિપક્ષને પુરુષ કંઈ પણ સમજી શક્યો નહિં. ત્યાર પછી ક૯પક તરત જ પ્રદક્ષિણા ભ્રમણ કરી પાછો આવી ગયે. બીજો પણ તદ્દન વિલખો બની પાછો આવ્યો. તેને પૂછ્યું, પરંતુ લજજાથી તે કંઈ પણ બોલી શક્યો નહિ, પરંતુ કટપક ન સમજાય તેવું બહુ લપલપ કરતો હતો-એમ કહ્યું. (૧૨૦) સામા પક્ષવાળા સમજી ગયા કે, “કપે આને વશ કરી લીધો છે, હવે તે આપણા હિતમાં નથી. નહિંતર આવો ચતુર ક૯પક છે, તેને બહુપ્રલાપ કરનાર કેમ કહે.” આવી રીતે શંકામાં પડેલા તેઓ દરેક દિશામાં નાસ–ભાગ કરવા લાગ્યા. કપકે રાજાને કહ્યું કે, “હવે તેની પાછળ પડીને તેના હાથી, ઘોડા, ઘણું ધન અને છાવણી વગેરે સ્વાધીન કરી લો.” રાજાએ ફરી કલ્પકને તેના આગલા પદ પર સ્થાપન કર્યો. પિતાની બુદ્ધિથી કલ્પકે સર્વ રાજ્ય-કાર્યો સ્વાધીન કર્યા અને પહેલાના વિરોધી મંત્રીને પકડાવી મજબૂત કેદખાનામાં નાખે. “અતિતીકણ દાવાગ્નિથી બળી ગયેલ હોવા છતાં તેનાં મૂળિયાં કાયમ રહેલાં હોવાથી આખું વૃક્ષ ફરી સજીવન થાય છે, પરંતુ અતિમૃદુ-શીતલ એવો જળપ્રવાહ મૂળસહિત વૃક્ષોના સમૂહને મૂળમાંથી ઉખેડીને ફે કી દે છે.” આ ન્યાયને અનુસરીને તેણે કેવળ સામનીતિથી પિતાના વૈભવને ન સહી શકતા શત્રુઓને મૂળસહિત ઉખેડી નાખ્યા. જેમ અગ્નિમાં નાખેલું સુવર્ણ અતિ તેજસ્વી બની બહાર નીકળે છે, તેમ સંકટમાંથી પસાર થયેલો ક૯૫ક અધિક તેજસ્વી થયે, અર્થાત્ તેને પ્રભાવ વૃદ્ધિ પામ્ય. અતિ ઉગ્ર વૈરાગ્ય પામેલા ક૯૫કે જિનમંદિરોમાં જિનોના પૂજાદિક મહોત્સવ કરવા દ્વારા જૈનધર્મની અને શાસનની મહાપ્રભાવના કરી. પવિત્ર શીલવાળી કેટલીક કુલબાલિકાઓ સાથે વિવાહ-લગ્ન કરી પિતાનો વંશ વૃદ્ધિ પમાડ્યો, તેમજ બંધુવને પણ સંતોષ પમાડ્યો. આ રીતે સમગ્ર અર્થશાસ્ત્રને જાણનારી તેની બુદ્ધિ હોવાથી તેની ધનયિકી બુદ્ધિ જાણવી. યોગ્ય સમયે જિનવચનની આરાધના કરી તે સ્વર્ગે ગયે. (૧૦૩) ક૯પકમંત્રીની કથા સમાપ્ત. અથવા સમક નામના ચિત્રકારના પુત્રનું દષ્ટાંત. જે પ્રકારે તેને આ વૈયિકી નામની બુદ્ધિ ઉત્પન્ન થઈ, તે હવે જણાવીશ. સર્વ અર્થ સાધવા માટે સમર્થ સાકેત નામના નગરના ઈશાન ખૂણામાં અતિ રમણીય સુરપ્રિય નામના યક્ષનું મંદિર હતું. ત્યાં રહેલા યક્ષના પટ્ટની આગળ હંમેશાં મનોહર મહોત્સવ ઉજવાતા હતા. વળી પવનથી ફરકતી ચલાયમાન દવજાના આડંબરથી તે મંદિર સુંદર દેખાતું હતું. પિતાના નજીકના પ્રાતિહાર્ય સહિત યક્ષનું ચિત્રામણ કરી દરેક વર્ષે તેનો મહોત્સવ કરવામાં આવતો હતો, પરંતુ ચિત્ર ચિતરનારને જ તે યક્ષ મારી નાખતો હતો. કદાચ ચિત્રામણ ચિતરવામાં ન આવે, તો નગરમાં મરકીનો ઉપદ્રવ ફેલાવતો હતો. પ્રાણ બચાવવા માટે ચિત્રકારો ત્યાંથી પલાયન થવા લાગ્યા, એટલે રાજા વિચારવા લાગ્યો કે, જો આનું ચિત્રામણ નહીં ચીતરાવીએ તો, આપણો પણ વધ થશે.” પલાયન થતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy