SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] ઉપદેશપદ-અનુવાદ કહ્યું કે, “પાપપૂર્ણ કાર્યને હું કેમ કબૂલ કરું?” રાજાએ વિચાર્યું કે, “અપરાધમાં સપડાવ્યા સિવાય એ આધીન નહિ થાય.” આ કાર્ય તેની નજીક જે ધોબી રહે છે, તેના દ્વારા સાધી શકાશે. ધોબીને બોલાવી પૂછ્યું કે, “કલપકનાં વસ્ત્રો તું ધૂવે છે કે બીજો કોઈ? (૮૦) તેણે કહ્યું કે, “હું જ તે હવે જ્યારે તને વસ્ત્રો ધેવા આપે, તો તું તેને બિલકુલ પાછો ન આપીશ-એમ કહી તેને પ્રતિષેધ કર્યો. હવે ઈન્દ્રમહોત્સવ આવતાં ક૯પકને તેની પત્ની કહેવા લાગી કે-“હે પ્રિયતમ! તમે મારાં વસ્ત્રો સુંદરમાં સુંદર લાગે, તેવાં રંગાવી આપો.” અતિસંતોષી મનવાળે ક૯૫ક તે ઈચ્છતું નથી, તો તેની સ્ત્રી વારંવાર કહેવા લાગી, એટલે તે ધોબીને ત્યાં વસ્ત્રો લઈ ગયે. ધોબીએ કહ્યું કે, “વગર મૂલ્ય હું તમને વસ્ત્રો રંગી આપીશ.” હવે મહોત્સવના દિવસે વસ્ત્રો માગ્યાં, પરંતુ આજ આપીશ, કાલ આપીશ” એવા અનેક વાયદા કર્યા. એમ વાયદા કરતાં કરતાં ઘણો સમય પસાર થયો. છેવટે બીજું વર્ષ આવ્યું, એમ ત્રીજું વર્ષ આવ્યું. કલ્પક પણ હવે દબાણથી માગવા લાગ્યા, તે પણ પાછાં આપતા નથી. ત્યારે કોધથી લાલ અંગવાળા બની ગયેલા તેણે કહ્યું કે, જે હવે પાછાં નહીં આપીશ, તે તારા લેહીથી જ આ વસ્ત્રો રંગીશ; એમ ન કરું તે હું ભડભડતા અગ્નિની વાલામાં નકકી પ્રવેશ કરીશ.” ત્યાર પછી પિતાના ઘરે પહોંચે અને એક તીક્ષણ કરી ગ્રહણ કરીને ધોબીના ઘરે જઈને તેની ભાર્યાને કહ્યું કે, “મારાં વસ્ત્રો લાવીને આ૫, જેટલામાં તે લાવે છે, તેટલામાં કપકે ધોબીનું પેટ ચીરીને તેના લોહીથી વસ્ત્રો લાલ કર્યા. તેની ભાર્યા ક૯પકને કહેવા લાગી કે, “આ નિરપરાધીને શા માટે શિક્ષા કરી ?” રાજાએ તેને નિષેધ કરેલો હતો, તે કારણે લાંબા કાળથી તે વસ્ત્રો આપતો ન હતો. (૯૦) તેણે વિચાર્યું કે-“આ તો રાજાને પ્રપંચ છે, પણ આ વાંક નથી. ધિક્કાર થાઓ મને કે, વગર વિચાર્યું એકદમ વગર લેવા-દેવાએ આને શિક્ષા કરી. જે તે વખતે અપાતું અમાત્યપદ મેં ન સ્વીકાર્યું, તેનું ફળ મને અત્યારે મળ્યું. જે હું પ્રજિત થયો હતે, તો આવા પ્રકારનું સંકટ ભેગવવાને સમય ન આવતે. હવે તો જાતે જ રાજા પાસે પહોંચી જાઉં અને અપરાધ જાહેર કરું, નહિતર સીપાઈઓ મને બલાત્કારથી રાજમાર્ગેથી લઈ જશે.” એમ વિચારીને તે રાજદરબારમાં ગયો અને વિનય-સહિત રાજાનાં દર્શન કર્યા અને વિનંતિ કરી કે, મને આજ્ઞા આપે કે, મારે શું કરવું?” રાજાએ કહ્યું કે, “પૂર્વે જે કહેલ હતું.” ત્યાર પછી રાજ્યચિંતા કરનાર એવા અમાત્યપદે તેને સ્થાપન કર્યો. તે જ ક્ષણે રડારોળ કકળાટ કરતા બેબીઓ રાજકુળમાં આવ્યા. રાજાને કલ્પક સાથે પ્રીતિ-સહિત વાતચીત કરતે દેખી ધોબીઓ દરેક દિશામાં નાસી ગયા. કપકે ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અનેક પુત્રરત્ન ઉત્પન્ન થયા. કઈ વખત પુત્રના પાણિગ્રહણ સમયે અંતઃપુર-સહિત રાજાને ભોજન કરાવવાની તૈયારી કરી. રાજાને, રાણીઓને આપવા માટે આભૂષણો, હથિયારે ઘડાવવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy