SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ] ઉપદેશષદ-અનુવાદ આ બાજુ નાપિતની શાળામાં બે અક્ષરના નામવાળો નંદ નામને નાપિતપુત્ર હતું. તે બહાર ગયા અને કંઈક કારણસર આવેલા ગુરુને નિવેદન કરવા લાગ્યો કે, આજે રાત્રિ પુરી થવાના સમયે મને સ્વમ આવ્યું કે, “આ નગરને પિતાનાં આંતરડાંથી મેં ચારે બાજુથી ઘેરી લીધું છે.”—તે આ સ્વપન ફલાદેશ મને કહો. સ્વપ્રશાસ્ત્રના ફળને જાણનાર તે ઉપાધ્યાય તે નંદને પિતાના ઘરે લઈ ગયે અને ત્યાં તેને આખા શરીરે નવરાવી અતિ વિનયપૂર્વક પિતાની પુત્રી આપી. ત્યારે તે ઉદય પામતા સૂર્યની જેમ એકદમ શોભા પામવા લાગ્યું. શિબિકામાં આરૂઢ થઈને જ્યારે નગરની અંદર ફરવા નીકળ્યો, ત્યારે અંતઃપુરની શય્યાપાલિકાઓએ રાજાને મૃત્યુ પામેલ છે. એટલે તેઓએ એકદમ બૂમરાણ કરી મૂકી. ત્યાર પછી રાજ્યચિંતા કરનાર પુરોહિતે પાંચ દિવ્ય-ઘડા વગેરેને અધિવાસિત કરી નગરમાં લઈ ગયા. સ્નાન કરેલા બે અક્ષરના નામવાળા, સ્કુરાયમાન તેજસ્વી શરીરના કિરણવાળા, પ્રગટ થયેલા પૂર્વના પુણ્યવાળા નંદને ઘોડાએ પિતાની પીઠ પર બેસાર્યો. ચામફ્યુગલ વીંજાવા લાગ્યું. આકાશ સરખું મહાછત્ર મસ્તક ઉપર ધારણ કરાયું. સમગ્ર વાજિંત્રો અને માંગલિક શબ્દોવાળાં મૃદંગાદિક વાગવા લાગ્યાં. ત્યાર પછી રાજ્યની ચિંતા કરનાર મનુષ્યએ તેને રાજ્યાભિષેક કર્યો અને ઉદાયી રાજાની ખાલી પડેલી મનહર ગાદી ઉપર સ્થાપન કર્યો. તે નાપિતને પુત્ર હોવાથી સુભટ, સરદારે અને સર્વે રાજાઓ તેને વિનય ન કરતા હોવાથી તે વિચારવા લાગ્યું કે, “હું કોનો રાજા છું?” કઈક સમયે સભામાંથી ઉભા થઈ બહાર ગયે અને વળી પાછો આવ્ય, તે તે સુભટ અને સરદારે ઉભા ન થયા કે વિનય ન દાખવ્યો. (૫૦) ત્યારે કેધ કરવા પૂર્વક ઉગ્ર ચહેરે કરીને નંદે કહ્યું કે, “અરે! આ ગોધાઓને હણ-મારો.” ત્યારે આ સાંભળીને તેઓ સામસામા જોઈને હસવા લાગ્યા. ત્યાર પછી તીવ્ર રોષાવેશને પરાધીન થયેલા તેણે સભામંડપના દ્વારમાં બે માટીના બનાવેલા પ્રતિહારોને દેખી કહ્યું કે, “જે આ લોકે વિનય નથી કરતા, તે શું તમારામાંથી પણ વિનય ચાલ્યો ગયે છે?ત્યારે લેખમય પ્રતિમાના ભયથી સવે ઉભા થયા. કેટલાકને હાથમાં રહેલ તીક્ષણ ધારવાળી તરવારના ઘાથી મારી નાખ્યા. કેટલાક ભય પામી ત્યાંથી નાસી ગયા. ત્યાર પછી સવે બે હાથ જોડી, ભૂમિ પર મસ્તક લગાડી અર્થાત્ પગે પડીને રાજાને ખમાવવા લાગ્યા અને વિનીત બની વિનય કરવા લાગ્યા. તેને જોઈએ તેવા પ્રકારને કઈ યુવાન મંત્રી ન હતો, તેથી કાળજીપૂર્વક તેની શોધ કરવા છતાં હજુ સુધી કેઈ હાથ લાગ્યો ન હતો. કપક મંત્રીની કથા હવે તે નગરની બહાર બ્રાહ્મણજનને ઉચિત કાર્યો કરનાર, કેઈ કપિલ નામને બ્રાહ્મણ રહેતું હતું. ત્યાં સાંજ સમયે કોઈ સાધુઓ આવ્યા. “જે અત્યારે નગરમાં પ્રવેશ કરીશું તે દુઃખ થશે.” એમ માની તેઓ તેના હવનગૃહમાં રોકાયા. પિતાને પંડિતપણાનું અભિમાન હતું, તેથી તે કપિલ કેટલાક પ્રશ્નને પૂછવા લાગ્યો, પૂછેલા પ્રશ્નના નિઃસંદેહ ખુલાસાપૂર્ણ ઉત્તર સાધુઓએ આપ્યા કે, જેથી તે શ્રાવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy