SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ] ઉપદેશપદ-અનુવાદ મારું ધન ઉઘરાવી આપ.” મિત્રે કહ્યું કે, “તેમાં મારે ભાગ કેટલો?” વિધવાએ સરળ સ્વભાવે કહ્યું કે-“તમે ઉઘરાવી તે લાવે, ત્યાર પછી તમને જે રુચે, તે મને આપજે.” મિત્રે સર્વ ઉઘરાણી એકઠી કરી. ભાગ આપતી વખતે લુચ્ચાઈ કરી–અપ ભાગ આપવા લાગ્યો, એટલે કજિયો રાજદરબારમાં ગયો. વૃત્તાન્ત જાણુતા મંત્રીએ પરીક્ષા માટે પૃચ્છા કરી કે, “તું ક ભાગ ઈચ્છે છે?” મિત્રે કહ્યું કે, “મેટે” ત્યાર પછી દ્રવ્યના બે ભાગ કર્યા. એક અલ્પ અને બીજે મોટે. ત્યાર પછી અલપ ભાગ ગ્રહણ કરાવ્યું. આ વિધવાએ પહેલેથી જ કહેલું હતું કે, “જે તને રુચે તે ભાગ મને આપજે, તને તે મોટો રુચે છે, માટે એ મોટો ભાગ તેને આપવો ઉચિત છે. “શિષ્ટ પુરુષ હંમેશાં અંગીકાર કરેલા–બાલેલાનો કોઈ પણ ભેગે નિર્વાહ કરે છે.” જે માટે કહેલું છે કે-“સજજન પુરુષો અનાગથી કે પ્રમાદથી જે બેલી ગયા હોય, તે પત્થરમાં ટાંકણાથી ખોદેલા અક્ષરે માફક ફેરફાર વગરના રહે છે.” (૧૦૫) ૧૦૬-લક્ષપતિ ધૂર્ત દ્વારકેઈ લક્ષપતિ ધૂર્ત હતું, તે લોકોને એમ કહીને ઠગતે હતો કે-“જે કોઈ મને અપૂર્વ પદાર્થ સંભળાવે, તેને હું લાખ રૂપિયાની કિંમતનું આ કળું આપીશ.” હવે જે કઈ તેને તદ્દન નવું કાવ્ય બનાવીને સંભળાવે, તેમાં પણ તે કહી દેતો કે, “આ તો મેં પહેલાં સાંભળ્યું છે—”એમ ખોટા ઉત્તર આપીને સામાને વિલખા પાડતો હતો. વળી પોતાને માટે એવો પ્રવાદ ફેલાવ્યું કે-“સર્વ શ્રતનો જાણકાર છું.” ત્યાં રહેલા એક સિદ્ધપુત્રને આ વાતની ખબર પડી. તે વખતે ઉત્પન્ન થયેલા બુદ્ધિવાળા તેણે તેની આગળ જઈને કહ્યું કે-“તારા પિતા મારા પિતા પાસેથી એક લાખ સોનામહેરો દેવું કરીને લાવેલા છે જે આ વાત તે પૂર્વે સાંભળી હેય, તે તે રકમ પાછી આપ અને ન સાંભળી હોય તે લાખની કિંમતનું કાળું આપ.” આ પ્રકારે સિદ્ધપુત્ર એવા બીજા ધૂતે તેની બુદ્ધિને પરાભવ કરવા રૂપ છલના કરી. (૧૦૬) આપત્તિકી બુદ્ધિનાં ઉદાહરણ પૂર્ણ થયાં. | નમ: મૃતદેવતા છે હવે ધનયિકી બુદ્ધિનાં ઉદાહરણનું વિવેચન કરીશું. ૧૦૭–વૈનાયિકી બુદ્ધિના વિષયમાં નિમિત્ત એવા દ્વારને વિચાર કરીએ છીએ. કોઈક સિદ્ધપુત્રની પાસે બે પુત્રો અર્થાત્ શિષ્ય હતા. પુત્ર અને શિષ્યને સમાન જ ગણેલા છે. તે બંને શિષ્યને સિદ્ધપુત્ર નિમિત્તશાસ્ત્ર ભણાવ્યા. કોઈક વખતે તૃણ, કાછ, દર્માદિ લેવા માટે અરણ્યમાં ગયા. ત્યાં બંનેએ હાથીનાં પગલાં જોયાં. એકે “આ હાથણીનાં પગલાં છે.” એમ વિશેષતા કહી. કેવી રીતે તે જાણ્યું? તે કે, કરેલા મૂત્રના આધારે. વળી તે હાથણી કાણું છે.” કારણ કે, એક બાજુનાં તૃણાદિકનું ભક્ષણ કરેલું છે. વળી મૂત્ર કરેલાના આધારે એક સ્ત્રી અને પુરુષ તેના ઉપર રહેલા છે. મૂત્ર કરીને ઉભા થતી વખતે હાથને ટેકે દઈને, તેનાં આંગળાં જમીન પર પડેલાં છે, તેમ ઉભી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy