SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ઓત્પત્તિક બુદ્ધિનાં ઉદાહરણો [ ૯૧ છે.” એટલે તેને તગડી મૂકી, જન્મ આપનારી માતાને પુત્ર અને ધન સમર્પણ કર્યા. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે કેટલાક ધાતુ ધમનારાઓએ કોઈ પર્વતમાં સુવર્ણસિદ્ધિ મેળવવા માટે સર્વ પ્રયાસ કર્યો, પરંતુ સુવર્ણની પ્રાપ્તિ ન થઈ. તેથી તેઓ દિલગીર થઈ ત્યાં રહેલા છે. ત્યાં આગળ પર્વત પાસે નજીકમાં લશ્કરની છાવણીમાં રાત્રે સળગતા અગ્નિને દેખીને કૌતુકથી રાજા એકલો ત્યાં ગયો અને પૂછયું કે, “તમે આ શું આરંભ્ય છે?” તેઓએ વિસ્તારથી પિતાની હકીકત કહી. ઐત્પત્તિકી બુદ્ધિવાળા રાજાએ જાણ્યું કે-આવાં કાર્યો હિંમતથી થાય છે અને તેઓમાં તે હિંમત-સત્ત્વ નથી. માટે મારું પિતાનું મસ્તક છેદીને આ અગ્નિમાં નાખું.” તે પ્રમાણે જેટલામાં તે કરવા તૈયાર થયે, તેટલામાં તલવાર ખેંચેલા જમણા હાથને કેઈક અદશ્ય અધિષ્ઠાયિકા દેવીએ થંભાવી દીધો. રાજાના પરાકમથી આકર્ષાયેલી દેવી તેની હિંમતથી પ્રસન્ન થઈ અને સુવર્ણ બનાવી આપ્યું. (૧૦૩) શસ્ત્ર-શાસ્ત્ર નામના દ્વારનો વિચાર – - ૧૦૪–કઈક રાજાને ત્યાં હથિયાર સહિત સેવકે આવી તેની સેવા કરવા લાગ્યા. પરીક્ષા માટે રાજા તેને કંઈ પણ પગાર કે મહેનતાણું આપતા નથી. ત્યારે તેઓ બીજે જવા તૈયાર થયા, એટલે પરિમિત આજીવિકા-દાન આપવાનું નક્કી કર્યું. કેટલાક પિતાના પુરુષાર્થના પ્રમાણમાં વૃત્તિ ન મળવાથી બીજે સ્થળે ગયા. ૫ત્તિકી બુદ્ધિથી રાજાએ જાણ્યું કે, “આ મહાપરાક્રમી છે.” બીજા કેટલાક આચાર્યો આ વાત બીજા સ્વરૂપે કહે છે કે, ૧ આત્રેય, ૨ કપિલ, ૩ બૃહસ્પતિ અને ૪ પાંચાલ નામના ઋષિઓએ કહેલા વૈદ્યક. ધર્મ, અર્થ અને કામ સંબંધી ચારે શાસ્ત્રોને પ્રતિજ્ઞા પૂર્વક પક્ષપાત કરીને આપત્તિકી બુદ્ધિથી વિશેષ જ્ઞાન મેળવ્યું. કેઈક સમયે પાટલિપુત્ર (પટણ) નગરમાં કઈક રાજા પાસે વૈદ્યકાદિ શાસ્ત્રો હાથમાં લઈને ચાર ઋષિએ આવીને કહેવા લાગ્યા કે-આ શાસ્ત્રના જ્ઞાનના અનુસારે તમારે અમારી પૂજા-સત્કાર-સન્માન કરવાં જોઈએ.” રાજાએ વિચાર્યું કે, “આપણે એ જાણતા નથી કે, કયા શાસ્ત્રનું કોને કેટલું જ્ઞાન છે? તેની પરીક્ષા માટે તેમને પ્રતિજ્ઞા કરાવી પરસ્પર વાદ કરાવ્યો. કેનામાં પ્રજ્ઞાને પ્રકર્ષ–અધિક બુદ્ધિ છે, તે જાણી તેને અનુરૂપ તેમનું સન્માન વગેરે કર્યું. અહિં સરળ શબ્દ પ્રાકૃત હોવાથી તેના શસ્ત્ર અને શાસ્ત્ર એવાં બે વ્યાખ્યાન અવિરોધથી થાય છે, માટે બે વ્યાખ્યાન કર્યા, તે બોટાં નથી. (૧૦૪) ઈચ્છાએ મોટું એ કારનો વિચાર– - ૧૦૫–કોઈક નગરમાં કોઈક કુલપુત્રક મૃત્યુ પામ્યો, એટલે તેની પત્ની પતિ મૃત્યુ પામવાથી વિધવા બની. પતિએ વેપારમાં જે મુડી રોકી હતી અને લોકોને ધીયુ" હતું, તે લેણુ તરીકે ઉઘરાવવા માંડયું, પરંતુ આ સ્ત્રીને કોઈ આપતા નથી. પુરુષને લોકો દાદ આપે છે, એટલે તે વિધવાએ પતિના મિત્રને કહ્યું કે, “દેણદારો પાસેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy