SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] ઉપદેશપદ-અનુવાદ રને મહત્સવ ચાલતું હતું, ત્યારે મિત્રના બે બાળકોને ભજનનું આમંત્રણ આપ્યું. તે બંનેને છૂપાવી દીધા. તેના પિતાને તે પાછા આપતું નથી અને તેમને પ્રત્યુત્તર આપે છે કે-મંદભાગ્યવાળા આપણે શું કરીએ કે-મારા દેખતાં જ તારા પુત્ર વાનર બની ગયા.” તે વાતની શ્રદ્ધા ન કરતે ઘરે આવ્યા. પહેલાં બનાવેલી તેના આકારની મૂર્તિ ખસેડીને તેને તે સ્થાને બેસાડ્યો. કિલકિલારવ કરતા અને છૂટા મૂકેલા પેલા બે વાનરે તેના મસ્તક ઉપર ચડી બેઠા. પછી તે બોલવા લાગ્યો કે, “જેમ નિભંગી હોવાથી નિધિ પલટાઈ ગયે, તેવી રીતે આ પુત્રે પણ વાનરોમાં પલટાઈ ગયા. પેલે સમજી ગયા કે, “લુચા સાથે લુચ્ચાઈ કરવી.” એ વચનને આણે ચરિતાર્થ કર્યું જણાય છે. ત્યાર પછી નિધિને ભાગ આપે. બીજાએ પણ પુત્રે સમર્પણ કર્યા. (૧૦૧) ૧૦૨–શિક્ષાદ્વાર–શિક્ષા એટલે ધનુર્વેદ સંબંધી અભ્યાસ. ધનુર્વેદની કળાને અભ્યાસ કરનાર એક કુલપુત્ર, પૃથ્વીતલ જોવાની ઈચ્છાથી કુતૂળથી પરિભ્રમણ કરતા કરતો કેઈક નગરમાં કેઈક ધનવાન શેઠને ત્યાં આવી ચડ્યો અને ત્યાં જ ઉતર્યો. ઘરના માલિકે સ્નેહપૂર્વક સ્વાગત કરી પૂજા કરી અને પિતાના પુત્રને ભણાવવા માટે નિયુક્ત કર્યો. ભણાવતાં ભણાવતાં ઘણા ધનની પ્રાપ્તિ થઈ. કેઈ વખતે ભણનારના પિતા સાથે ભણાવનારને અણબનાવને પ્રસંગ ઉભો થયો, એટલે તેની પાસેનું ધન પડાવી લેવા માટે તેના મરણનો કોઈ ઉપાય વિચારવા લાગ્યું. ઘરમાંથી બહાર નીકળવા દેતો નથી. પિતાના સગા-સ્નેહીઓને આ વૃત્તાન જણાવ્યું કે, “નકકી આ મને મારી નાખવાની ઈચ્છાવાળો છે. ” ત્યાર પછી ગાયના છાણમાં પોતાને સર્વ નિધાનઅર્થ છૂપાવી દીધો, તે છાણાં સૂકાવી નાખ્યાં. સ્વજનને કહેવરાવ્યું કે-“હું નદીની અંદર ગાયના છાણના સૂકાયેલા પિંડે ફેંકુ, તે તરતા તરતા તમારી તરફ આવે, ત્યારે તમારે ગ્રહણ કરી લેવા. તેની અંદર મેં ધન છુપાવેલું છે, ત્યાર પછી અમાસ કુળામાં એ રિવાજ છે કે, “પર્વ દિવસોમાં આવી નીતિ-રીતિ કરવી. ”-એમ કહીને તે વિદ્યાર્થી પુત્રોને સાથે લઈ જઈ પેલાં છાણાં નદીમાં તરતાં મૂક્યાં. આ ઉપાય કરીને : પિોતે સર્વ ધન પહોંચાડી દીધું. ત્યાર પછી તે સ્થાનથી નીકળી ગયે. (૧૨) - ૧૦૩–અર્થદ્વાર–કોઈ બાળકને જન્મ આપનારી અને બીજી ઓરમાન એમ બે માતાઓ હતી. પિતા મૃત્યુ પામ્યા હતા. ઘણા દૂર દેશાવરમાંથી આવેલા હોવાથી અહિં તેને કેઈ ઓળખતું નથી. બંને માતાઓને વિવાદ થયો. અહીં કેઈ સાક્ષી નથી. એટલે નિર્ણય માટે રાજદરબારમાં ગયા. ત્યાં રાજાની પટ્ટરાણું ગર્ભવતી હતી, " તેણે આ વિવાદ સાંભળ્યો. બીજો ઉપાય ન દેખતાં તેણે કહ્યું કે, “મારા ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થશે, તે અશોકવૃક્ષની નીચે બેસી તમારે વિવાદ છેદશે. તેટલા સમય સુધી તમારે આનંદપૂર્વક ઉચિત અન્ન-પાન, વસ્ત્ર-પરિભેગ કરતા રહેવું.” ઓરમાન - માતા ખુશ થઈ કે, “આટલો કાળ તો મળે, પછી શું થશે? તે કેણું જાણે છે?” તેના હર્ષનું અવલોકન કરવાથી દેવીએ યથાર્થ હકીકત જાણી કે “આ ઓરમાન માતા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy