SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ઐત્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૮૭ સ્થાન-આસન કરવાના કારણે નકકી થાય છે કે, આ સિવાય આ દેખી શકાય નહિં. (૬) ૯૭—મુદ્રિકા દ્વાર કહે છેકેઈક નગરમાં કઈક ભીખારી એક પુરોહિતના ઘરે પોતાની દ્રવ્ય ભરેલી થેલી થાપણ તરીકે રાખીને પરદેશ ગયે. પાછા આવીને તે પોતાની થાપણ પાછી માગે છે. પુરોહિતની બુદ્ધિ બગડીને આડા-અવળા જવાબ આપતાં તેણે કહ્યું કે, “તેં મને આવા પ્રકારનું કઈ ધન અર્પણ કર્યું નથી.” પિતાનું દ્રવ્ય પાછું ન મળવાથી તે ગાંડ બની ગયે. કોઈ સમયે રાજમાર્ગેથી પસાર થતા મંત્રીને દેખી તેને પુરોહિત-બુદ્ધિથી કહ્યું કે, “અરે પુરોહિત ! મારી હજાર સોનામહરે પાછી આપો કે, જે મેં તમને આગળ સોંપી હતી. મંત્રીએ વિચાર્યું કે, “નક્કી પુરોહિતે “આ અનાથ છે” એમ ધારીને આને લૂંટ્યો છે.” મંત્રીને ભીખારીની દયા આવી. મંત્રીએ આ વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યો. પછી રાજાએ પુરોહિતને પૂછ્યું, તો તેની પાસે પણ ઉડાઉ જવાબ આપ્યો. રાજાએ ભીખારીને દિવસ, મુહૂર્ત અને થાપણ આપતી વખતે રાખેલા સાક્ષી વગેરે ખાત્રીએ એકાંતમાં બરાબર પૂછી લીધી. કમકે સર્વ હકીકત કહ્યા પછી કોઈક સમયે રાજા પુરોહિત સાથે જુગાર રમવા લાગ્યા. તેમાં પુરોહિત ન જાણે તેવી રીતે કઈ પણ ઉપાયથી પુરોહિતના નામથી અંકિત મુદ્રાસન રાજાએ ગ્રહણ કરી લીધું. ત્યાર પછી પહેલાં તૈયાર કરેલ પિતાના અંગત મનુષ્યના હાથમાં આપીને તેને એકાંતમાં કહ્યું કે-“પુરોહિતના ઘરે જઈને આ મુદ્રારત્નની ઓળખ આપીને “પુરોહિતે મને મેકલેલ છે”-એમ નિવેદન કરીને કમક સંબંધી સોનામહેર નકુલ (લી) માગવી શીખવેલ પુરુષ ત્યાં ગયે. નકુલ મેળવ્યું. તેમાંથી બીજા નકુલમાં અંદરનું નાણું બદલી નાખ્યું. કમકને બેલાવી કહ્યું કે, આમાંથી તારે પિતાને જે નકુલ હોય, તે લઈ લે. ત્યારે તેણે પિતાને હતો, તે જ ગ્રહણ કર્યો. એ પ્રમાણે ત્પત્તિકી બુદ્ધિથી પરીક્ષા કરીને તે દ્રમુકને તેને નકુલ હતા, તે જ આ અને અપલોપ બોલનાર પુરોહિતની જીભ છેદી નાખી. (૭) ૯૮-અંક નામનું દ્વાર—એ જ પ્રમાણે આગળના ઉદાહરણની જેમ કોઈએ કેઈકના ઘરમાં ખરા સોનાની હજાર સોનામહોરોથી ભરેલો નકુલ થાપણુમાં મૂક્યા. તેના ઉપર પિતાના નામનો સિક્કો માર્યો. પેલાએ બેટી મહોરો ભરીને સાચી બદલાવી નાખી. ફરી તે જ પ્રમાણે નકુલને સીવી લીધે. પાછા આવેલા તે પુરુષે નકુલ મા, એટલે આપ્યો. જ્યાં તપાસે છે, તે સર્વે સિક્કા બનાવટી–ખોટા નીકળ્યા. અધિકારીઓ પાસે વિવાદ ચાલ્યા. અધિકારીઓએ મહેરોની સંખ્યા પૂછી અને તે જ પ્રમાણે સાચી મહોરોથી નકુલ ભર્યો, એટલે નકુલ તૂટી ગયે. ત્યાર પછી સાચી મહારનું દ્રવ્ય અધિક હેવાથી પુષ્ટપણું થવાથી તેમાં સમાઈ શકી નહિં. એટલે પેલાને સાચી સોનામહોરે અપાવી અને બીજાને શિક્ષા કરી. બીજા આચાર્યો અંક દષ્ટાન્ત આ પ્રમાણે કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy