SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ આપે, તો આ વિવાદનો છેડો લાવું.” સમ્મતિ મળતાં બંને સ્ત્રીઓને કહ્યું કે, “ધન અને પુત્ર બંનેને અહિં સ્થાપન કરે.” તેમ કર્યું એટલે એક કરવત મંગાવી. તેમ જ ધનના સરખા બે ભાગ કર્યા. એટલામાં પુત્રના બે ભાગ કરવા માટે નાભિરથાનમાં કરવત સ્થાપી અને વિચાર્યું કે, “બે ભાગ કર્યા વગર આ વિવાદ નહિં છેદાય.” એટલે તરત પુત્રની અકૃત્રિમ-સ્વાભાવિક સાચા પુત્ર-સ્નેહવાળી સત્ય માતા એકદમ આગળ આવીને કહેવા લાગી કે-“ભલે આ પુત્ર અને સર્વ ધન તેની બીજી ઓરમાન માતાને આપી દે, મારા પુત્રનું મરણ મારે જેવું નથી. અમાત્યપુત્રે જાણ્યું કે, “આ પુત્ર આને જ છે, પરંતુ પેલીને નથી” એટલે ઓરમાન માતાને હાંકી કાઢી અને પુત્ર તથા ધન સાચી માતાને આપ્યાં. (૩૦) એટલે તે અમાત્યપુત્રને પિતાને ત્યાં લઈ ગઈ અને કૃતજ્ઞપણાથી તેણે એક હજાર સોનામહોરે ખર્ચો. ચોથા દિવસે રાજપુત્ર નગરમાં ફરવા નીકળ્યા અને બોલ્યો કે, “જે મને રાજ્ય મળવાનું ભાગ્ય હોય તો જરૂર પ્રગટ થાઓ.” જાણે તેના પુણ્યોદયથી હોય તેમ, તે દિવસે તેનગરનો રાજા વગર નિમિત્તે જ મરણ-શરણ થયા. રાજા પુત્ર વગર હોવાથી રાજ્ય ગ્ય પુરુષની ગષણા કરતાં કેઈ નિમિત્તિયાના કહેવાથી તેને રાજગાદીએ સ્થાપન કર્યો. હર્ષ પામેલા સર્વે મિત્રો એકઠા મળીને પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણું સામર્થ્ય કેટલું છે? તે વિચારીએ-એમ કહી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે હાથની ચતુરાઈની કિંમત પાંચ ટકા, સુંદરતાની સો ટકા, બુદ્ધિની હજાર ટકા અને પુણ્યની કિંમત લાખ ટકા સમજવી.” સાર્થવાહપુત્રે હસ્તકળાથી, શેઠપુત્રે રૂપથી, અમાત્યપુત્રે બુદ્ધિથી અને રાજપુત્રે પુણ્યથી મેળવ્યું છે. અહીં આ કથામાં ચાલુ અધિ. કારમાં અમાત્યપુત્રની ઓપત્તિકી બુદ્ધિ લેવી. બાકીનું તે પ્રસંગથી જણાવ્યું. સમાપ્ત. (૫) ૯૬– મધુસિથ (મધપૂડો ) દ્વાર કહે છે કોઈક રાજાએ પોતાના આખા રાજ્યમાં દરેક પ્રજાએ આટલું મીણ કર તરીકે આપવું–તે હુકમ કર્યો. આ બાજુ કેઈક ગામમાં કઈ કેળીની એક કુલટા સ્ત્રીએ કઈક સમયે કોઈક જાર પુરુષ સાથે પિરુ વૃક્ષના ગહનમાં કામક્રીડા કરતાં કરતાં મધપૂડો દેખે. રાજાના કર તરીકે આપવા માટે મીણ ખરીદ કરતા પિતાના પતિને કહ્યું કે, “તમે મીણ ન ખરીદ કરશે. કારણ કે, મેં એક ઠેકાણે મધપૂડો જોયે છે, માટે તે જ ગ્રહણ કરીને આપજે. શા માટે નિપ્રયેાજન ધન ખરચીને મણ ખરીદવું?' ત્યાર પછી મીણ માટે પત્ની સાથે પેલા વૃક્ષગહનમાં ગયે, પરંતુ તે સમયે મધપૂડો ન દેખાય. બહુ જ સૂક્ષમ રીતે અવલોકન કર્યું, તો પણ ન દેખાય. ત્યારે પત્નીને કહ્યું કે–“અરે! અહિં ક્યાંય પણું તે દેખાતો નથી. એટલે ચોરીથી બીજા પુરુષ સાથે કામક્રીડા કરી હતી અને તે સમયે જે આકાર હતું, તેમ કરીને જોયું, એટલે તે મધપૂડો દેખાય, ગ્રહણ કર્યો, પરંતુ તેમ કરતાં કોળી સમજી ગયો કે, “આ દુષ્ટ શીલવાળી છે. કારણ કે, આવા પ્રકારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy