SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ઓત્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૮૫ ત્યાર પછી પોતાના સામર્થ્યની પરીક્ષા માટે પ્રભાત સમયે પોતાના ઘરેથી કંઈ પણ લીધા વગર માત્ર પિતાનું શરીર સાથે લઈને તે સર્વે એક દેશાંતરમાં ગયા. તેઓ બરાબર મધ્યાહ્ન-સમયે જેમનાં કુલ અને શીલ કઈ જાણતા ન હતા–એવા એક નગરમાં અતિપ્રધાન દેવમંદિરના સ્થાનમાં ઉતર્યા. આજે આપણે ભોજનનો શો પ્રબંધ થશે?—એમ બોલતા સાર્થવાહપુત્રે કહ્યું કે, “તમાં સર્વેને આજે ભેજન મારે આપવું. ત્રણે મિત્રોને ત્યાં બેસાડી નગરમાં પિતે એકલો એક જીર્ણ શેઠની દુકાને આવીને બેઠે. કુદરતી રીતે તે દિવસે કેઈદેવને મહોત્સવ ચાલતો હતો, જેથી ધૂપ, ચંદન, સુગંધી પદાર્થોનો વેપાર જોરમાં ચાલત હતું. જ્યારે પેલો વૃદ્ધ વેપારી પડીકાં બાંધીને આપવા સમર્થ ન થયો, ત્યારે તેને આ સાર્થવાહપુત્ર સહાય કરવા લાગ્યો અને ઘરાકને જલ્દી વિદાય કરવા લાગ્યા. (૧૦) ભોજન-સમય થશે, ત્યારે વેપારીએ કહ્યું કે, “આજે મારા પરણું થજે.” પેલાએ જણાવ્યું કે, “હું એકલો નથી, બહાર મારા બીજા ત્રણ મિત્ર છે. વેપારીએ કહ્યું કે, “તે તેમને જરૂર જલ્દી બોલાવે, મારે તે તમે સર્વે સાધારણ છો.” અતિ સારભૂત પાંચ રૂપિયાનો ખર્ચ થાય, તેવું ભેજન ઘણા આદર અને સન્માનથી કરાવ્યું. બીજા દિવસે શેઠપુત્રે ભજન-દાનની પ્રતિજ્ઞા કરી. સૌભાગ્યવંત જનોના મસ્તકના રત્ન સરખો તે બહાર નીકળ્યો. ગામમાં ગણિકાઓના પાડામાં, વચ્ચે રહેલા એક દેવકુલમાં બેઠો. ત્યાં આગળ તે સમયે એક જેવા ગ્ય ખેલ ચાલતો હતો. ત્યાં પિતાના સૌભાગ્ય મદથી ગવિત થયેલી, ભરયુવાન વયથી ઉદુભટ ગણિકાની એક સુંદર પુત્રી કોઈ પણ પુરુષને ઈચ્છતી ન હતી અને કોઈ સાથે ક્રીડા કરતી ન હતી. ત્યાર પછી શેઠપુત્રને દેખી આકર્ષાયેલા મનવાળી તે વારંવાર કટાક્ષ સાથે પોતાની નેહાળ મુગ્ધદષ્ટિથી તેને જોવા લાગી. આ બંનેનું દષ્ટિ–મિલન ગણિકાએ જાણ્યું, એટલે તે તુષ્ટ ચિત્તવાળી તેને આમંત્રણ આપી પિતાને ઘરે લઈ ગઈ અને તે પુત્રીને અર્પણ કર્યો. ત્યાર પછી કૃપણભાવરહિત સે રૂપિયાના ખર્ચવાળે ભેજન, તાંબૂલ, વસ્ત્રાદિકથી ચારે મિત્રોને સત્કાર કર્યો. ત્રીજા દિવસે બુદ્ધિની પ્રધાનતાવાળો અમાત્યપુત્ર રાજાના ઘરે ગયો કે, જ્યાં લાંબા કાળથી અનેક પ્રકારના વિવાદ ચાલતા હતા. તેમાં એક વિવાદ એવો હતો કે, બે સ્ત્રીઓ એક પુત્રને લઈને આવી અને પ્રધાનને કહ્યું કે-“હે સ્વામી ! અમારી પ્રાર્થના સાંભળો. અમે ઘણું દૂર દેશથી આવેલી છીએ. અમારા પતિ મૃત્યુ પામ્યા છે. આ ધન અને એક પુત્ર છે. જેને પુત્ર હોય, તેનું જ ધન થાય. અમોને વિવાદ કરતાં ઘણે કાળ વીતી ગયો છે. તો હવે અમારા આ વિવાદને કઈ પ્રકારે આજ અંત આવે તેમ કરો. ત્યાર પછી પુત્ર અને ધન ત્યાં મૂકયાં. ત્યારે અમાત્યે કહ્યું કે, “અરે! આ કઈ અપૂર્વ વિવાદ છે અને આ વિવાદ સહેલાઈથી કેવી રીતે ટાળો?' એમ સ્થાનિક અમાત્યે કહ્યું, ત્યારે અમાત્યપુત્રે કહ્યું કે, “જો તમે સમ્મતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy