SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ હાથ ન પહોંચે, ત્યાં દૂર રાખવી. દૂર રહીને જ જે તે લઈ લેશે, તે એની ભાર્યા. ત્યાર પછી વ્યંતરીએ વિક્રિયલબ્ધિથી લાંબો હાથ કરીને તે વસ્તુનું આકર્ષણ કર્યું -એમ થવાથી સંદેહ દુર થાય અને અધિકારીઓને નિશ્ચય થયો કે, “આ જ વંતરી છે.” એટલે તે વ્યંતરીને હાંકી કાઢી. (૯૩) પતિદ્વાર– ૯૪–કોઈક નગરમાં કોઈ પણ અથડામણના કારણે કોઈ એક સ્ત્રીના બે પતિ થયા. તે બંને પરસ્પર ભાઈઓ હતા. લોકોમાં મોટો પ્રવાદ ચાલ્યા કે, “મોટું આશ્ચર્ય કે એક સ્ત્રીના બે પતિ ! બે હેવા છતાં બંને તરફ સમાન અનુરાગ હતો. લોકોના કાનેથી પરંપરાએ રાજાના કાને વાત પહોંચી. બંનેની સેવા-ચાકરી એક સરખી કરતી હતી. પ્રધાને કહ્યું કે-એવું કદાપિ બની શકે નહિં કે, માનસિક અનુરાગ બંને પ્રત્યે સમાન હોય.” ત્યારે રાજાએ કહ્યું કે, “તે કેવી રીતે જાણી શકાય કે સમાન અનુરાગ નથી.” મંત્રીએ કહ્યું કે, “હે દેવ! પરીક્ષા કરવાથી. તેની પરીક્ષા કરવા માટે આ પ્રમાણે તેના ઉપર આજ્ઞા મોકલે કે-“આજે તારા બંને પતિઓને પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલા ગામમાં જવું અને પાછા પણ આજે જ આવવું.” ત્યાર પછી રાજાએ તે પ્રમાણે આજ્ઞા મોકલી. તેમાં તેને જે પતિ અધિક પ્રિય હતું, તેને પશ્ચિમ દિશામાં અને સામર્થ્યથી બીજાને તેની અવળી દિશાના ગામે મોકલ્યો. ત્યારે પ્રધાને કહ્યું કે, “જેને પશ્ચિમ દિશામાં મોકલ્યો છે, તેના ઉપર તેને અધિક પ્રેમ છે. કેમ કે, તેને જતાં અને આવતાં બંને વખતે સૂર્ય પાછળ રહે છે. બીજાને બંને વખત લલાટ સ્થાનને તપાવનાર સૂર્ય સામે નડે છે” રાજાએ કહ્યું કે, “એમને એમ અજાણ પણામાં પણ મોકલવાનો સંભવ છે, માટે એમ જ કેમ નિશ્ચય કરાય કે, આ જ અધિક પ્રિય છે? ત્યાર પછી પ્રધાને ફરી પણ પરીક્ષા માટે ગયેલા બંને માટે એક જ વખતે માંદા પડેલાના સમાચાર મોકલ્યા. તે જણાવ્યા પછી તે બોલી કે, “પા શ્ચમ દિશામાં ગયેલા પતિનું શરીર ઢીલા સંઘયણવાળું છે, માટે તેની ચાકરી કરવા માટે જાઉં છું.” ત્યાં ગઈ. પ્રધાન-રાજાદિકે જાણ્યું કે, “આ જ પતિ વિશેષ પ્રિય છે.” (૯૪) ૯૫–પુત્ર અને સાવકી માતા કારનો વિચાર કથા દ્વારા કહે છે – ચાર મિત્રોની કથા કોઈક નગરમાં રાજા, મંત્રી, શેઠ અને સાર્થવાહના કળાસમૂહમાં ચતુર અને નિર્મલ મનવાળા ચાર પુત્રો હતા. પરસ્પર એક બીજાને દઢ નેહાનુરાગ હતો, લોકોને ગમે તેવું યૌવન પામ્યા, પરંતુ ક્ષણવાર પણ તેઓ વિરહ સહન કરી શકતા નથી. વિરહમાં દિલગીર થાય છે. એક મનવાળા તેઓ માંહમાંહે કહેવા લાગ્યા કે-“શું લોકોની વચ્ચે તે પુરુષ કોઈ દિવસ ગણતરીમાં લેવાય ખરો કે, જેણે પિતાના આત્માને દેશાન્તરમાં જઈને કાર્યારૂઢ બની પિતાનું સામર્થ્ય કેટલું છે ? તેનું માપ નથી કાઢયું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy