SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] આ ઉપદેશપદ- અનુવાદ કેઈક પુરુષે પિતાના મિત્રના ગોકુળમાં પિતાની ગાયો ચરવા મેકલી. લોભી મિત્રે પિતાની અને મિત્રની ગાય ઉપર પોતાના નામની નિશાની અંકાવી. વખત જતાં મિત્રે પોતાની ગાયો માગી કે, “હવે મને મારી ગાયે સોંપી દે.” પેલાએ કહ્યું કે, “જેના ઉપર નિશાની ન હોય તે લઈ જા.” પેલાએ જાણ્યું કે, “હું ઠગાયો છું.” નાસીપાસ થયેલા તેણે બુદ્ધ મેળવવા માટે જુગારીઓને સહારે લીધે. આપત્તિકી, બુદ્ધિવાળાઓએ અકકલ આપી કે, “કોઈ પ્રકારે તેની પુત્રીને તારા ઘરે લાવી તારી પુત્રી સાથે સરખી નિશાનીથી અંકિત કર.” તે પ્રમાણે તેણે કર્યું. મિત્રે પોતાની પુત્રી માગી. પ્રત્યુત્તર આપ્યો કે, “જે કોઈ નિશાની પાડ્યા વગરની હોય, તે પુત્રી લઈ જા. ત્યાર પછી બંનેએ એક બીજાની ગાય અને પુત્રી હતાં, તેને તે આપી દીધાં. (૯૮) જ્ઞાનદ્વાર કહે છે – ૯૯–આગલા ઉદાહરણની જેમ કેઈકે કેઈને ત્યાં થાપણ મૂકી. લેનારે નકુલની અંદર રહેલાં કિંમતી નાણું કાઢી લીધાં અને હલકી કિંમતનાં ઓછી ચાંદી-સેનાવાળાં નાણાં અંદર મૂકી દીધાં. પાછો આવ્યો, ત્યારે મૂકેલી થાપણની નકુલ(થેલી) પાછી માગી. નકુલ મેળવીને જ્યાં ખેલીને દેખે છે, તે તેમાં નવાં નાણાં મૂકેલાં દેખ્યાં. વિવાદ કરતા તેઓ અધિકારી પાસે ગયા. વૃત્તાન્ત જાણી ત્પત્તિકી બુદ્ધિવાળાઓએ થાપણ મૂક્યાનો સમય-વર્ષ જાણીને નાણાં વિષયક જ્ઞાન મેળવ્યું કે, આ બીજા સિક્કા છે, તેમાં ચાંદીનું પ્રમાણ અ૯૫ છે. થાપણ મૂકી તેની છાપ સમાન હોવા છતાં તે વધારે કિંમતી હતા અને તે સિકકા બીજા છે. “જુના સિક્કા માટે જૂઠું બોલનાર અપરાધી છે.' એમ કહી તેને શિક્ષા કરી. આમાં મતાંતર છે, બીજા આચાર્ય કહે છે કે, કેઈક રાજાએ ધનના લાભથી પર્વતના વિષમ પ્રદેશમાં માર્ગની નજીકમાં યંત્રપ્રોગવાળી વિવિધ આભૂષણથી શોભાયમાન દેવતાની પ્રતિમા કરાવી. ત્યાર પછી સાર્થવાહ વગેરે લોકે તે માગેથી જતાં કુતૂહળથી તેનાં દર્શન માટે દેવકુલના ગભારામાં જ્યારે પ્રવેશ કરે, ત્યારે તેઓ તેના દ્વારમાં પણ સ્થાપન કરે, એટલે મૂર્તિ એકદમ સામે જઈને પિતાની તરફ ખેંચી લેતી હતી. એટલે છૂપાઈ રહેલા અને તે સ્થાને રોકેલા સીપાઈઓ કપટથી તેમને કહે કે, “તમે પ્રતિમાની ચોરી કરનાર છે.” એમ કહીને પકડીને તેમની પાસેથી સર્વ લૂંટી લેતા હતા. આ પ્રમાણે ઓત્પત્તિકી બુદ્ધિથી રાજાએ પુષ્કળ ધન મેળવ્યું. (૯) ભિક્ષુદ્વારને વિચાર ૧૦૦–આ પ્રમાણે પહેલાના ઉદાહરણ માફક કોઈક ભિક્ષુકે કોઈકની થાપણ પચાવી પાડી અને પાછી આપતા ન હતા, એટલે તે ઠગાયેલા પુરુષ જુગારી પાસે ગયે અને પોતાની હકીકત કહી કે, “લાલવસ્ત્રધારી (બૌદ્ધ) ભિક્ષુક મારી થાપણ પાછી આપતો નથી. ત્યારે તેના ઉપર કૃપા કરી ત્પત્તિકી બુદ્ધિના સહારાથી લાલ વસ્ત્ર વાળા ભિક્ષુકને વેષ પહેરીને તે ભિક્ષુકની પાસે ગયા. તેને કહ્યું કે-“અમે તીર્થયાત્રા માટે જવાના છીએ, તે આ અમારું સુવર્ણ થાપણ તરીકે તમે રાખો. અમે પાછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy