SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] ઉપદેશપઃ-અનુવાદ આ પુરુષ છે કે સ્ત્રી’ એવેા ઉત્તર આપ્યા. આ વાતના પરમાથ એટલેા છે કે- કોઇક પ્રદેશમાં શાકથમતના ભિક્ષુકે એક કાચંડાને જુદા જુદા પ્રકારના વિકારથી મસ્તક ધૂણાવતા જોયા. ત્યાર પછી તે પ્રદેશમાં એક નાના શ્વેતાંબર સાધુ આવી પહોંચ્યા. શાક ભિક્ષુકે મશ્કરીમાં પૂછ્યું કે, અરે ક્ષુલ્લક ! તું સર્વજ્ઞપુત્ર છે, તેા કહે કે, · કયા કારણે આ કાચંડો-સરડા આમ મસ્તક ધૂણાવે છે ?' ત્યાર પછી તે જ ક્ષણે ઉત્પન્ન થયેલી ઔત્પાતિકી બુદ્ધિની સહાયવાળા ક્ષુલ્લકે તેને આવા પ્રકારના ઉત્તર આપ્યા કે, ‘હું શાકભિક્ષુક ! સાંભળ ! આ સરડા તને દેખીને ચિન્તાથી વ્યાપ્ત થયેલા માનસવાળા ઉપર અને નીચે જોયા કરે છે કે-ઉપરથી દેખે છે, તેા દાઢી મૂછ દેખાય છે, તેથી પુરુષ છે અને નીચેથી લાંબી સાડી દેખાય છે, તે સ્ત્રી હશે કે કેમ ? અર્થાત્ ભિક્ષુક હશે કે ભિક્ષુણી ?’ એમ વિચારે છે. (૮૪) ૮૫ કાક નામના દ્વારના વિચાર-આગળ કહ્યું તેવા દૃષ્ટાંતની જેમ કેાઈક લાલ કપડાવાળાએ ભ્રુશ્ર્વક સાધુને પૂછ્યું કે, એન્નાતટ નગરીમાં કેટલા કાગડા હશે ? ' ત્યારે ક્ષુલ્લકે કહ્યું કે, ‘અરે ભિક્ષુક ! આ નગરમાં સાઠ હજાર કાગડા વર્તે છે. ' ભિક્ષુકે કહ્યું કે, જો એછા કે અધિક થશે, તેા શું કરીશ ?” ક્ષુલ્લકે કહ્યું કે, ઓછા હાય તા સમજવું કે એટલા દેશાન્તરમાં ગયા છે અને ઉપલક્ષણથી અધિક વધારે હાય તા દેશાન્તકથી પરાણા આવેલા છે. કહેવાના ભાવ એ છે કે- જો ઓછા થાય તા બીજા સ્થાને ગયા છે અને અધિક હાય તા પરાણા આવેલા છે. ત્યાર પછી શાકયશિષ્ય નિરુત્તર થયેા. અહિં જે મતાંતર છે, તે કહે છે-ખીજા આચાર્યા કહે છે કે, કાઈક વણિકે તેવા પ્રકારના અદ્ભુત પુણ્યાય-ચાગે એકાંત પ્રદેશમાં નિધિ જોચે અને ગ્રહણ કર્યાં. ત્યાર પછી પેાતાની સ્ત્રીની પરીક્ષા કરવા માટે કે, આ નિધાન રક્ષણ કરી શકશે કે કેમ ? ગુપ્ત વાત પેટમાં રાખી શકશે કે પ્રગટ કરશે ?' તે તાપ જાણવા માટે પેાતાની પત્નીને એમ જણાવ્યું કે-‘હું જ્યારે જંગલ ગયા અને ઝાડે ફરવા એઠે, ત્યારે સફેદ કાગડા અપાછિદ્રમાં પેઠા. ' તેણે પેાતાની ચંચળતાથી પેાતાની સખીને આ વૃત્તાન્ત જણાવ્યા, તેણે બીજીને કહ્યો, એવી રીતે લેાકમુખની પર પરાથી છેક રાજા સુધી આ વાત પહોંચી. આ વાત ફુટી ગઈ− પ્રગટ થઇ-એટલે રાજાએ તેને ખેલાવી પૂછ્યું કે- હે વિષ્ણુક્ ! એમ સાંભળ્યું છે કે, ‘તારી પૂંઠના છિદ્રમાં સફેદ કાગડા પેસી ગયા છે ? આ વાત સત્ય છે કે કેમ ?' ત્યારે તેણે રાજાને નિવેદન કર્યું... કે, હું દેવ! મને એક નિધિ મળી આવ્યેા છે, સ્ત્રીની પરીક્ષા કરવા માટે મે આ અસ'વિત વાત તેની પાસે કરી, જો આ ગુપ્ત વાત મનમાં ધારી રાખી શકશે, તે નિધાન-લાભ તેને જણાવીશ’-એમ ધારીને આમ કહેલ-આવી રીતે સાચી હકીકત રાજાને નિવેદન કરી એટલે રાજાએ તેને નિધાન રાખવાની રજા આપી. (૮૫) ૮૬—ઉચ્ચાર નામના દ્વારની વિચારણા-કાઇક વૃદ્ધ બ્રાહ્મણને તરુણ સ્ત્રી મળી. કાઇક સમયે તેવા કાઇક પ્રત્યેાજનથી તેની સાથે કાઇક ગામ જવા પ્રવાં. તે સ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy