SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઓત્પાતિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૭૯ પહેરે છે. તરત જ પુત્રનું વચન માન્ય કરીને જે આગળ વસ્ત્રો પહેરતી હતી, તે જ વેષ ધારણ કર્યો. મોટા મહોત્સવ સહિત વિવિધ રંગની દવાઓ-પતાકાઓ જેમાં ફરકી રહેલી છે, નગરની શોભાઓ જેમાં કરેલી છે–એવા નગરમાં માતા સહિત અભયને પ્રવેશ કરાવ્યો. રાજાની પરમકૃપા પ્રાપ્ત કરી અને સર્વે મંત્રીઓમાં મુખ્ય મંત્રી તરીકે તેને સ્થાપન કર્યો. આ પ્રમાણે ઔત્પાતિકી બુદ્ધિગુણના પ્રભાવથી તે સુખી થયે. (૮૨) ૮૩–૫ટ નામના દ્વારનો વિચાર –કેઈક તેવા બે પુરુષો એક જુનું, બીજે નવું એવા પહેરવાનાં વસ્ત્ર લઈને નદીકિનારે એક જ સમયે પહોંચ્યા અને શરીર જોવા લાગ્યા, બંનેએ બંનેનાં વસ્ત્રો નજીકમાં રાખેલાં હતાં. જુના વસ્ત્રનો માલિક લોભથી નવીન વસ્ત્ર બદલાવીને ચાલતો થયો. બીજે પિતાનું વસ્ત્ર તેની પાસે માગવા લાગ્યો. પેલો ખોટું બોલવા અને લડવા લાગ્યા. રાજભવનમાં ન્યાય કરનાર અધિકારીઓ પાસે વિવાદનો નિવેડો લાવવા ગયા. (ગ્રંથા ૨૦૦૦) રાજ્યાધિકારીઓ આમાં સાચું તત્ત્વ શું છે? તે ન જાણતા હોવાથી કાંસકીથી બંનેનાં મસ્તકે ઓળાવ્યાં અને કાંસકીમાં ઉતરી આવેલા વાળના અનુમાનથી તેઓનાં વસ્ત્રોમાં તે વાળને મેળવીને જે જેનું વસ્ત્ર હતું, તે તેને આપ્યું. આ રાજ્યાધિકારીની ત્પાતિકી બુદ્ધિ. આ વિષયમાં મતાંતર–બીજા આચાર્ય એમ કહે છે કેઅધિકારીઓએ પુરુષને પૂછ્યું કે, “આ તમારા વસ્ત્રનું સૂતર કોણે કર્યું છે ?? તો કે “અમારી સ્ત્રીઓએ ” ત્યારે તે બંને સ્ત્રીઓ પાસે સૂતર કંતાવ્યું. ત્યાર પછી બીજા રૂપે દેખવાથી અવળી રીતે સૂતર કાંતતી દેખાવાથી અધિકારીઓને સાચો નિશ્ચય થયો. એટલે કે જેનું હતું, તે તેને અપાવી દીધું. (૮૩) ૮૪–સરડા નામનું દ્વાર કોઈક વણિક કયાંઈક ઘણું બાકોરા-દરયુક્ત પૃથ્વીમાં જંગલ જવા માટે ગયે. દૈવયોગે ત્યાં બે કાચંડાનું યુદ્ધ થયું. તેમાં એક કાચંડો ઝાડે ફરવા બેઠેલા વણિકની પૂઠના છિદ્રમાં પૂંછડું અફાળીને તેની નીચેના બાકોરામાં પેસી ગયે. બીજે કાચંડો તેના દેખતાં જે પલાયન થયો. પેલા ભેળા અલ્પબુદ્ધિવાળા વણિકને શંકા ઉત્પન્ન થઈ કે, “આમાંનો બીજો એક કાચંડો દેખાયો નહીં, એટલે નક્કી મારી પૂંઠના છિદ્રમાંથી પેટમાં પેસી ગયો.” એવી શંકા થવાથી તેના પેટમાં વ્યાધિ ઉત્પન્ન થયો. કેઈક વૈદ્યને જણાવ્યું કે, “મને આ પ્રમાણે ઉદરમાં કાચંડો પેસી ગયા છે.” વૈદ્ય કહ્યું કે, “જે સો સોનામહોર આપે, તો તને હું નિરોગી કરું.” તે વાતને તેણે સ્વીકાર કર્યો. ત્યાર પછી વધે લાક્ષારસથી રંગેલો એક કાચંડો ઘડાની અંદર નાખીને રેચના ઔષધને પ્રયોગ કરીને તેને ઝાડા કરાવ્યા. તેને ઘડામાં ઝાડો કરાવતાં ઝાડાના વેગથી હણાએલ કાચંડો ઘડામાંથી બહાર નીકળ્યો. એ વણિકે જોયે. તેની શંકા દૂર થવાથી વ્યાધિનો વિનાશ થયો. અહીં મતાંતર, બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે-શાકમતના ભિક્ષુક અને વેતાંબર નાના સાધુને પરસ્પર વાર્તાલાપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy