SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ] ઉપદેશપદ–અનુવાદ સરખી આકૃતિવાળા પુત્રને જન્મ આપ્યું. શેઠે પણ લોકોનાં નેત્રોને અતિશય આનંદ આપનાર તે સમયને યોગ્ય એ જન્મ-મહોત્સવ ઉજવ્યો. જ્યારે તેવો પવિત્ર શુભ દિવસ આવ્યો, ત્યારે તેની માતાને અભયનો દેહલો થયેલ હોવાથી પુત્રનું “અભય” એવું નામ સ્થાપન કર્યું. ત્યાર પછી શુક્લપક્ષના ચંદ્રબિંબની માફક તે વૃદ્ધિ પામવા લાગ્યો અને આઠ વરસનો થે, ત્યારે ઘણી સુંદર બુદ્ધિના વૈભવવાળો થયો. કોઈક સમયે તેવા પ્રસંગે અભયે પૂછયું કે, “હે માતાજી ! મારા પિતાજી ક્યાં વસે છે ?” માતાએ કહ્યું કે, “રાજગૃહમાં શ્રેણિક નામના રાજા છે.” ત્યારે માતાને કહ્યું કે, “હે માતાજી ! અહિં રહેવું તે એગ્ય નથી.” પછી સારા સથવારા સાથે પિતાના નગર અને ઘર તરફ ચાલ્યો, અનુક્રમે રાજગૃહ નગરની બહાર પહોંચ્યો. ત્યાં પડાવ નાખી, માતાને બહાર રાખી, અભય પોતે નગરની અંદર ગયો. તે સમયે રાજાને અતિ અદ્દભુત બુદ્ધિવાળા મંત્રીની જરૂર હતી, તે મેળવવા માટે શ્રેણિક રાજાએ પોતાની આંગળીનું મુદ્રારત્ન એક અત્યંત ઊંડા સુકાયેલ સેરવાળા જલરહિત કૂવામાં નાખ્યું. સમગ્ર લોકને રાજાએ જણાવ્યું કે, “જે કઈ કિનારા પર રહી હાથથી આ મુદ્રારત્નને ગ્રહણ કરશે, તેને તેની ઈચ્છા પ્રમાણે વૃત્તિ-આજીવિકા દાન આપીશ.” હવે લોકો વિવિધ ઉપાય અને પ્રયોગ કરીને લેવા મથે છે, પરંતુ તેને લેવા માટે કે તે ઉપાય મનમાં કુરાયમાન થતો નથી. (૫૦) અભયકુમાર ત્યાં પહોંચ્યો અને પૂછયું કે, “અહીં શું છે ?” ત્યારે લોકોએ સર્વ વૃત્તાન્ત કહ્યું કે, જે રાજાએ કહેલ હતો. અભયને તરત જ તેને ગ્રહણ કરવા ગ્ય ઉપાય મનમાં કુરાયમાન થયે, એકદમ મુદ્રારત્ન ઉપર લીલું ગાયનું છાણ નંખાવ્યું. છાણની અંદર તરત જ મુદ્રારત્ન ચાંટી ગયું એટલે ત્યાં સળગતે ઘાસને પૂળો ફેંક્યા. તેની ઉષ્ણતાથી સર્વ છાણ સુકાઈ ગયું. કૂવાના કાંઠા ઉપર ઉભા રહી બીજા કૂવાની પાણીની નક આ કૂવા પાસે લાવી તેના જળથી આ ખાલી નિર્જલ કૂવો ભરી દીધો. તે આવેલા જળથી પિલા ગાયના છાણનો પિંડ એકદમ ઉપર તરી આવ્યું. જ્યારે બરાબર ઉપરના પ્રદેશમાં આવ્યો, ત્યારે અભયે કિનારા ઉપર ઉભા રહીને તેને ગ્રહણ કર્યો. તેમાં ચોંટેલું મુદ્રારત્ન છૂટું પાડીને રાજપુરુષોને આપ્યું. તે કાર્ય સોંપેલ રાજપુરુષ તેને રાજા પાસે લઈ ગયા. રાજા પાસે જઈ તેણે ચરણમાં નમસ્કાર કર્યો. રાજાએ પૂછ્યું કે હે વત્સ ! તું કોણ છે ?” તેણે કહ્યું કે, “તમારો પુત્ર છું.” “કેવી રીતે અને ક્યાંથી આવ્યો છે ?” ત્યારે બેન્નાતટ નગર સંબંધી પૂર્વન વૃત્તાન્ત જણાવ્યું. હર્ષાશ્રુથી ભરેલા નેત્રવાળા, પિતાના વત્સને ખોળામાં બેસારીને રોમાંચિત થયેલા દેહવાળા રાજા ફરી ફરી તેને આલિંગન કરવા લાગ્યો. પૂછ્યું કે, “તારી માતા ક્યાં છે?” ત્યારે અભયે કહ્યું કે, “નગરની બહાર.” એટલે રાજા તેને નગરપ્રવેશ કરાવવા માટે પરિવાર સહિત સામે ગયે. રાજા અહિં જાતે લેવા આવે છે–એ વૃત્તાન્ત જાણીને નંદાએ પિતે શરીર-શણગાર સ, પરંતુ અભયે તેનો નિષેધ કરતાં કહ્યું કે, “હે માતાજી! સારા કુલમાં જન્મેલી સ્ત્રીઓ પતિના વિરહમાં અતિ સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરતી નથી, પણ સાદો વેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy