SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિક, અભયકુમાર [ ૭૭ કે, “આ નગરમાં તમે કોના પણ થશે?” કુમારે કહ્યું કે, “તમારા” પછી ઘરે લઈ જઈ ઉચિત પરણાગત અને સત્કાર કર્યો. ત્યાર પછી તેના વચનકૌશલ્ય, સૌભાગ્ય, વિનય, સજજન-સ્વભાવ વગેરે ગુણોથી પ્રભાવિત થયેલા શેઠે પિતાની નંદા નામની પુત્રી આપી. લેકનાં મન પ્રમોદ પામે તેવા ઘણું આડંબરથી તેઓનાં લગ્ન કર્યા. જેણે તે કાળને ઉચિત સર્વ કાર્યો પ્રાપ્ત કરેલાં છે એવો કુમાર અત્યંત અનુરાગવાળી, સ્વમમાં પણ અપ્રિય નહિં ચિંતવનારી, અત્યંત વિનય વર્તન કરનારી, કમળ મધુર બેલનારી એવી નંદા પત્ની સાથે સર્વ ચિંતાઓનો ત્યાગ કરીને ભોગો ભેગવતો હતો. કારણ કે, સાસુ-સસરા અતિવાત્સલ્યથી સમાનતા હતા. એક વખત સુખે સૂતેલી નંદા સ્વમમાં મહાદેવના હાસ્ય અને કાશજાતિનાં પુપ સરખા ઉજજવલ ચાર દંકૂશળવાળા, ઉંચી કરેલી સૂંઢવાળા હાથી બાળકને પોતાના મુખમાં પ્રવેશ કરતો દેખીને જાગી. તરત જ પતિને નિવેદન કર્યું. એટલે પતિએ કહ્યું કે-“હે પ્રિયે ! યોગ્ય સમયે દેવલોકમાંથી ચ્યવીને પુણ્યશાળી કોઈક દેવ સંપૂર્ણ લક્ષણવાળે પુત્ર તને અવતરશે.” તે સમયે શુભલગ્ન અને શુભ દિવસે તેને અતિપ્રૌઢ પુણ્યસમૂહથી મેળવી શકાય, તેવા પ્રકારનો ગર્ભ રહ્યો. એ પ્રમાણે સમય વહી રહેલ હતું. આ તરફ પ્રસેનજિત રાજાનું શરીર ઢીલું પડયું, ત્યારે શ્રેણિક કુમારની શોધ કરાવતાં ખબર પડી કે, અત્યારે બેન્નાતટ નગરમાં સુખેથી રહેલ છે. ત્યાર પછી તેને બોલાવવા માટે તરત જ ચર પુરુષોને મોકલ્યા. (૩૦) તે રાજપુરુષએ આવી શ્રેણિકને સમગ્ર સમાચાર આપ્યા; એટલે કુમાર તરત જ રાજગૃહ જવા માટે ઉતાવળે થયો. શ્રેણિકે શેઠને કહ્યું કે, “પ્રજન એવું ઉભું થયેલું છે કે, મારે મારા પિતાને ઘરે તરત પ્રયાણ કરવું જ પડશે, માટે મને તમો રાજી થઈને જવાની રજા આપે.” પિતાની નંદાપત્નીને કહ્યું કે, “અમે રાજગૃહમાં ગોપાલો છીએ અને તે બાલા ! ત્યાં અમે ધળી ભીંતવાળા મકાનમાં રહીએ છીએ. જે કઈ કાય પડે તો ત્યાં આવવું.” શ્રેણિક પિતાની પાસે પહોંચ્યું. રાજ્ય પણ પ્રાપ્ત કર્યું. સર્વ પરિજન આજ્ઞા ઉઠાવનાર થ. હવે નંદાને ત્રીજા મહિને ગર્ભના પ્રભાવથી અતિનિર્મલ દેહલો ઉત્પન્ન થયે, એટલે તેણે પિતાને જણાવ્યું કે, “હે પિતાજી! હાથીની ખાંધ પર ચડેલી, છત્ર ધારેલું હોય, તે પ્રમાણે નગરમાં અંદર અને બહાર હું ચાલું અને અભયદાનની ઘોષણા સાંભળું, તે મને અતિશય આનંદ થાય, નહિંતર મારા જીવનનો ત્યાગ થશે.” અતિશય તુષ્ટ ચિત્તવાળા શેઠે રત્નપૂર્ણ થાળ ભરી રાજાને ભેટ આપી. રાજાએ પણ તેને માનપૂર્વક બેસાર્યો, વિનંતિ કરી કે, “મારી પુત્રીને આ દોહલો પૂર્ણ કરાવો.” રાજાએ કહ્યું કે, “તારી ઈચ્છા પ્રમાણે ભલે એમ કર.” એટલે શ્રેષ્ઠ હાથીની ખાંધ પર બેઠેલી વેત છત્રથી આચ્છાદિત કરેલ આકાશસ્થલવાળી નંદા અભયની ઉદ્ઘોષણા શ્રવણ કરતી નગરીમાં ફરવા લાગી. પૂર્ણ અને સમાનિત દેહલાવાળી હંમેશાં ગાઢ આનંદમાં સમય પસાર કરતી એવી નંદાએ કંઈક અધિક નવ માસ પૂર્ણ થયા, ત્યારે દેવકુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy