SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] ઉપદેશપદ-અનુવાદ શ્રેણિક–અભયકુમાર– અનેક પર્વતશ્રેણિથી વીંટાએલ હોવાથી રમ્ય એવું રાજગૃહ નામનું નગર હતું. ત્યાં પ્રસેનજિત નામનો રાજા રાજ્ય પાલન કરતો હતો. તેને અનેક પુત્રો પિકી શ્રેણિક નામનો પુત્ર રાજાઓના સર્વ ગુણોમાં અને લક્ષણોમાં ચડિયાતો અને સ્વભાવમાં પણ અનુપમ હતો. રાજાએ વિચાર્યું કે, “લોકોમાં એ પ્રવાદ છે કે, પુણ્ય હોવા છતાં રાજ્ય પરાક્રમથી જ મળે છે, તો આ પુત્રોની હું પરીક્ષા કરું. કોઈક દિવસે રાજાએ સર્વે પુત્રોને કહ્યું કે, “તમારે સવેએ સાથે મળીને સહભોજન કરવું, જેથી તમારી પ્રીતિમાં વૃદ્ધિ થાય.” “આપ જે આજ્ઞા કરે, તે અમારે શિરસાવંઘ છે – એમ બે હાથની અંજલિ કરી માન્ય કર્યું અને સમય થયો એટલે ભોજન કરવા સાથે બેઠા. ખીર ભરેલાં ભાજનો તેમને આપવામાં આવ્યાં અને કેટલામાં જમવાની શરૂઆત કરી, તે વખતે ત્યાં શિકારી કૂતરા છેડી મૂક્યા. સિંહના સમાન ચરણવાળા તે કૂતરાઓ જેટલામાં થાળ પાસે આવ્યા, તેટલામાં શ્રેણિક સિવાય બાકીના કુમાર ભયથી પલાયન થઈ ગયા. શ્રેણિકકુમાર તે બધુઓની થાળી લઈ લઈને તે કૂતરાઓ સન્મુખ ધકેલવા લાગ્યો અને તે થાળીમાંથી ખીર ખાવા લાગ્યા અને પોતે ધર્યવાળા ચિત્તથી પોતાના થાળમાં રહેલી ખીર ખાવા લાગ્યો. રાજાએ આ બનાવ જાતે જે. તે તેના ઉપર પ્રસન્ન થયા. નકકી આ કુમાર અતિનિપુણ બુદ્ધિવાળે છે કે, જે આવા સંકટ–સમયમાં પણ પોતાના કાર્યથી ન ચૂક અને કૂતરાઓને પણ સંતેષ પમાડયા. એ જ પ્રમાણે બીજા રાજાઓ તેને ક્ષેભ પમાડશે, તો પણ દાન આપીને તેને સંતોષ પમાડશે અને પોતાના રાજ્યનો ત્યાગ નહીં કરે. તો હવે અત્યારે આ કુમારનું બીજા પુત્રો દેખતાં ગૌરવ કરવું કે, પક્ષપાત કરવો ઉચિત નથી. કારણ કે, ઈર્ષાળુ તેના બધુઓ આ રાજાને માનીત છે–એમ જાણીને મારી નાખશે. રાજા બહારથી શ્રેણિક તરફ “અનાદરથી નજર દેખાડતો હતો, તેથી શ્રેણિકના મનમાં દુઃખ થયું કે, “મારા માટે પિતાજી અનાદર કરે છે, તે યંગ્ય ન ગણાય; માટે મારે દેશાંતર ચાલ્યા જવું – એમ વિચારી કહ્યા વગર શ્રેણિક પુત્ર દેશાન્તરમાં ચાલ્યા ગયા. ચાલતા ચાલતે અનુક્રમે બેન્ના નદીના કિનારા પર વસેલા અનેક પરિજનયુકત બેન્નાતટ નગરીમાં પોતાના પરિમિત સેવકો સાથે કંઈક પ્રસંગ પામીને પ્રવેશ કર્યો. જ્યાં અંદર મધ્યભાગમાં પહોંચે, ત્યાં ક્ષીણવૈભવવાળા કઈક સામાન્ય વેપારીની દુકાનમાં આસન પ્રાપ્ત થયું, ત્યાં બેઠે. તે શેઠે રાત્રે સ્વપ્ર દેખ્યું હતું કે, “મારે ઘરે રત્નાકર આવ્યો. આ સ્વપ્ન સુંદર છે અને નક્કી તે સ્વમનું જ આ ફલ જણાય છે.” એમ ચિત્તથી તે સંતોષ પામ્યું. તેના પુણ્યથી તે દિવસે શહેરમાં ધમાલ કરાવનાર માટે પર્વ–મહોત્સવનો દિવસ હત; એટલે કેસર, ચંદન, ધૂપ વગેરે પૂજા-સામગ્રી ખરીદ કરવા માટે દુકાને ઘણું ઘરાક ઉતરી પડ્યા. આ કુમારના પ્રભાવથી સરળ નીતિવાળા શેઠે ઘણું ધન ઉપાર્જન કર્યું. ત્યાર પછી ભેજન–સમયે ઘરે જવાની ઈચ્છાવાળા શેઠે કુમારને પૂછ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy