SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) આત્પાતિકી બુદ્ધિનાં ઉદાહરણો [ ૭૫ ભક્ષણ કરાયેલી–એઠી છે. કઈ પણ તે ખંડિત કાકડીને ખરીદતા નથી. કહે છે કે કેઈથી ખવાયેલી છે”—એમ લોકોના પ્રવાદની સહાયથી ધૂતે ગામડિયાને જિ. ત્યાર પછી શરત પ્રમાણેને માદક માગે છે. બિચારો ગામડિયે એવા પ્રકારને લાડુ આપો અશક્ય લાગવાથી તેને રૂપિયા આપવા લાગે, પણ ધૂર્ત લેતો નથી. છેવટે બે, ત્રણ અને સો રૂપિયા આપવા લાગે, તો પણ ધૂર્ત ગ્રહણ કરતો નથી. હવે ગામડિયાએ વિચાર્યું કે, “આ ધૃતથી હવે સીધી રીતે છૂટી નહિ શકાય. હવે તો આનો ખૂલાસો ચતુર બુદ્ધિવાળા જ કરી શકશે. અને તેવા ચતુર બુદ્ધિવાળા ઘણે ભાગે જુગારીઓ હોય છે. માટે તેની સેવા કરું. એમ વિચારી તેણે તેમ જ કર્યું. જુગારીએ પૂછયું કે-“હે ભદ્રક! તું હંમેશા અમારી સેવા શા માટે કરે છે ?” તેણે કહ્યું કે હું આવા પ્રકારના સંકટમાં ફસાયે છું.” ત્યારે ભુજંગ સરખા જુગારીઓએ તેને શિખવ્યું કે, “કંદોઈની દુકાનેથી મુઠ્ઠી પ્રમાણ એક લાડ લઈને ધૂર્તી અને બીજા નગર સાથે દરવાજાના દ્વારમાં જઈને ભુગળ ઉપર લાડવાને મૂકીને બધા સાંભળે તેમ બેલજે કે, “હે મેદક ! બહાર નીકળ, બહાર નીકળ.” જુગારીએ શીખવ્યા પ્રમાણે કર્યું, પરંતુ મોદક દરવાજા બહાર ન નીકળ્યો. એટલે શહેરના ધૂને ગામડિયાએ હરાવ્યું. આવી વ્રતકારની ઔપાલિકી બુદ્ધિ જાણવી. (૮૦) હવે વૃક્ષ નામનું દ્વાર કહે છે – ૮૧–કેઈક સ્થાને માર્ગમાં ફલના ભારથી નમી ગયેલી ડાળીવાળા મોટા આમ્રવૃક્ષની નજીકમાંથી પસાર થતા મુસાફરો પાકેલાં આ પ્રફલે દેખીને ભૂખથી દુર્બલ કુક્ષિવાળા લકે તેને તેડવા લાગ્યા, પરંતુ વૃક્ષની ડાળી ઉપર બેઠેલા અતિચપળ વાંદરાઓ આમ્રફળ તોડતાં ખલના કરતા હોવાથી કોઈ તોડી શકતા નથી. કોઈક સમયે નિપુણબુદ્ધિવાળા કેઈક મુસાફરે વાંદરા તરફ ઢેકું ફેંક્યું, એટલે કે પાવેશમાં આવી વાંદરાઓ મુસાફરોને મારવા માટે આમ્રફલો તોડી તોડીને ફેંકવા લાગ્યા. એ પ્રમાણે મુસાફરોના મનોરથ પૂર્ણ થયા. આ તેની ઔત્પાતિકી બુદ્ધિ. આ બાબતમાં જે મતાંતર છે, તે કહે છે-બીજા આચાર્યો વૃક્ષદ્વારની આવી વ્યાખ્યા કરે છે કે કેટલાક મુસાફરોએ કેઈક પ્રદેશમાં અણવપરાતાં ફલને જોઈને વિચાર્યું કે, “આ વૃક્ષનાં ફલે ખાવા યોગ્ય જણાતાં નથી.” શાથી ? તો કે આ માર્ગેથી ઘણા લોકો જાવ-આવ કરે છે. જે ફળો ભક્ષણગ્ય હોય, તો જરૂર કોઈએ પણ ભક્ષણ કર્યા હતે. અને કેઈએ ભક્ષણ તો કરેલાં જ નથી. આ પ્રમાણે મુસાફરોની ઔત્પાતિકી બુદ્ધિ. (૮૧) હવે પાણી વગરના ખાડાનું દ્વાર કહે છે– ૮૨–નિર્જલ ફવા નામના દ્વારમાં મંત્રીની પરીક્ષામાં શ્રેણિકનું બહાર ભાગી જવું, કેઈક ગામમાં શેઠને સ્વપ્ન આવવું, નંદાની કુક્ષિએ અભયકુમારનો જન્મ, કૂવાના કાંઠે રહી, છાણ, પાણી ભરી વીંટી બહાર કાઢવી, નંદામાતાને રાજગૃહમાં પ્રવેશ. ગાથાર્થ કહી આ દ્વાર વિસ્તારથી વિવરણકાર કથા દ્વારા કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy