SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] ઉપદેશપઃ-અનુવાદ પલ્લીના ભીલ્લ્લા બહાર નીકળ્યા. એટલે પલ્લીએ શૂન્ય થઈ, ત્યારે ત્યાં ધાડ પાડી. તેએ બહાર નીકળ્યા, એટલે તેમને પકડી લીધા. (૭૭) ત્યાર પછી રાજાએ શું કર્યું”?— ૭૮—રેહાએ સમગ્ર સામતા, મહાઅમાત્ય વિષયક વિશ્વાસ ઉત્પન્ન કર્યા. ત્યારે રાજાએ દરેક સામ`તાદિને પૂછ્યું કે, ‘તમારા ચિત્તમાં રાહક સ'ખ'ધી સાચા શે અભિપ્રાય છે ? ’ તેઓએ સાચા અતઃકરણથી કહ્યું કે- હે દેવ ! ખરેખર આપના કાર્યમાં બિલકુલ સર્વથા પૂર્ણ અપ્રમત્ત અને ચીવટવાળા છે. વળી આપણા કે બીજા સામા પક્ષ માટે અનુપદ્રવ કરનાર, પુણ્યશાળી, નિર્ભય-શત્રુપક્ષમાં પણ શકા વગર જનાર હેાવાથી, ખીજાએ કરેલા વિચારાના જાણકાર અને જ્ઞાની છે. (૭૮) ૭૯—તુષ્ટ થયેલા રાજાએ રાહકને સ મંત્રીએના અગ્રેસર તરીકે સ્થાપ્યા. તેણે પણ બુદ્ધિગુણથી પેાતાના પદનું વિધિથી પાલન કર્યુ. રોહાની આશ્ચર્ય ઉત્પન્ન કરનારી અને વિદ્વાનેાના મનને હરણ કરનારી ચેષ્ટાઓથી તુષ્ટ થયેલા જિતશત્રુ રાજાએ ૪૯૯ એવા સર્વે મત્રિઓના અગ્રેસરપણે-નાયકપણે સ્થાપન કર્યા. રાહાએ પણ ત્રિનાયકપણાનું પદ વિધિ અને ન્યાયપૂર્વક પેાતાની અવસ્થાને ઉચિત રીતિ અને ઔષાતિકી નામની બુદ્ધિના સામર્થ્યથી સારી રીતે પાલન કર્યું. કારણ કે, સર્વ ગુણામાં બુદ્ધિગુણ સથી ચડિયાતા માનેલા છે. જે માટે કહેલું છે કે-પ્રાપ્ત થયેલી નિર્મ્યુલ કામધેનુ સરખી બુદ્ધિ લક્ષ્મી ઉત્પન્ન કરે છે, વિપત્તિઓ આવતી અટકાવે છે, દૂધ સરખા ઉજ્જવલ યશ ફેલાવે છે, અપકીર્તિ ભૂંસી નાખે છે, બીજામાં સસ્કાર-જળ રેડીને પવિત્ર કરે છે. પૃથ્વી સમુદ્રથી વીંટળાયેલી મર્યાદિત છે, સમુદ્ર સા યાજનના માપવાળા છે, હમેશાં આકાશમાં પરિભ્રમણ કરનાર સૂર્ય આકાશનું પ્રમાણુ નિશ્ચિત કરે છે-એમ જગતના સમગ્ર પદાર્થાને પેાતાની હદનું પ્રમાણ પરિમિત હોય છે, પરંતુ સજ્જન પુરુષોની બુદ્ધિના વૈભવ અસીમ-મર્યાદા વગરના હોઇ વિજયના ડંકા વગાડે છે.’ (૭૯) ભરતશિલા નામનું દ્વાર ઘણા વિસ્તારથી સમજાવ્યું. હવે પણિત નામનું દ્વાર કહે છેઃ— ૮૦—પણિત-શરત કરવી એ નામનું દ્વાર છે. કેાઈક સ્વભાવથી ભાળી બુદ્ધિવાળા ગામડિયા ઘણા ધૃત લેાકાવાળી નગરીમાં આખું ગાડું કાકડીથી ભરીને વેચવા માટે નીકળ્યેા. બજારના માર્ગોમાં કાર્ડિયે નીચે ઉતારી અને વેચવા માટે ઢગલે કર્યો. ત્યારે કાઈક ધૂતે આવીને તેને કહ્યું કે, “જે કાઇ આ સર્વ કાકડીનું ભક્ષણ કરે, તા તેના બદલામાં તારે શું આપવું ? ' ન ખની શકે તેવી વાત મનમાં માનીને અસભવિત શરત નક્કી કરી કે, તેવાને હું નગરના દરવાજામાંથી ન નીકળી શકે તેવા લાડુ આપુ.' એટલે હવે તે ધૂત ગાડામાં ચડીને દરેક કાકડીને દાંત લગાડીને ખંડિત કરી. ત્યાર પછી ખરીદવા આવતા લેાકેા કહેવા લાગ્યા કે, આ તા કાઈથી * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy