SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રીશ્વર રેહક, બુદ્ધિનાં ઉદાહરણ [ ૭૩ રેહક સિવાય બીજાથી આ કાર્ય અસાધ્ય છે”-એમ વિચારી રાજાએ રેહકને ત્યાં આગળ મોકલ્યો. રેહક ત્યાં પહોંચે, દુશ્મન રાજા સાથે મંત્રણા કરી. જ્યારે બીજા ઉપાયોથી સમજાવવા છતાં અવિશ્વાસથી સંધિ કબૂલ ન કરી, ત્યારે રોહાએ ધર્મરૂપ ભટણું ધરીને તેને વશ કર્યો. અને આ પ્રમાણે પરમાર્થ સમજવો. રેહકે તેને આ પ્રમાણે કહ્યું કે-કદાચ મારા રાજા સંધિ કરીને પછી નાકબૂલ કરી ફરી જાય, તો તે રાજાએ જે તીર્થગમન, દેવભવન કરાવ્યાં હય, બ્રાહ્મણદિકને દાન આપ્યું હોય, વાવ, તળાવ ખોદાવ્યાં હોય-આ વગેરેથી જે ધર્મ ઉપાર્જન કર્યો હોય, તે મેં તમને સમર્પણ કર્યો. તે ધર્મ રહિત થવાથી આ લેક અને પરલોકમાં થોડું પણ કલ્યાણ-સુખ પામી શકશે નહિં, માટે તમે તેની સાથે સંધિ કબૂલ કરે. કેઈ પણ ધર્મવિષયક આવી પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી. એ પ્રમાણે વિશ્વાસમાં લીધા પછી કપટથી ત્યાં જઈને રાજાએ અણધાર્યો હતો કર્યો. દુશ્મનને પિતાના કબજે કરી ઉજજયિની નગરીમાં લાવ્યો. ત્યાં પેલા પકડાએલા રાજાએ વિચાર્યું કે, “આ રાજાએ પિતાને ધર્મ મને આપીને કેમ તેનો નાશ કર્યો?” આ પ્રમાણે તેના ખોટા વિકલ્પને દૂર કરાવવા માટે જિતશત્રુ રાજાએ રેહક ઉપર કૃત્રિમ કોપ કર્યો. (૭૫) ૭૬–ત્યાર પછી રોહકે રાજાને કહ્યું કે-નિરપરાધી એવા અમારા ઉપર દેવે આટલો કેપ શા માટે કર્યો?” તે વિષયમાં જિતશત્રુ રાજાએ કહ્યું કે-“તે મારો ધર્મ હરાવ્યો, તે માટે.” ત્યારે રેહાએ કઈક બીજા મહર્ષિ-વિષયક ધર્મ રાજાને આપો. આ કહેવાની મતલબ એ છે કે-“હે દેવ ! જે મેં તમારો ધર્મ બીજાને આપ્યો અને તે જે બીજે જાય, તે આ મહર્ષિએ બાલ્યકાલથી અત્યાર સુધીને કરેલો ધર્મ મેં આપને આપ્યું. હવે હે પ્રભુ! મારા ઉપર આપને આ કોપ કરવાનો અવકાશ રહે. નથી.” રાજાએ કહ્યું કે, આ મહર્ષિ સંબંધી ધર્મ માટે કેવી રીતે થાય કે જે મેં કર્યો કે કરાવ્યું નથી.” એટલે રોહકે કહ્યું કે, “જેમ તમારો ધર્મ મેં શત્રુરાજાને આપે, એટલે તે ધર્મ તેને થયો તેમ. (૭૬) ૭૭––ત્યાર પછી અતિપ્રસન્ન ચિત્તવાળા જિતશત્રુ રાજાએ રેહકને પરિપૂર્ણ નિર્વાહ થાય, તેવા પ્રકારની જમીન-જાગીર આપી. વળી કઈ વખત ઉજજયિની નગરીમાંથી મનુષ્ય કે જાનવ-ઢોરે, ધન વગેરે લૂંટીને પર્વત વનમાં ભાગી જઈ પહલીમાં વાસ કરતા હતા, તેઓની સાથે કોઈ પ્રકારે વિવાદ ઉત્પન્ન થયો, ત્યારે ફરી રોહકને તે લૂંટારાઓને પકડવા માટે મોકલ્યો. જ્યારે તેઓ સહેલાઈથી પકડી શકાતા નથી, ત્યારે તેઓને પકડવા માટે એમ સમજાવ્યું કે, “અપુત્રિયાને અગર ગાયને દુશ્મન પકડી જાય, તેને છેડાવવા, તે તીર્થ અર્થાત્ પુણ્ય અને ધર્મનું કાર્ય છે. કહેવું છે કે-“શત્રુઓ અપુત્રિયાને કે ગાયને પકડી ગયા હોય, તેને છોડાવવામાં પૂર્વ મુનિઓ મોટું તીર્થ થયું એમ કહે છે.” એવી રીતે ઉજજયિની નગરીના રાજાના સૈન્યને સમજાવ્યું, એટલે તે બળવાન સૈન્ય પલ્લીમાં રહેલી ગાયોને પકડી લીધી. તે ગાયોને છોડાવવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy