SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ઐત્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૮૧ નવીન તારુણ્યના ઉન્માદ માનસવાળી તે વૃદ્ધ બ્રાહ્મણ પ્રત્યે સ્વમમાં પણ અનુરાગ ન કરતી. તેના ભર્તાર સિવાય બીજા કેઈ ધૂર્ત વિષે અનુરાગ પામી અને ભર્તારને ત્યાગ કરી તેની સાથે પ્રયાણ કર્યું. કેઈક ગામમાં બ્રાહ્મણ અને ધૂતને વિવાદ ચાલ્યો. રાજાના અધિકારીઓએ તે ત્રણેને આગલા દિવસે ખાધેલા આહાર-વિષયક પ્રશ્ન કર્યા, એટલે બ્રાહ્મણે અને તેની ભાર્યાએ સાથવા નામનો એક જ આહાર જણાવ્યું. તેને વિરેચન-જુલાબ આપ્યો, તો તે બંનેના એક સરખા ઝાડા દેખાવાથી અધિકારીઓને જ્ઞાન થયું કે, આ બ્રાહ્મણની જ ભાર્યા છે, પણ ધૂતની નથી. (૮૬) ૮૭–હવે ગજ નામનું દ્વાર કહે છે–ગજ એટલે હાથી, મંત્રીઓની બુદ્ધિ પરીક્ષા માટે તેને તળવા માટે ઉપાય કર્યો ? નાવ પાણીમાં હાથીના વજનથી જ્યાં સુધી ડૂળ્યું, ત્યાં નિશાની કરી, ત્યાર પછી તેમાં પાષાણ નિશાની સુધી ભર્યા અને પછી તેનું વજન કર્યું, તે દ્વારા તેલનું જ્ઞાન થયું. કહેવાનો ભાવ એ છે કે કોઈક નગરમાં મંત્રિપદને યોગ્ય નિર્મલ બુદ્ધિવાળા પુરુષને ઓળખવા માટે રાજાએ પડહ વગડાવવા પૂર્વક એવી ઉદઘોષણા કરાવી કે-“જે કઈ મારા હાથીને તાળી આપશે, તેને હું એક લાખ સોનામહોરો આપીશ.” એટલ કેઈક ચતુરબુદ્ધિવાળો પુરુષ હાથીને નાવમાં ઉતારીને ઊંડા પાણીમાં નાવ લઈ ગયે. તે પાણીમાં જયાં સુધી નાવ હાથીના ભારથી બૂડી, તેટલા ભાગમાં નિશાની કરી. ત્યાર પછી હાથીને તેમાંથી ઊતારીને નાવમાં પાષાણે ભર્યા કે જ્યાં સુધી નાવમાં કરેલી નિશાની હતી, ત્યાં સુધી નાવ ડૂબાડી. પછી પાષાણનું વજન કર્યું. સર્વ પાષાણના વજનનો સરવાળો કર્યો, એટલે હાથીના વજનનું જ્ઞાન અથવા કેટલા પલ વગેરે પ્રમાણવાળું વજન છે, તેનું જ્ઞાન થયું. એટલે ખુશ થયેલા રાજાએ તેને મંત્રિપદ અર્પણ કર્યું. (૮૭). ૮૮–ઘયણ નામના દ્વારને વિચાર-કઈક રાજાએ પોતાનાં સર્વ રહસ્ય-ગુપ્ત વાતો જાણનાર કેઈ વિદૂષક-મશ્કરાની આગળ એમ કહ્યું કે-મારી પટ્ટરાણી નિરોગી કાયા વાળી કઈ દિવસ રોગ સૂચન કરનાર ગુદાથી અપાનવાયુ પણ છોડતી નથી. તેને ઘયણ મશ્કરાએ કહ્યું કે, “હે દેવ ! આ વાત કઈ પ્રકારે સંભવતી નથી કે, “મનુ ને અપાનવાયુ ન થાય.” રાજાએ કહ્યું કે, “તું તે કેવી રીતે જાણી શકે ? તે કે ગંધની પરીક્ષાથી. જ્યારે દેવી તમેને પુપિ, સુગંધી અત્તર કે બીજા તેવા પદાર્થો આપે, ત્યારે બરાબર પરીક્ષા કરવી કે, “અપાનવાયુ છોડે છે કે નહિં?” રાજાએ તેની ખાત્રી કરી એટલે દેવીની લુચ્ચાઈ સમજીને રાજાને હસવું આવ્યું. રાજાને હસતા દેખીને દેવીએ હસવાનું કારણ પૂછ્યું કે, “વગર કારણે અને વગર પ્રસંગે તમને હસવું કેમ આવ્યું ?” એટલે રાજાએ ખરી હકીકત જણાવી. મશ્કરા ઉપર રોષે ભરાયેલી દેવીએ તેને કાઢી મૂકાવ્યો. ત્યાર પછી મોટી વાંસની લાકડીની સાથે ઘણાં ખાસડાં બાંધી લાવીને દેવીને પ્રણામ કરવા આ મશ્કરો હાજર થયે. દેવીએ પૂછયું કે, આટલાં બધાં ખાસડાં વાંસ સાથે કેમ બાંધ્યાં?” ત્યારે મશ્કરાએ કહ્યું કે, “સમગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy