SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] ઉપદેશપદ-અનુવાદ ખોદી અને નીચે થાંભલાની જગ્યા ખાદ્યા વગરની રાખી ટેકા માટે સ્તંભે કાયમ રાખ્યા. બીજા નજરે જોનાર મનુષ્યોને પૂછીને “તે વાત યથાર્થ છે કે કેમ?” તેનો નિર્ણય કર્યો. એ પ્રમાણે રેહાની આત્પાતિકી બુદ્ધિ. મેંઢા વગેરેમાં પણ તેની કથા પૂર્ણ થતાં સુધી જોડવી. (૫૫) મે (ગાડર) નામનું દ્વાર– .. પ૬–ત્યાર પછી રાજાએ તે ગામમાં એક ગાડર પશુ મોકલાવ્યું અને ગામના વૃદ્ધોને કહેવરાવ્યું કે, “આ ગાડરનું વજન બિલકુલ વધે કે ઘટે નહિં, તેમ તમારે તેટલા જ વજનવાળું પંદર દિવસ સુધી રાખી પાછું મેકલાવવું. ત્યાર પછી રેહકે કરેલા ઉપાયથી-જવ, લીલી વનસ્પતિ આદિ બળ વધારનાર વસ્તુઓ ખવરાવી અને તેની સામે જંગલી ફાડી ખાનાર વાઘ રાખ્યો. જવ વગેરે ખાઈને જેટલું બળ વધારે, તેટલું સન્મુખ નિરંતર જગલી ભયંકર પ્રાણી દેખીને તેના ઉત્પન્ન થયેલા ભયથી બળશક્તિ ઉડી જાય છે, તેથી ઓછું કે અધિક વજનવાળું તે ગાડર પશુ ન થયું. (૫૬) કૂકડાનું દ્વાર– ૫૭–રાજાએ ગામમાં આજ્ઞા મોકલાવી કે, “બીજા કુકડા વગર આ કુકડા પાસે યુદ્ધ કરાવવું. ત્યાર પછી કુકડા સામે આદર્શ (આરસ) રાખતાં તેનું પ્રતિબિંબ દેખી કુકડો પ્રતિબિંબ સાથે યુદ્ધ કરવા લાગ્યો.” આ પણ હકની બુદ્ધિથી જ થયું. તે કુકડો મુગ્ધપણે પિતાના પ્રતિબિંબને બીજે કુકડો માની તેની સાથે તીવ્ર અસર કરી ઉત્સાહથી લડવા લાગ્યા. (૫૭) ૫૮–ફરી ગામ ઉપર રાજાએ આજ્ઞા મકલી કે, “પોતે ઠગાયા વગર તિલ (તલ) જે માપથી કોઈ ગ્રહણ કરે, તે જ માપથી તેલ પણ આપવું.” રોહકની બુદ્ધિથી આરીસાના માપથી તલનું ગ્રહણ કરવું અને ઉપલક્ષણથી તેલ પણ તે માપથી ગ્રહણ કરવાનું. આદર્શથી તલ લે અને તેનાથી તેલ આપે, તે કદાપિ પિતાને ઠગાવાનું થાય નહિં. કદાચ રાજા પણ તલનો માલિક હોય, તે પણ ગામડિયા ઠગાય નહિં. (૫૮) ૫૯–ફરી કોઈ વખત રાજાએ કહેવરાવ્યું કે, “કૂવામાંથી પાણી છે ચવા માટે દેરડાની જરૂર છે, તો તમારા ગામની રેતીમાંથી દોરડાં વણીને મોકલી આપ.” રોહકની ઉપાદ બુદ્ધિથી ગામલેકએ રાજાને કહેવરાવ્યું કે, એવાં દોરડાં અમે જોયાં નથી, વળી દોરડાં કેટલાં લાંબાં, પાતળાં, જાડાં તમારે જરૂર છે? માટે હે દેવ! તેના નમૂના મોકલી આપો, જેથી તમારી જરૂર પ્રમાણે નાનાં-મોટાં, ટૂંકાં, જાડાં, પાતળાં તે પ્રમાણે બનાવીને મોકલીએ. આ પ્રમાણે કહેવાયેલ રાજાએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, “વળી રેતીનાં દેરડાના નમૂના કયાંય હોય ખરા ? તમો ગામડિયા જ રહ્યા.” ત્યારે રાહકે ભણાવેલા ગામડિયા રાજાને કહેવા લાગ્યા કે, “એ તો આપ જ જાણે. (૫૯) ૫ મું ઉદાહરણ– ૬૦–ત્યાર પછી રાજાએ મરણ નજીક આવેલા એક હાથીને ત્યાં મોકલી આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy