SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ રેહાની કથા-બુદ્ધિનાં ઉદાહરણે [ ૬૭ પિતાજીની સાથે ઉજજયિની નગરીએ ગયે. ત્યાં ત્રણ-ચાર માર્ગોવાળી અને મોટાં મકાનેથી શોભિત સર્વ નગરી દેખી અને સૂર્યાસ્ત થવાના લગભગ સમયે પોતાના ગામ તરફ ચાલ્યા. સિમાનદી પાસે પહોંચ્યા, એટલે સારી રેતીવાળા કિનારા ઉપર પુત્રને રાખીને પિતા ભૂલેલી વસ્તુ લેવા પાછા શહેરમાં ગયા. તો રેહાએ દેખેલી નગરી તેમાં ચોક, ચૌટા, મહેલ ઘણી સુંદર રીતે રેતીમાં આલેખા, તેમ જ ફરતે કોટ પણ ચિતર્યો. જિતશત્રુ રાજા નગર બહાર ગયા હતા, તે ધૂળ ઉડવાના ભયથી એક પાછો ફર્યો. અશ્વસ્વાર થઈ જ્યારે તે પ્રદેશમાં આવ્યો, ત્યારે વેગથી આવતા રાજાને રેહાએ કહ્યું કે, “અહિંથી ન જાવ, શું રાજકુલ અને ઉંચે પ્રાસાદ દેખાતે નથી?” રાજાએ કહ્યું કે, “રાજકુલ અહિં ક્યાં છે?” ત્યારે શકુન થયાં, અતિશય ગુણવાળો રાજા આશ્ચર્ય પામ્યો. ત્યાર પછી રોહકે વિસ્તારથી ચીતરેલી નગરી, રાજકુલ વગેરે બતાવ્યાં. “તું ક્યાંનો રહીશ છે ?” ત્યારે કહ્યું કે, “અહિ શિલાગામમાં રહું છું અને ભરતને પુત્ર છું. કારણસર પિતા સાથે અહિં આવેલું છું. અત્યારે મારે ગામે જઈશ.” રાજાને એક ન્યૂન પાંચસે મંત્રીઓ હતા, પરંતુ ચૂડામણિ સરખા બુદ્ધિશાળી એક મંત્રીની તે શોધ કરતો હતો. (૩૦) ત્યાર પછી તેના પિતા કાર્ય પતાવીને ક્ષણવારમાં આવી ગયા, એટલે રોહક પિતાની સાથે પોતાના ગામે પહોંચી ગયે. ત્યાર પછી રાજાએ તેની બુદ્ધિની પરીક્ષા કરવા માટે નિર્ણય કર્યો. ગામ ઉપર સંદેશો કહેવરાવ્યું કે, “તમારા ગામ બહાર મોટી વિશાલ શિલા છે, તેની આસપાસના પ્રદેશને શોભાયમાન કરવા સાથે મોટા સ્તંભે તૈયાર કરી શિલા ઢાંકેલે મંડપ તૈયાર કરાવ.” આ રાજાના હુકમથી આખું ગામ આકુલ-વ્યાકુલ બની ગયું. આ બાજુ ભોજન–સમય થયો અને પિતા વગર રેહક જમતો નથી. કારણ કે, “દ્રષિલી માતા કદાચ ભેજનમાં ઝેર આપી દે તો.” હવે પ્રસન્ન વદનવાળો તે પિતાને આવતાં વિલંબ થયો, એટલે પિતાને કહેવા લાગ્યો કે, ક્ષુધા-તૃષાથી પીડાયેલા અને જમવાનું મોડું થયું. “હે પુત્ર! તને બીજી કઈ ફિકર છે? તું સુખી છે. અમારે તે રાજાની એક મોટી આજ્ઞા આવી છે અને એ ચિંતામાં અમે સર્વે વ્યાકુલ મનવાળા બની ગયા છીએ. આ કારણે ઘરે આવતાં વિલંબ થયે.” રાજાની આવેલી આજ્ઞાને પરમાર્થ જાણીને તેણે કહ્યું કે, “તમે પહેલાં ઈચ્છા પ્રમાણે નિરાંતે ભોજન કરી લે. એગ્ય માર્ગ બતાવીશ.” ભોજન કર્યા પછી રોહકે ગામના લોકોને કહ્યું કે, “શિલાતલની નીચે ખેદી કાઢો અને શિલાના ટેકા માટે સ્તંભ ઉભા કરો.” એ પ્રમાણે કરવાથી તેમને તેવા પ્રકારને મંડપ તરત તૈયાર થઈ ગયું. રાજાને સંદેશે કહેવરાવ્યું કે, “મંડપ તૈયાર થઈ ગયા છે.” રાજાએ પૂછયું કે, “કોણે કર્યો? ત્યારે રાજાને જણાવ્યું કે, “ભારતના પુત્ર રેહકની બુદ્ધિના પ્રભાવથી નીચેની ભૂમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy