SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ યિની નામની નગરી હતી. ત્યાં શત્રુપક્ષને લેભ પમાડનાર, ગુણવાન, દઢપ્રેમ રાખનાર, સદા ન્યાયથી રાજય ચલાવનાર જિતશત્રુ નામને રાજા હતો. ધર્મ, અર્થ અને કામ એવા ત્રણે પુરુષાર્થનું સુંદર આરાધન કરતો તે રાજા ન્યાય-નીતિ પૂર્વક ભુવનમાં આશ્ચર્ય પમાડે તેવી રીતે રાજય ભોગવતો હતો. વળી નાટક, નૃત્ય, કથાનક, ગીત, વાજિંત્રાદિ મનોરંજન કાર્યોમાં તેમ જ વિદ્વાન અને કળાવાન જન-ગ્ય કાર્યોમાં કુતુહળ અને રસ હોવાથી તેવાં તેવાં કાર્યોમાં કુશળતા મેળવી હતી. હવે ઉજજેણે નગરી નજીક શિલાઓથી યુક્ત ગુણથી થયેલું શિલાગ્રામ હતું. ત્યાં ભરત નામનો નટ હતો. નાટ્યવિદ્યામાં ઘણો પ્રવીણ હોવાથી, તે ગામમાં તે કળાની પ્રશંસા અને પ્રભુતા મેળવી હતી. કોઈક સમયે હકની માતા મૃત્યુ પામી એટલે ભરતે ઘરનું કામકાજ કરવા બીજી માતાને લાવી સ્થાપના કરી. “આ રહો બાળક છે.” તેથી ઓરમાન માતા રોહકને તુચ્છકારવા લાગી, એટલે આત્પાતિકી બુદ્ધિવાળા રહકે તેને કહ્યું કે, “હે માતા ! જે મારી સાથે સારો વર્તાવ નહીં રાખીશ, તો સારું નહિં થશે. હું તેવું કરીશ કે, જેથી તારે મારા પગે પડવું પડશે” એ પ્રમાણે સમય પસાર થઈ રહેલ હતે. હવે કોઈક સમયે ચંદ્ર પૂર્ણ ખીલેલો હતો અને તેનો પ્રકાશ ફેલાએલો હતો, તેવી રાત્રિમાં રહે પિતાની સાથે એક શય્યામાં સૂતો હતો. એવામાં મધ્યરાત્રિએ જાગી ઉભા થઈ પોતાના પડછાયામાં પરપુરુષને સંક૯પ કરીને મોટા શબ્દ કરીને પિતાને જગાડ્યા અને કહ્યું કે, “હે પિતાજી! દેખો દેખો, આ કોઈ બીજો પુરુષ જાય છે, એકદમ ઉઠીને ચાલ્યો” જેટલામાં તે નિદ્રા ઉડાડીને આંખથી જુવે છે, તેટલામાં તો કોઈ ન દેખાયો. એટલે પૂછ્યું કે-“હે વત્સ ! પેલો પરપુરુષ કયાં છે?” ત્યારે રોહકે કહ્યું કે, “આ દિશા-ભાગમાંથી જદી જદી જતાં મેં જોયે. હે પિતાજી! મારી વાત ખોટી ન માનશો.” એટલે ભરતે પોતાની સ્ત્રીને ખંડિત શીલવાળી જાણીને તેની સાથે સ્નેહથી બેલવું, વર્તવું છોડી દીધું. હવે પતિને નેહ ઘટી જવાથી શકવાળી તે સ્ત્રી પશ્ચાત્તાપ કરવા લાગી અને રેહાને કહેવા લાગી કે, “હે વત્સ! આમ ન કર.” ત્યારે રોહાએ કહ્યું કે, મારી સાથે સારો વર્તાવ કેમ રાખતી નથી ?” ત્યારે તેણીએ કહ્યું કે, “હવેથી સારી રીતે વર્તીશ.”. કોઈ પ્રકારે તેમ કર કે, જેથી તારા પિતા નેહાદરથી મને બોલાવે–ચલાવે.” રહે તે વાત સ્વીકારી. તે પણ હવે રોહાને સારી રીતે ખાવા-પીવા, કપડા વગેરેમાં સાચવવા લાગી. તે જ પ્રમાણે અજવાળી રાત્રિએ કેઈક સમયે સૂતેલો રહે જાગીને પિતાને કહેવા લાગ્યો કે, “આ તે જ પુરુષ.” પિતાએ પૂછ્યું કે, “ક્યાં છે?” ત્યારે પોતાનો પડછાયો બતાવીને કહે છે કે, “જુઓ, આ પુરુષ.” પિતા વિલખા મનવાળા થઈ પૂછે છે કે, “પેલો આવો જ હતો ?” તેણે હા કહી. “અહો ! બાળકોની વાતો કેવી હોય છે!” એમ વિચારી પત્ની ઉપર આગળ કરતાં વિશેષ ગાઢ રાગવાળે થયો. “હવે કદાચ આ માતા ખોરાકમાં ઝેર આપી દેશે” તે ભયથી રેહે દરરોજ પિતાજી સાથે બેસી ભોજન કરતો. કોઈક સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy