SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિના ૪ ભેદ. રોહાની કથા [ ૬૫ એમ કાર્મિકી બુદ્ધિનાં બાર ઉદાહરણો છે. એને વિસ્તાર સૂત્રકાર પોતે જ આગળ કરશે, તેથી તેને વિસ્તાર કર્યો નથી. (૪૭) (૪) પરિણામિકી બુદ્ધિનું સ્વરૂપ કહે છે– ૪૮–અનુમાન, હેતુ અને દષ્ટાન્તથી સાધ્ય પદાર્થને સિદ્ધ કરનારી, વયના પરિ પક્વપણાથી પરિણમનારી, અમ્યુદય અગર મોક્ષના કારણભૂત અર્થાત્ બંને ફળ પમાડનારી, તે પરિણામિક બુદ્ધિ. ટીકાર્ય–અનુમાન, હેતુ, દષ્ટાન્ત વડે સાધ્ય અને સિદ્ધ કરનારી અહિં લિંગીનું જ્ઞાન, તે અનુમાન. તેને પ્રતિપાદન કરનાર વચન, તે હેતુ. અથવા જણાવનાર તે અનુમાન અને કરાવનાર હેતુ. સાધ્યની વ્યાપ્તિ જ્યાં જણાય, તે દષ્ટાંત. શંકા કરી કે, અનુમાન ગ્રહણ કરવાથી દષ્ટાંત સમજાઈ જાય છે, માટે તેને નકામું અલગ ગ્રહણ કર્યું છે, એમ જ કહેતા હો તો તે બરાબર નથી. કારણ કે, અનુમાન છે. પરમાર્થથી અન્યથાનુ પપન્ન રૂપ છે, માટે તેમાં દષ્ટાન્ત ગાતાર્થ ગણાય નહિ ઉંમર મોટી થાય-પરિપક્વ દશા થાય - અનુભવ ઘણા થાય, તેમ બુદ્ધિ વિશેષ ઘડાય, તથા. વગ અને પુણ્યના કારણરૂપ અથવા મોક્ષના કારણરૂપ જે સમ્યગ્દર્શનાદિ તે બંનેના. ફળને કરનારી એવી બુદ્ધિ, તે પરિણામિકી બુદ્ધિ. ૪૮) પરિણામિકી બુદ્ધિનાં દાનની સૂચી - ૪૯–૧૧–૧ અભયકુમાર, ૨ કાષ્ઠશ્રેષ્ઠી, ૩ ક્ષુલ્લક કુમાર, ૪ પુષ્પવતી નામની દેવી, ૫ ઉદિતાદય રાજા, ૬ નંદિષેણ સાધુ, ૭ ધનદત્ત, ૮ શ્રાવક, ૯ અમાત્ય, ૧૦ શમક, ૧૧ અમાત્યપુત્ર, ૧૨ ચાણક્ય, ૧૩ સ્થૂલભદ્ર, ૧૪ નાસિકથને સુંદરી-નંદ નામને વેપારી, ૧૫ વાસ્વામી, ૧૬ પરિણામિકી બુદ્ધિવાળી બ્રાહ્મણ અને દેવદત્તા ગણિકા પણ લેવી, ૧૭ ચરણઘાત, ૧૮ બનાવટી આમળું, ૧૯ મણિ, ૨૦ સર્ષ, ૨૧ ખગ, ૨૨ સ્તૂપેન્દ્ર-આ વગેરે પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ જાણવાં. સૂત્રમાં વીશ ઉદાહરણે કહેલાં છે, તેનો વિસ્તાર સૂત્રકાર પોતે જ આગળ કરનાર હોવાથી અમે વિસ્તાર કરતા નથી. (૪૯ થી પ૧) હવે જણાવેલાં ઉદાહરણોનું સ્વરૂપ કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર શરુમાં ભારતશિલા નામના દષ્ટાન્તની સંગ્રહગાથા ભરત-શિલા, મેંઢા, કુકડે વગેરે. ૨૮ ગાથાથી ત્પાતિકી બુદ્ધિ વિષયક રોહકની કથા કહેશે. પર–ઉજજયિની નગરી પાસે શિલા ગામમાં રેહા નામને બાળક હતું. તેને ઓરમાન માતા હેરાન કરતી હતી. તેથી બાળકે પિતાને “ઘરમાં પરપુરુષ આવ્યો છે” કહી માતા પર કેપ કરાવે, પછી પડછાયો બતાવી માનીતી કરાવી. (પર) ગાથાર્થ કહી હવે વિવરણકાર વિસ્તારથી રોહાની કથા કહે છે – રોહાની કથા– માલવા દેશના આભૂષણસમાન, ધનથી સમૃદ્ધ, મોટાં દેવમંદિરોથી યુક્ત ઉજજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy